SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૮ અલાતચક્રને ઘણી જ ત્વરાથી ગોળ ફેરવીએ તો પણ તે ચક્ર કાળના ભેદે કરીને જુદી જુદી દિશાઓમાં અનુક્રમે અનુક્રમે જ ફરે છે, તો પણ ફેરવવાનો કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી તે જાણવામાં આવતો નથી, માટે આપણને તો ગોળ કુંડાળું જ લાગે છે, તેવી જ રીતે પ્રકૃતિમાં પણ શીત તથા ઉષ્ણ ક્રિયાના અનુભવનો કાળ ભિન્ન છતાં પણ સૂક્ષ્મ હોવાથી તારાથી જાણી શકાયો નથી, તેથી તે બન્ને ક્રિયાનો અનુભવ એક જ કાળે થયો એમ તારા માનવામાં આવ્યું છે. વળી ચિત્ત પણ બધી ઇંદ્રિયોની સાથે એક કાળે સંબંઘ રાખતું નથી, પણ અનુક્રમે જ સંબંઘ રાખે છે, તે જ રીતે ઉપલક્ષણથી મસ્તક, હાથ, પગ વગેરે સ્પર્શેન્દ્રિયના જુદા જુદા અવયવો સાથે પણ ચિત્ત એક કાળે સંબંઘ રાખતું નથી. જેમકે કોઈ માણસ લાંબી અને સૂકી આંબલી ખાય છે, તેને ચક્ષુ વડે જોવાથી તેના રૂપનું જ્ઞાન થયું, નાસિકા વડે સૂંઘવાથી ગંઘનું જ્ઞાન થયું, ખાવાથી જિલ્લાને રસનું જ્ઞાન થયું, સ્પર્શ કરવાથી સ્પર્શનું જ્ઞાન થયું, અને તેને ચાવવાથી શબ્દ ઉત્પન્ન થયો, તે કર્ણ વડે સાંભળવાથી શબ્દનું જ્ઞાન થયું, પરંતુ તે પાંચે જ્ઞાન અનુક્રમે જ થાય છે, નહીં તો સાંકર્ય દોષ પ્રાપ્ત થાય, અને મતિજ્ઞાન વગેરેના ઉપયોગ વખતે અવધિ વગેરે જ્ઞાનના ઉપયોગની પણ પ્રાપ્તિ થઈ જાય; અને તેમ થવાથી એક ઘટાદિક પદાર્થોની કલ્પના કરતાં અનંતા ઘટાદિક પદાર્થોની કલ્પનાની પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય, અને તેમ તો છે નહીં. વળી શ્રીમજિનેશ્વર પરમાત્માના ગુણનું સ્મરણ કરીને ધ્યાનમાં ઉપયોગ રાખતી વેળાએ પણ મિથ્યાત્વના તર્ક અને અસુરાદિકના ધ્યાનના ઉપયોગની પ્રાપ્તિ થવી જોઈએ. માટે તારા મત પ્રમાણે તો ઉપર કહેલા ઉપરાંત બીજા પણ અનેક દોષો પ્રાપ્ત થશે, અને તેથી ચિંતિત અર્થ પ્રાપ્ત થશે નહીં; માટે ઉપયોગ એક કાળે એક જ વસ્તુમાં થાય છે, પણ અનેક વસ્તુમાં થતો નથી. તે જ પ્રમાણે કર્મબંઘ અને તેની નિર્જરા વગેરે પણ ઘટાવવાં. આ સંબંધમાં પ્રસન્નચંદ્રના દ્રષ્ટાંતની ભાવના કરવી. શ્રેણિક રાજાએ શ્રી મહાવીર સ્વામીને પ્રસન્નચંદ્ર મુનિની ગતિનું સ્વરૂપ પૂછ્યું, તે વખતે પ્રભુએ તે મુનિનાં ચિત્તમાં રહેલા પ્રશસ્ત અને અપ્રશસ્ત ઉપયોગના પરાવર્તમાનપણાને અનુસારે વારંવાર જુદું જુદું ગતિનું સ્વરૂપ કહ્યું હતું પણ જો એક કાળે અનેક ઉપયોગ વર્તતા હોત તો જિનેશ્વર પણ એક કાળે અનેક ગતિ કહેત, પરંતુ તેમ હોઈ શકતું નથી, માટે એક કાળે એક જ ઉપયોગ વર્તે એ પક્ષ સત્ય છે. કહ્યું છે કે यदा स्यात् प्राणिनां शीतो-पयोगव्यापृतं मनः । तदा नोष्णोपयोगे तद् व्याप्रियेत विरोधतः॥१॥ ભાવાર્થ-“જ્યારે પ્રાણીનું મન શીત ઉપયોગમાં વ્યાપારવાળું હોય છે ત્યારે તે મન ઉષ્ણ ઉપયોગમાં વ્યાપાર કરતું નથી, કેમકે તે પરસ્પર વિરોધી છે.” योगपद्याभिमान - स्तूपयोगयुगलस्य यः । સ તું માનસ સંચાર–મસ્યાનુપતાક્ષાત્ ારા ભાવાર્થ-“આ પ્રમાણે છતાં પણ બે ઉપયોગ સમકાળે વર્તવાનું જે અભિમાન થાય છે તે મનના સંચારનો ક્રમ જાણવામાં આવતો નથી તેથી થાય છે.” ૧ અલાતચક્ર એટલે ઉંબાડિયું વગેરે છેડો સળગાવેલા કાષ્ઠાદિક સમજવા. ૨ એકબીજા સાથે મળી જવું તે સાંઠ્ય કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy