SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૭] શ્રુતનો હિતકારી અર્થ કર્તવ્ય ૨૩૯ પુષ્પના જેવી શ્વેત અને સુશોભિત દંતપંક્તિ વિકુર્યાં. તેવામાં શ્રી નેમિનાથને વાંદવા માટે કૃષ્ણવાસુદેવ સર્વ સૈન્ય સહિત નીકળ્યા. રાજમાર્ગમાં ચાલતા સૈનિકો દૂરથી જ તે શ્વાનની દુર્ગંધ આવવાથી આડે માર્ગે ચાલ્યા. વાસુદેવે તેનું કારણ પૂછ્યું, ત્યારે તેઓએ કૂતરાનું મૃતક બતાવ્યું. તે જોઈને કૃષ્ણે કહ્યું કે ‘“પુદ્ગલના નાના પ્રકારના સ્વભાવો હોય છે, તેમાં હર્ષ શોક કરવા જેવું નથી. પરંતુ જુઓ, એનું શરીર તો કૃષ્ણ વર્ણનું છે; પણ દાંત શ્વેત છે, તેથી તે મરકતમણિના ભાજનમાં ગોઠવેલી મુક્તાવળીની જેવા શોભે છે.’” તે સાંભળીને પેલા દેવતાએ વિચાર્યું કે “ખરેખર આ વાસુદેવનું સેંકડો દોષોને મૂકીને પરગુણગ્રાહીપણું સત્ય છે.’’ પછી તે દેવ બીજા ગુણની પરીક્ષા કરવા માટે વાસુદેવના અશ્વરત્નનું હરણ કરીને ભાગ્યો. તેની પાછળ સૈન્ય સહિત વાસુદેવ પણ ગયા. યુદ્ધ કરતાં દેવતાએ વાસુદેવનું સમગ્ર સૈન્ય જીતી લીધું. પછી વાસુદેવે તે દેવતાને કહ્યું કે “મારા અશ્વરત્નને તું કેમ હરી જાય છે?’’ દેવતા બોલ્યો કે “યુદ્ધમાં જીતીને તમારો અશ્વ લઈ લો.” કૃષ્ણે કહ્યું કે, “હું રથમાં બેઠો છું અને તું ભૂમિ ઉપર રહેલો છે, માટે તું મારો રથ અંગીકાર કર, જેથી આપણું સમાન યુદ્ધ થાય.’’ દેવે કહ્યું કે “મારે રથની જરૂર નથી.’’ ત્યારે વાસુદેવે હસ્તીપર તેમજ અશ્વ પર બેસીને યુદ્ધ કરવાનું કહ્યું, તે પણ તેણે અંગીકાર કર્યું નહીં. પછી બાયુદ્ધ કરવાનું કહ્યું તેનો પણ દેવતાએ નિષેધ કર્યો. ત્યારે કૃષ્ણે કહ્યું કે “ત્યારે તારે કયા યુદ્ધથી યુદ્ધ કરવું છે?” દેવતાએ કહ્યું કે “આપણે ભાંડ લોકોની જેવા હલકા યુદ્ધથી યુદ્ધ કરીએ.” તે સાંભળીને કૃષ્ણે કહ્યું કે ‘હું એવા નીચ યુદ્ધથી યુદ્ધ નહીં કરું. મારા અશ્વરત્નને તું સુખેથી લઈ જા.’ "" આ પ્રમાણે વાસુદેવનું સાહસ જોઈને તે દેવ સંતુષ્ટ થયો, અને ઇંદ્રે કરેલી પ્રશંસાનો વિશ્વાસ બેઠો. પછી તેણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને વાસુદેવને કહ્યું કે “દેવદર્શન નિષ્ફળ હોય નહીં, માટે કાંઈક વરદાન માગો.’’ વાસુદેવે માગ્યું કે ‘‘ઉપદ્રવને શાંત કરનારી ભેરી મને આપો.’ ત્યારે દેવે ચંદનની એક ભેરી આપીને તેનું ફળ કહ્યું કે ‘‘આ ભેરીનો શબ્દ જે કોઈ સાંભળશે તેના છ માસના થયેલા ને થવાના જ્વરાદિક રોગો નાશ પામશે. તેથી છ છ માસે ફરીથી વગાડવી, એટલે પ્રથમ નહીં સાંભળેલા માણસોના ઉત્પન્ન થયેલા સર્વ રોગો પણ નાશ પામશે.' પછી તે ભેરી કૃષ્ણે છ છ માસે વગડાવવા માંડી. એકદા કોઈ એક દાહજ્વરથી પીડા પામતો વણિક ભેરીના રક્ષક પાસે આવ્યો અને તેને કહ્યું કે ‘‘હું તને એક લક્ષ રૂપિયા આપું, અને તું મને આ ભેરી કાપીને તેનો એક કકડો આપ; કેમકે જે વખતે ભેરી વાગી, તે વખતે હું હાજર નહોતો અને હવે તો રાજાની આજ્ઞાથી છ માસે વાગશે તેટલા વખત સુધી હું દુઃખ સહન કરી શકું તેમ નથી, માટે મને એક કકડો આપ.’’ તે સાંભળીને ભેરીના રક્ષકે લોભાધીન થઈને એક કકડો કાપી આપ્યો, અને તેને સ્થાને બીજા ચંદનથી થીંગડું દીધું. એવી રીતે બીજાઓને પણ લોભને વશ થઈને તે કકડાઓ આપવા લાગ્યો, અને તેને સ્થાને બીજા થીંગડાં દેવા લાગ્યો; તેથી તે ભેરી કંથારૂપ થઈ ગઈ. પછી છ માસ પૂર્ણ થયા ત્યારે કૃષ્ણે તે ૧ મરકતમણિ કૃષ્ણ વર્ણના હોય છે. ૨ અહીં ‘ાિળયુક્રેન પૂતયાતૈઃ યુદ્ધવઃ' એવો પાઠ છે તેનો અર્થ બરાબર લાગતો નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy