SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૯] દર્શનાચારનો બીજો ભેદ–નિષ્કાંક્ષા ૨૪૭ એ તો કેવળ વિરુદ્ધ જ છે. વળી હે શિષ્ય! કદાચ તું સૂત્રના આલાવાથી ભ્રાંતિ પામ્યો હો તો સૂત્રનું જ વચન હું તને કહું છું તે સાંભળ– नेरइयाणं भंते किं सासया असासया ? गोयमा ! सिय सासया सिय असासया । सेकेणट्टेणं ? गोयमा ! दव्वट्टयाए सासया भावट्टयाए असासयात्ति । ભાવાર્થ—“હે ભગવાન! નારકી જીવો શાશ્વતા છે કે અશાશ્વતા છે ? ત્યારે ભગવાન કહે છે કે ‘હે ગૌતમ! કોઈ પ્રકારે શાશ્વતા છે અને કોઈ પ્રકારે અશાશ્વતા છે.’ ફરી ગૌતમસ્વામીએ પૂછ્યું કે ‘તે શી રીતે?’ ભગવાને કહ્યું કે ‘હે ગૌતમ! દ્રવ્ય નયને આધારે શાશ્વતા છે, અને ભાવ નયની અપેક્ષાએ અશાશ્વતા છે.' ઇત્યાદિ. હે શિષ્ય! આ સૂત્રમાં પણ નારકાદિનો સર્વથા નાશ કહેલો નથી. પણ પ્રથમ સમયના નારકીપણે નાશ પામે છે, સર્વથા દ્રવ્યપણે નાશ પામતા નથી; કેમકે દ્રવ્યપણે તો શાશ્વતા છે. જો કદાચ સર્વથા નાશ માનીએ, તો પ્રથમ સમયોત્પન્ન નારકીનો સર્વથા નાશ થવાથી દ્વિતીય સમયોત્પન્ન નારકી એ વિશેષણ જ શી રીતે ઘટશે? અથવા તો હે શિષ્ય! અમે તને જ પૂછીએ છીએ કે ‘સર્વ વસ્તુ ક્ષણિક છે' એમ તેં શાથી જાણ્યું? જો ‘શ્રુતથી જાણ્યું’, એમ કહેતો હો તો સૂત્રથી થતા અર્થનું જ્ઞાન તો અસંખ્ય સમય વડે ઉત્પન્ન થયેલા સૂત્રાર્થ ગ્રહણ કરવાના પરિણામથી જ થાય છે. જો પ્રતિક્ષણે નાશ માનીશ તો એ શી રીતે ઘટશે ? આનું તાત્પર્ય એવું છે કે ચિત્તની સ્થિતિ અસંખ્ય સમય સુધી રહે છે, પણ સર્વ ક્ષણિક નથી. કેમકે સૂત્રમાં જે પદો (શબ્દો) રહેલા છે તે સાવયવ છે, અને તે પદના દરેક અક્ષરનો ઉચ્ચાર અસંખ્યાતા અસંખ્યાતા સમયે કરી શકાય છે, તેથી પદોનું જ્ઞાન પણ અસંખ્યાતા સમયે થાય છે. તે સર્વ ક્ષણિકવાદી પક્ષમાં ઘટે જ નહીં. વળી હે શિષ્ય! ક્ષણિકવાદીના પક્ષમાં બીજા પણ ઘણા દોષો આવે છે તે સાંભળ–કોઈ એક માણસ ભોજન કરવા બેઠો, પણ તે ક્ષણિક હોવાથી દરેક કવળનો ખાનારો જુદો જુદો માણસ થશે, અને ભોજનને અંતે ખાનારો પણ ક્ષણિક હોવાથી રહ્યો નથી. તેથી છેલ્લો કવળ ખાનાર કોઈ જુદો જ છે માટે તેને માત્ર એક જ કવળથી શી રીતે તૃપ્તિ થશે? વળી ભોજન કરી રહ્યા પછી ભોજન કરનારનો જ અભાવ છે, માટે ભોજનની તૃપ્તિ કોને થઈ? એ જ પ્રમાણે માર્ગે ગતિ કરનાર માણસ પણ ક્ષણે ક્ષણે નવો નવો થવાથી તેને કોઈ પણ વખત શ્રમ લાગશે નહીં વગેરે દોષો સ્વબુદ્ધિથી જાણી લેવા. આવા દોષો આવવાથી સમગ્ર લોક વ્યવહારનો ઉચ્છેદ થશે. કહ્યું છે કે– भुक्तिप्रारंभकोऽन्यः स्या - तृप्तिरन्यस्य जायते । अन्यो गच्छति पंथान- मन्यस्य भवति श्रमम् ॥१॥ पश्यत्यन्यो घटाद्यर्था -ज्ज्ञानमन्यस्य जायते । અન્ય: પ્રારંમતે વાય, વાર્તા ચાચો મવેનઃ ||રા अन्यः करोति दुष्कर्म, नरके याति चापरः । चारित्रं पालयत्यन्यो, मुक्तिमन्योऽधिगच्छति ॥३॥ ભાવાર્થ-‘ભોજનક્રિયાનો આરંભ અન્ય કરે છે અને તૃપ્તિ બીજા માણસને થાય છે. માર્ગે કોઈ માણસ ચાલે છે, અને તેનો શ્રમ કોઈ બીજાને લાગે છે (૧) ઘટાદિક પદાર્થોને જોનાર કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy