SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ માણસ છે અને તે પદાર્થનું જ્ઞાન બીજાને થાય છે. એક માણસ કાર્યનો આરંભ કરે છે, અને તે કાર્યનો કર્તા બીજો માણસ થાય છે. (૨) કોઈ માણસ દુષ્કર્મ કરે છે અને તેના ફળરૂપ નરકમાં બીજો માણસ જાય છે, અને કોઈ માણસ ચારિત્ર પાળે છે ને તેના ફળરૂપ મોક્ષ પ્રત્યે બીજો માણસ જાય છે. (૩)’’ વળી દરેક વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો પદાર્થના મૂળ સ્વરૂપ વિના તે પદાર્થ દેખાય જ કેમ? કદી ‘વાસનાની પરંપરાએ કરીને વસ્તુ દેખાય છે' એમ કહીએ તો તે વાસના સંતાન પણ ક્ષણિક વાદમાં જ ડૂબી જાય છે. ‘વિનાશ થયા છતાં પણ અનેક ક્ષણ સુધી વાસના રહે છે' એમ કહીએ તો તો એ તારા મતમાં જ મોટી હાનિ આવશે, માટે હે શિષ્ય! હૃદયમાં મિથ્યાત્વને કેમ વધારે છે? કેમકે કોઈ પણ વસ્તુ એકાંતે કરીને પર્યાયમય પણ નથી, અને એકાંતે કરીને દ્રવ્યરૂપ પણ નથી. પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ હોવાથી અનેક પર્યાયવાળી છે. ભુવન, વિમાન, ટ્વીપ, સમુદ્ર વગેરે સર્વ વસ્તુ નિત્યાનિત્યપણાથી વિચિત્ર પરિણામી અને અનેક સ્વરૂપી છે એમ શ્રી જિનેશ્વરે કહેલું છે. વળી સૂત્રમાં ભગવંતે કોઈ ઠેકાણે વ્યવહારનયને ઉદ્દેશીને વાક્ય કહેલું હોય છે, કોઈ ઠેકાણે નિશ્ચયનયને ઉદ્દેશીને કહેલું હોય છે, અને કોઈ ઠેકાણે બન્ને નયને ઉદ્દેશીને કહેલું હોય છે. તે સર્વ યથાર્થ બુદ્ધિથી સ્વીકારવું; પણ જિનેશ્વરના વચનમાં પોતાના મતની કલ્પના કરવી નહીં. માટે એકલા પર્યાય નયને જ અંગીકાર કરીએ તો–સુખ, દુઃખ, બંધ, મોક્ષ વગેરે કાંઈ પણ ઘટે નહીં. (આ પક્ષ વાક્ય કહેવાય છે). ઉત્પત્તિ થયા પછી તરત જ તેનો સર્વથા નાશ થાય છે માટે (આ હેતુ છે). મરેલાની જેમ (આ દૃષ્ટાંત છે). તેમજ કેવળ દ્રવ્યાર્થિક નયનો આશ્રય કરીએ તો પણ સુખદુઃખાદિ ઘટે નહીં. કેમકે તે મતમાં સર્વ વસ્તુ એકાંતપણે નિત્ય હોવાથી સર્વ વસ્તુ આકાશની જેમ અવિચળ થશે, તેથી તેની વિચિત્રતા ઘટશે નહીં. માટે બન્ને પક્ષ માનવાથી જ સર્વ ઘટી શકે છે, અને એકાંતવાદીનો પક્ષ તો લાખો દોષથી ભરપૂર હોવાથી ત્યાગ કરવા લાયક જ છે.’’ આ પ્રમાણે અનેક યુક્તિઓથી તેને સમજાવ્યો, તો પણ જ્યારે તે સમજ્યો નહીં, ત્યારે સ્થવિર સાધુઓએ તેને નિર્ભવ જાણીને ગચ્છ બહાર કર્યો. પછી તે પોતાના મતમાં વ્યુાહિત થયેલા સાધુઓ સહિત પૃથ્વીપર અટન કરવા લાગ્યો. એકદા રાજગૃહ નગરે તે ગયો, ત્યાં રાજાનું દાણ (કર) લેનારા ઉત્તમ શ્રાવકો હતા. તેઓએ તે નિહ્નવોને આવેલા જાણીને કઠોર કર્મથી પણ તેઓને બોઘ કરવાનો વિચાર કર્યો. પછી તેઓએ તે સાધુઓને પકડીને કશા (કોરડા) વગેરેથી પ્રહાર કરવા માંડ્યા. તેથી તેઓ ભયભીત થઈને બોલ્યા કે અમે તો લોકમાં ‘તમે શ્રાવક છો' એમ સાંભળ્યું હતું, તો અમને સાધુઓને તમે કેમ મારો છો?’’ તે સાંભળીને શ્રાવકો બોલ્યા કે “તમારા મતમાં તો જેઓએ વ્રત ગ્રહણ કર્યું છે તે સર્વ નાશ પામ્યા છે, અને તમે તો સર્વ બીજા જ ઉત્પન્ન થયા છો. વળી પ્રતિક્ષણે તમે સ્વયં વિનશ્વર છો, તેથી માર ખાનાર કોઈક છે, અને વિનાશ પામનાર પણ બીજો કોઈક છે. તેમજ તમારા મતમાં અમે પણ કોઈ બીજા જ છીએ, શ્રાવક નથી; તેથી તમે અમને શ્રાવક કેમ કહો છો? પણ જો તમે જિનેશ્વરના ઉત્તમ આગમને પ્રમાણ કરતા હો, તો તમને તેવા જ ઉત્તમ સાધુ માનીને અમે શ્રદ્ધા રાખીએ અને તમને મારીએ નહીં. કેમકે જિનેશ્વરના મત પ્રમાણે તો કાલાદિકની સામગ્રીએ કરીને એક જ વસ્તુ એક સમયે પ્રથમ સમયપણે નાશ પામે છે, પણ બીજા સમયપણે ઉત્પન્ન થાય છે. ત્રીજા સમયે બીજા સમયપણાને છોડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy