SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ આ પ્રમાણે અનેક પ્રકારની યુક્તિઓથી ગુરુએ તેને બહુ સમજાવ્યો, તો પણ જ્યારે તે શિષ્ય પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે ગુરુએ તેને ગચ્છ બહાર કર્યો. ૨૪૪ પછી તે વિહાર કરતો કરતો રાજગૃહી નગરીએ આવ્યો. ત્યાં તે પોતાના અસત્ય મતનું પ્રતિપાદન કરીને બીજા મુનિઓના ચિત્તને પણ વ્યુાહિત કરવા લાગ્યો; કેમકે દુરાગ્રહી માણસ હડકાયા કૂતરાની જેમ બીજાને પણ પોતાના જેવો કરવા ઇચ્છે છે. રાજગૃહીમાં મહાતપસ્તીરપ્રભાવ નામે એક દ્રહ હતો. તેની પાસે મણિનાગ નામના યક્ષનું ચૈત્ય હતું. ત્યાં રહીને ગંગાચાર્ય પર્ષદાની સમક્ષ સમકાળે બે ક્રિયા વેદવારૂપ પોતાના અસત્ પક્ષની પ્રરૂપણા કરવા લાગ્યો. તે સાંભળીને મણિનાગ યક્ષને કોપ ચડ્યો; તેથી તેણે કહ્યું કે “અરે દુષ્ટ! આવી અસત્ પ્રરૂપણા કરીને અનેક પ્રાણીઓના મનમાં સંશય કેમ ઉત્પન્ન કરે છે? આ જ સ્થાને શ્રી વર્ધમાન સ્વામીનું સમવસરણ થયું હતું; તે વખતે પ્રભુએ એક સમયે એક જ ક્રિયાનું વેદવું હોય એમ પ્રતિપાદન કર્યું હતું. તે વખતે મેં આ ચૈત્યમાં રહીને સાંભળ્યું હતું. કેવળજ્ઞાનીને પણ પ્રથમ સમયે જ્ઞાન એટલે વિશેષાત્મક ઉપયોગ હોય છે, અને બીજે સમયે દર્શન એટલે સામાન્યાત્મક ઉપયોગ હોય છે. તો તું વીરસ્વામી કરતાં પણ શું અધિક જ્ઞાની થયો છે કે જેથી તેમનું વચન પણ અન્યથા કરવા તત્પર થાય છે? માટે આ દુષ્ટ વાસના મૂકી દે, અને પ્રભુનાં વચનને અંગીકાર કર; નહીં તો હમણાં તને આ મુદ્ગર વડે શિક્ષા કરીશ. પ્રત્યક્ષ સિદ્ધ અર્થને પણ તું ગોપવે છે તે યોગ્ય નથી. જેમ કોઈ અષ્ટાવધાન સાધનાર પ્રાજ્ઞ માણસ શ્લોક રચવાને વખતે નવીન શ્લોક રચે છે, વાજિંત્રના તાલ ગણે છે, વાત સાંભળે છે, પૃષ્ઠ ઉપર લખેલા અક્ષરો કહે છે–વગેરે આઠ પ્રકારનાં અવધાન સાથે છે; તે સર્વ શીઘ્ર ગતિવાળા મનોવિજ્ઞાનને આધારે જ કરે છે; પરંતુ અજ્ઞાની માણસો અને બાળકો આશ્ચર્ય પામવાથી કહે છે કે ‘અહો! આ સાધકે સમકાળે આ બધું સાધ્યું.’ પરંતુ એમ કહેવું યુક્ત નથી; કારણ કે અનુક્રમે પરંતુ અતિ શીઘ્રપણે સર્વ ગ્રહણ કરીને પછી તે બોલે છે.’’ ઇત્યાદિ યુક્તિથી તે નાગયક્ષે તેને સમજાવ્યો, એટલે ગંગાચાર્યે તેનું કહેવું અંગીકાર કર્યું અને મિથ્યાદુષ્કૃત દીધો. પછી ગુરુ પાસે જઈ તે પાપની આલોચના લઈને પ્રતિક્રમ્યા. તે વિષે શ્રી મહાભાષ્યમાં કહ્યું છે કે अट्ठावीसा दोवाससया, तइया सिद्धिंगयस्स वीरस्स । दोकिरियाणं વિટ્ટિ, उल्लूगतीरे સમુખન્ના શા ભાવાર્થ-‘શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી બસો ને અઠ્ઠાવીશ વર્ષે ઉલૂક નદીને કાંઠે બે ક્રિયાની દૃષ્ટિ (ગંગાચાર્યને) ઉત્પન્ન થઈ.’’ मणिनागेणारद्धो, भओववत्ति पडिसेहिओ वोत्तुं । इच्छामो गुरुमूलं, गंतुण तउ पडिक्कंतो ॥२॥ ભાવાર્થ-મણિનાગે પ્રેરણા કરીને ભગવંતના વચનથી વિરુદ્ધ કહેતો રોક્યો એટલે તે ગુરુમહારાજ પાસે જઈને તે અપરાધને પડિક્કમ્યો.'' “આ પ્રમાણે નાગયક્ષે શંકા દૂર કરાવીને બોધ પમાડેલો ગંગાચાર્ય દર્શનના નિહ્નવપણાને છોડીને ગંગાજળની જેમ નિર્મળ થયો.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy