SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ આ માગણી તેની કબૂલ રાખું તો તેની સાથે હું પણ નરકે જ જાઉં. સંસારમાં અનંત કાળથી અટન કરતાં જીવોને અનંતા પુત્રો થયા છે, તો આના પર શા માટે મોહ રાખવો જોઈએ?” ઇત્યાદિ વિચારીને તે પુત્રને તેણે ગચ્છ બહાર કર્યો. અનુક્રમે તે મૃત્યુ પામીને પાડો થયો અને તેના પિતા સ્વર્ગલોકમાં દેવતા થયા. તે દેવતાએ અવધિજ્ઞાન વડે પુત્રને પાડો થયેલો જાણીને સાર્થવાહનું રૂપ ઘારણ કર્યું, અને તે જ પાડાને પાણી લાવવા માટે ખરીદ કર્યો. પછી તેના પૃષ્ઠ પર ઘણું પાણી ભરીને પખાલ મૂકી ઊંચી નીચી પૃથ્વીવાળા રસ્તે તેને હાંકવા લાગ્યો અને ઉપરથી કોરડાના પ્રહાર કરવા લાગ્યો, તેથી તે પાડો મોટેથી બરાડા પાડવા લાગ્યો, એટલે તેણે કહ્યું કે “અરે! કેમ બરાડા મારે છે? પૂર્વ જન્મમાં કરેલા કર્મનું આ ફળ છે.” એમ કહીને તે દેવતા “હે પિતા! હું આમ કરવા શક્તિમાન નથી, તેમ કરવા શક્તિમાન નથી” વગેરે પૂર્વ જન્મમાં કહેલાં વચનો વારંવાર સંભળાવવા લાગ્યો, તેથી પાડાને જાતિસ્મરણ થયું. પૂર્વજન્મ સ્મરણ કરીને તે વારંવાર નેત્રમાંથી અશુપાત કરતો વિચારવા લાગ્યો કે “પૂર્વ ભવે પિતાના કહેવા મુજબ મેં ચારિત્ર પાળ્યું નહીં, તેથી હું મરીને પાડો થયો.” પછી દેવતાએ કહ્યું કે “હું તારો પૂર્વભવનો પિતા છું, અને તેને પૂર્વભવનું સ્મરણ કરાવવા આવ્યો છું. હજુ પણ જો તારે શુભ ગતિની ઇચ્છા હોય તો અનશન ગ્રહણ કર.” તે સાંભળીને તે પાડાએ અનશન ગ્રહણ કર્યું, અને ત્યાંથી મરીને વૈમાનિક દેવતા થયો, માટે શુદ્ધ રીતે વ્રત પાળવું; અને ક્ષુલ્લક મુનિની જેમ બીજા બીજા દર્શનોના આચારની આકાંક્ષા કરવી નહીં. કેમકે જે આચાર શ્રી જિનેશ્વર પ્રરૂપેલ છે તે જ સત્ય છે એમ જાણવું. આ સંબંધમાં બીજી પણ એક કથા કહે છે– અશ્વમિત્ર મુનિની કથા મિથિલા નગરીમાં લક્ષ્મીદેવીના ચૈત્યવાળા ઉદ્યાનને વિષે શ્રી આર્યમહાગિરિ નામના સૂરિ સમવસર્યા. તેમને કૌડિન્ય નામે શિષ્ય હતો, અને તે કૌડિન્યને અશ્વમિત્ર નામે શિષ્ય હતો. તે દશમું પૂર્વ ભણતા હતો. તેમાં નૈપુણિક વસ્તુ ભણતાં એવો અર્થ આવ્યો કે “વર્તમાન સમયના સર્વે નારકી જીવો બીજે સમયે નાશ પામે છે. એ જ પ્રમાણે વૈમાનિકના જીવો માટે પણ જાણવું, અને એ જ પ્રમાણે બીજા સમય વગેરેના નારકી વગેરે જીવો માટે પણ જાણવું.” આવું સાંભળીને તે અશ્વમિત્રને શંકા થઈ કે “ઉત્પત્તિ થયા પછી તરત જ સર્વ વસ્તુ સર્વથા નાશ પામે છે. આ પ્રમાણેનો બોઘ થવાથી તે બીજાઓને પણ ભણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે “સર્વથા સર્વ વસ્તુ ઇંદ્રઘનુષ, વીજળી અને મેઘની જેમ પ્રતિક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.” તેને ગુરુએ કહ્યું કે “દરેક વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે છે, એવું માત્ર બૌદ્ધમતવાળા જ માને છે, અને તેવો જુસૂત્ર નામના ચોથા નયનો જ મત છે, સર્વ નયનો એવો મત નથી. અહીં તો માત્ર અપર અપર (જુદા જુદા) પર્યાયની ઉત્પત્તિ તથા નાશ થાય છે, એવી અપેક્ષાએ કોઈ પણ પ્રકારે વસ્તુનો પ્રતિક્ષણે નાશ કહેલો છે. જે સમયે નારકી વગેરે વસ્તુ પ્રથમ સમયના નારકીપણે ક્ષય પામે છે, તે જ સમયે બીજા ક્ષણના નારકીપણે તે ઉત્પન્ન થાય છે; પણ જીવદ્રવ્યપણે તો સ્થાયી જ છે. માટે માત્ર કાળના જ પર્યાયથી ક્ષય થયો છે, તેથી સર્વથા વસ્તુનો ક્ષય માનવો એ કેમ ઘટે? કેમકે દરેક વસ્તુના પર્યાયો અનંતા છે, તેમાંથી એક પર્યાયનો નાશ થવાથી સર્વથા વસ્તુનો જ નાશ માનવો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy