SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૮] દર્શનાચારનો પહેલો ભેદ-નિઃશંકા ૨૪૧ વખતે પૂર્વે બાંધેલા મિથ્યાત્વ મોહનીયનો ઉદય થવાથી તેમને એવો વિચાર આવ્યો કે “સિદ્ધાંતમાં એક કાળે બે ક્રિયાનો અનુભવ ન હોય એમ કહ્યું છે, પણ મને તો અત્યારે એક જ સમયે બે ક્રિયાનો અનુભવ થાય છે. હું શીત ને ઉષ્ણ બન્નેને વેદું છું; માટે અનુભવથી વિરુદ્ધ હોવાને લીધે આગમનું એ વચન યથાર્થ લાગતું નથી.” એવી શંકા ઘરાવતા સતા ગંગાચાર્ય ગુરુ પાસે આવ્યા, અને પોતાને થયેલી શંકા નિવેદન કરી. તે સાંભળીને ગુરુએ શિખામણ આપી કે “હે વત્સ! છાયા અને આતપ જેમ સમકાળે ન હોય તેમ એક કાળે બે ક્રિયાનો અનુભવ અન્યોન્ય વિરુદ્ધ હોવાથી થઈ શકે જ નહીં, કેમકે જે અનુભવ થાય છે અનુક્રમે જ થાય છે; પરંતુ સમયાવલિકાદિક કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી અને મને પણ અતિ ચપળ, અતિ સૂક્ષ્મ અને ઘણી જ ત્વરાવાળું હોવાથી તે અનુભવનો અનુક્રમ તારા જાણવામાં આવ્યો નહીં. મન એ ઇંદ્રિયોથી ગ્રહણ ન થઈ શકે એવા સૂક્ષ્મપુગલના અંઘોથી થયેલું છે. તે મન ઇંદ્રિયોએ ગ્રહણ કરેલા સ્પર્શનાદિક દ્રવ્ય સાથે જે વખતે સંબંઘ પામે છે, તે વખતે ઇંદ્રિયોને તે દ્રવ્યનું જ માત્ર જ્ઞાન કરાવવામાં કારણભૂત થાય છે. અન્ય પદાર્થમાં ઉપયોગ રાખનારો પ્રાણી પાસે ઊભેલા હસ્તીને પણ જોઈ શકતો નથી; તેથી એક પદાર્થમાં ઉપયોગવાળું મન કદાપિ બીજા અર્થનો ઉપયોગ ઘરાવી શકે જ નહીં. જેમ એક મુનિ એકાગ્ર ધ્યાનમાં મગ્ન થઈને કાયોત્સર્ગે રહ્યા હતા, તેવામાં તેની પાસે થઈને એક ચક્રવર્તી પોતાના સમગ્ર સૈન્ય તથા ચોસઠ હજાર અંતેઉરીઓ સહિત નીકળ્યો. તે વખતે સૈન્યમાં રહેલા સંખ્યાબંધ વાજિંત્રો પણ વાગતાં હતાં. ચક્રવર્તીએ તે મુનિને જોઈને વિચાર્યું કે “અહો! આ મુનિનું ચિત્ત કેવું એકાગ્ર છે કે જેથી મારું સૈન્ય શબ્દ, રૂપ, રસ, ગંઘ અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિયોને સુખ આપનારાં સાહિત્યોથી સંપૂર્ણ છતાં પણ આ મુનિ મનપૂર્વક તેને જોતા પણ નથી.” પછી જ્યારે તે મુનિનું ધ્યાન પૂર્ણ થયું, ત્યારે તેમને નમીને ચક્રીએ પૂછ્યું કે “હે સ્વામી! હસ્તી, અશ્વ, રથ, વાજિંત્ર અને સ્ત્રીઓ વગેરે પાંચે ઇંદ્રિયોને અનુકૂળ વસ્તુઓથી યુક્ત મારું સૈન્ય આપની પાસે થઈને ગયું, તે સર્વ આપે જોયું કે નહીં?” ગુરુએ જવાબ આપ્યો કે “તમારા સેવકોએ મને પ્રણામ વગેરે કર્યા હશે, પણ હું તો પરમાત્માના ધ્યાનમાં જ ઉપયોગાસક્ત હતો, તેથી મેં તે કાંઈ પણ જોયું, સાંભળ્યું કે જાણ્યું નથી.” તે સાંભળીને ગુરુના ઉપયોગની વાંરવાર સ્તુતિ કરતો તે ચક્રી પ્રતિબોધ પામીને બોલ્યો કે “પોતાની પાસે ઇંદ્રિયોથી ગ્રહણ થાય એવા અનેક પદાર્થો રહ્યા હોય, તો પણ મનની પ્રવૃત્તિ વિના કોઈ પણ પદાર્થ ગ્રહણ થતો નથી તે સત્ય વાત છે.” તો હે શિષ્ય! પ્રાણી જે ઇંદ્રિયના ઉપયોગમાં વર્તતો હોય, તે જ ઇંદ્રિયના વિષયમાં તે તલ્લીન થાય છે, તેથી તે બીજા પદાર્થમાં લીન થઈ શકતો નથી.” શિષ્ય પ્રશ્ન કર્યો કે “હે સ્વામી! જો એક કાળે બે ક્રિયાનો ઉપયોગ ન થતો હોય તો મેં શીત ને ઉષ્ણ એક સાથે કેમ વેદી?” ગુરુ બોલ્યા કે “સમયાવલિકાદિ કાળનો જે વિભાગ કહેલો છે તે અતિ સૂક્ષ્મ છે, માટે જુદે જુદે કાળે થયેલું બે ક્રિયાનું જ્ઞાન કમળના શતપત્રના વેધની જેમ એક જ વખતે થયેલું તું માને છે. કમળના સો પત્ર ઉપરાઉપર રાખીને કોઈ બળવાન માણસ અતિ તીક્ષ્ણ સૂચી (સોય) થી તે પત્રોને વધે, તો પણ તે એક કાળે વીંધી શકશે નહીં, કેમકે કાળના ભેદે કરીને અસંખ્યાત અસંખ્યાત સમયે એક એક પત્રનો વેશ થાય છે અને ઉપરનું પત્ર વીંધાયા વિના નીચેનું પત્ર વીંધી શકાતું નથી, તો પણ એ પત્રોને વીંઘનાર માણસ એમ માનશે કે “મેં એક જ કાળે આ બઘાં પત્રો વધ્યાં છે; કેમકે કાળનો ભેદ ઘણો જ સૂક્ષ્મ હોવાથી તે જાણી શકતો નથી. વળી Jain Educભાગ ૪–૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy