SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૦] દર્શનાચારનો ત્રીજો ભેદ–નિર્વિચિકિત્સા ૨૪૯ ત્રીજા સમયવાળી થાય છે. એમ ચાર ક્ષણ વગેરેમાં પણ જાણી લેવું. આ અભિપ્રાયથી જ નારકી વગેરે જીવોને ક્ષણિક કહેલા છે.'' આ પ્રમાણે સાંભળીને તે સાધુઓ પ્રતિબોધ પામ્યા, અને પોતાના ક્ષણિક પક્ષનો કદાગ્રહ મૂકીને પ્રભુની વાણીને સત્યપણે અંગીકાર કરી. એટલે તે શ્રાવકો હર્ષપૂર્વક તેમને ખમાવીને નમ્યા, અને તેમણે પોતાના સમકિતને નિર્મળ કર્યું. આ ચોથો નિહ્નવ શ્રી મહાવીરસ્વામીના મોક્ષ પછી બસો ને ત્રીસ વર્ષે ઉત્પન્ન થયો. ‘બૌદ્ધોએ સર્વ પદાર્થ ક્ષણભંગુર માન્યા છે. તે પક્ષનો સ્વીકાર કરવાથી અશ્વમિત્ર મોટી હાનિને પામ્યા. માટે ઉત્તમ જીવોએ બીજા મતને વિષે આકાંક્ષારહિત થવું.’’ વ્યાખ્યાન ૨૭૦ દર્શનાચારનો ત્રીજો ભેદ–નિર્વિચિકિત્સા હવે નિર્વિચિકિત્સા નામે ત્રીજો દર્શનાચાર વર્ણવે છે– विचिकित्सा ससंदेहा, धर्मक्रियाफलं प्रति । तद्दोषः सर्वथा त्याज्यो, दर्शनाचारचारिभिः ॥१॥ ભાવાર્થ-‘ધર્મક્રિયાના ફળમાં સંદેહ રાખવો તેનું નામ વિચિકિત્સા. એ મોટો દોષ છે, માટે તે દોષને દર્શનાચારને આચરણ કરનારા માણસોએ સર્વથા તજવો.’’ તે ઉપર દૃષ્ટાંત કહે છે– ભોગસારનું દૃષ્ટાંત કાંપિલ્યપુરમાં ભોગસાર નામે બાર વ્રતને ધારણ કરનારો શ્રાવક રહેતો હતો. તેણે શ્રી શાંતિનાથ સ્વામીનો પ્રાસાદ કરાવ્યો હતો. ત્યાં હમેશાં નિરાશી ભાવથી તે ભગવાનની ત્રણ કાળ ભક્તિપૂર્વક પૂજા કરતો હતો. એકદા તેની સ્રી આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી. ત્યારે તે ‘સ્ત્રી વિના ઘરનો નિર્વાહ ચાલશે નહીં'' એમ માનીને બીજી સ્ત્રી પરણ્યો.’' તે સ્ત્રી સ્વભાવે અતિ ચપળ હતી, તેથી ગુપ્ત રીતે ઘન એકઠું કરીને જુદી ગાંઠ કરવા લાગી, અને પોતાની ઇચ્છા પ્રમાણે ખાવા પીવા લાગી. અનુક્રમે શ્રેષ્ઠીનું સર્વ ધન નાશ પામ્યું. તેથી તે બીજા ગામમાં રહેવા ગયો. પણ બન્ને પ્રકારની૧ જિનપૂજા તે કદી ભૂલતો નહીં. તેમાં પણ ભાવ પૂજા તો હમેશાં ત્રિકાળ કરતો. એકદા તેની એ તથા બીજા લોકોએ તેને કહ્યું કે “હે શ્રેષ્ઠી! નિગ્રહ કે અનુગ્રહરૂપ ફળને નહીં આપનારા એવા વીતરાગ દેવને તમે શા માટે ભજો છો? તેમની ભક્તિ કરવાથી તો ઊલટું તમને પ્રત્યક્ષ દારિદ્રચ પ્રાપ્ત થયું. માટે હનુમાન, ગણપતિ, ચંડિકા, ક્ષેત્રપાળ વગેરે પ્રત્યક્ષ દેવોની સેવા કરો, કે જેથી તેઓ પ્રસન્ન થઈને તત્કાળ ઇચ્છિત તો પૂર્ણ કરે.’’ આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે ‘“અહો! આ લોકો પરમાર્થના અજાણ છે, અને મોહરૂપી મદિરાનું પાન કરેલું હોવાથી ગમે તેમ બોલે છે. પૂર્વ જન્મમાં ન્યૂન પુણ્ય કરીને આ જન્મમાં સંપૂર્ણ પુણ્યનું ફળ ભોગવવાની સ્પૃહા કરે છે, તે સર્વ મિથ્યાત્વની મૂઢતાનું ચેષ્ટિત છે. અહીં હનુમાન, ગણેશ વગેરે દેવો શું ન્યાલ કરી દે છે? ‘જેવું વાવીએ તેવું જ લણાય છે' તેમાં ૧ દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy