SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । नैवांधतां बुद्धिविहीनतां च, ये लेखयन्त्यागमपुस्तकानि ॥१॥ ભાવાર્થ-“જે મનુષ્ય સિદ્ધાન્તનાં પુસ્તકો લખાવે છે, તેઓ દુર્ગતિને, મૂકપણાને, જડતાને, અંઘતાને અને બુદ્ધિરહિતપણાને પામતા નથી.” વળી કોઈ પ્રકારે જિનાગમનું (શ્રુતજ્ઞાનનું) કેવલજ્ઞાન કરતાં પણ અતિશયીપણું દેખાય છે. તે વિષે કહ્યું છે કે-“શ્રતના ઉપયોગમાં વર્તતા છવાસ્થ મુનિએ લાવેલો આહાર કદી અશુદ્ધ હોય તો પણ કેવળી વાપરે છે, કારણ કે તેમ ન કરે તો મૃતનું અપ્રમાણપણું થઈ જાય.” તેથી સમ્યક પ્રકારે સૂત્રાર્થના ઉપયોગ પૂર્વક નિરંતર સર્વ અનુષ્ઠાન કરવાં; ઉપયોગ વિનાની ક્રિયા દ્રવ્યક્રિયાપણાને પામે છે. જ્ઞાનની વિરાઘના કરવાથી બંઘાયેલ પાપકર્મ જ્ઞાનપંચમીનું આરાઘન કરવાથી નાશ પામે છે. કહ્યું છે કે उत्सूत्रजल्पाच्छ्रति शब्दव्यत्ययात्, क्रोधादनाभोगहठाच्च हास्यतः । बद्धानि यज्ज्ञानविराधनोद्भवात्, कर्माणि यांति श्रुतपंचमीव्रतात् ॥१॥ ભાવાર્થ-ઉત્સુત્રની પ્રરૂપણાથી, સૂત્રના અર્થ વિપરીત કરવાથી, ક્રોઘથી, અનાભોગથી, હઠથી અને હાસ્યથી જ્ઞાનની વિરાધના થવા વડે બંઘાયેલાં કર્મો જ્ઞાનપંચમીના વ્રતથી નાશ પામે છે. આનું તાત્પર્ય ગુણમંજરી અને વરદત્તના દ્રષ્ટાંતથી જાણવું. તે આ પ્રમાણે છે ગણમંજરી અને વરદત્તની કથા આ ભરતક્ષેત્રમાં પદ્મપુર નામે નગર હતું. તેમાં અજિતસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શિયળ વ્રતને ઘારણ કરનારી અતિ પ્રિય યશોમતી નામની રાણી હતી. તેને વરદત્ત નામે એક પુત્ર થયો. તે આઠ વર્ષનો થયો, એટલે તેને ભણવા માટે અધ્યાપક પાસે મોકલ્યો; ત્યાં તે હમેશાં ભણવા લાગ્યો, પણ તેના મુખમાં એક અક્ષરની પણ સ્કૂર્તિ થઈ નહીં. અનુક્રમે તે યુવાવસ્થાને પામ્યો; એટલે પૂર્વ કર્મના ઉદયથી તેને કુષ્ઠ(કોઢ)નો વ્યાધિ થયો, તેથી તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તે જ નગરમાં સાત કરોડ સોનામહોરનો અઘિપતિ સિંહદાસ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેને કપૂરતિલકા નામે પત્ની હતી. તેમની પુત્રી ગુણમંજરી બાલ્યવયથી જ રોગી અને મૂંગી હતી. તેના રોગની નિવૃત્તિને માટે શ્રેષ્ઠીએ અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વે ઊખર ભૂમિમાં વૃષ્ટિની જેમ, ખળ પુરુષના વચનની જેમ અને શર ઋતુની મેઘગર્જનાની જેમ નિષ્ફળ ગયા. તે સોળ વર્ષની થઈ તો પણ તેની સાથે કોઈએ લગ્ન કર્યા નહીં. એકદા તે નગરમાં ચાર જ્ઞાનને ઘારણ કરનાર, બારસો છત્રુ ગુણના નિધિ અને શૈર્ય વડે મેરુ પર્વતનો પણ તિરસ્કાર કરનાર એવા વિજયસેન ગુરુ પધાર્યા. વનપાળના મુખથી તેમનું આગમન સાંભળી તેને પારિતોષિક આપીને પીરજન સહિત રાજા ગુરુને વાંદવા ગયો. ગુરુને વિધિપૂર્વક વાંદી નમીને ગુરુની પાસે બેસી આ પ્રમાણે તેણે દેશના સાંભળી– क्षपयेन्नारकः कर्म, बहूभिर्वर्षकोटिभिः । यत्तदुच्छ्वासमात्रेण, ज्ञानयुक्तस्त्रिगुप्तिवान् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy