SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૮] દર્શનાચારનો પહેલો ભેદ-નિઃશંકા ૨૪૩ ફરીથી શિષ્ય પ્રશ્ન કર્યો કે “હે સ્વામી! મતિજ્ઞાનના ૩૪૦ ભેદનું વર્ણન કરતી વખતે આપે જ બહુ, બહુવિઘ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવ અને તેથી ઇતર અબહુ, અબહુવિઘ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ, અધ્રુવ-એ પ્રમાણે બાર બાર ભેદ અવગ્રહાદિ મતિજ્ઞાનના કહેવાને અવસરે એક વસ્તુમાં જુદા જુદા અનેક ઉપયોગ હોય એમ કહ્યું હતું તે કેમ?” તેનો ગુરુએ ઉત્તર આપ્યો કે “તે બહુ બહુવિઘાદિ રૂપ વસ્તુમાં અનેક પર્યાયો હોય છે, તેમનું સામાન્ય રૂપે કરીને ગ્રહણ માત્ર કરવું તે જ માત્ર જ્ઞાનમાં ઉપયોગતા છે એવી વ્યવસ્થા બતાવેલી છે પણ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગ કોઈ પણ સ્થાને હોય જ નહીં. જેમ “સૈન્ય જાય છે” એ વાક્ય સામાન્ય છે, કેમકે તેમાં કોઈનો વિશેષ નિર્દેશ કર્યો નથી. તેનું નામ એક ઉપયોગપણું કહેવાય છે, પરંતુ તે (સૈન્ય) માં દરેક વસ્તુ ભિન્ન ભિન્ન કરીએ જેમકે આ હસ્તીઓ છે, આ અશ્વો છે, આ પત્તીઓ છે, આ ધ્વજાઓ છે, આ ઊંટો છે ઇત્યાદિક વિભાગ કરીએ, તો તે ભેદના અધ્યવસાયરૂપ અનેક ઉપયોગતા કહેવાય. તે જ પ્રમાણે હે શિષ્ય! એક કાળે ઘણાં વિશેષનું જ્ઞાન થાય નહીં, કેમકે તે સર્વનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે. લક્ષણ એટલે શીત, ઉષ્ણ વગેરે વિશેષ વસ્તુનું સ્વરૂપ કહેવું છે. તે લક્ષણ પરસ્પર ભિન્ન ભિન્ન હોવાથી તેને ગ્રહણ કરનારા જ્ઞાનો પણ ભિન્ન ભિન્ન છે, તેથી બે જ્ઞાનો એક કાળે થાય નહીં. વળી સામાન્યનું લક્ષણ એવું છે કે જે અનેક વિષયવાળું હોય, અને જે અનેકને આઘાર હોય (અનેકનો બોઘ કરતું હોય) તે સામાન્ય કહેવાય છે. તો સામાન્યનું પ્રથમજ્ઞાન થયા વિના વિશેષ જ્ઞાનની ઉત્પત્તિ જ થતી નથી, માટે એક કાળે વિશેષ જ્ઞાન ન થાય એવું સિદ્ધ થયું. આનું તાત્પર્ય એવું છે કે પ્રથમ “વેદના થાય છે” એમ સામાન્યનું ગ્રહણ કરીને પછી ઈહામાં પ્રવેશ કરવાથી પગમાં શીત વેદના થાય છે' એમ વેદનાનો વિશેષ નિશ્ચય થાય છે. મસ્તકને વિષે પણ પ્રથમ સામાન્ય રીતે વેદનાનું ગ્રહણ થયા પછી ઈહામાં પ્રવેશ કરવાથી “મસ્તકે ઉષ્ણ વેદના થાય છે” એવો વિશેષનો નિશ્ચય થાય છે. વળી ઘટ વિશેષનું જ્ઞાન થયા પછી અનંતરજ પટના આશ્રયભૂત સામાન્યનું ગ્રહણ કર્યા વિના પટ વિશેષનું જ્ઞાન થશે જ નહીં. વળી હે શિષ્ય! એક જ પ્રાણી એક કાળે ક્રિયાઓ તો ઘણી કરી શકે છે. જેમ નર્તકી અભ્યાસની ચતુરાઈને લીધે મુખથી હા, હા, વગેરે શબ્દો બોલે છે, નેત્રથી કટાક્ષ ફેંકે છે વા નેત્ર નમાવે છે, હાથ પગનું આકુંચન પ્રસારણ કરે છે, આંગળીઓ હલાવે છે, શરીરને ગમે તેમ વાળે છે ઇત્યાદિ હાવભાવ એક જ કાળે કરે છે પણ તેનો ઉપયોગ તો એક કાળે એક ક્રિયામાં જ હોય છે. વળી કોઈ જિનેશ્વરની ભક્તિ કરનારો માણસ એક હાથે ચામર વિજે છે, બીજે હાથે ધૂપ લઈને પ્રભુને અંગે ધૂમાવળી વિસ્તારે છે, મુખ વડે અદ્ભુત રચનાવાળી પ્રભુની સ્તુતિ બોલીને જિનેશ્વરના ગુણોનું ગાન કરે છે, નેત્ર વડે પરમેશ્વરની અદ્ભુત પ્રતિમા જોઈને મસ્તક ઘણાવે છે તથા ચાલતાં પૃથ્વી પર ઉપયોગપૂર્વક વિધિયુક્ત પાન્યાસ કરે છે, ઇત્યાદિ અનેક ક્રિયા સમકાળે કરે છે, પરંતુ તેનો ઉપયોગ સમકાળે બધી ક્રિયામાં વર્તતો નથી. ઉપયોગ તો એક ક્રિયામાં જ વર્તે છે.” ૧ ઈહા એટલે વિચારણા, ક્યાં અને કેવી વેદના થાય છે? વગેરે ચિંતવવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy