SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૭]. શ્રતનો હિતકારી અર્થ કર્તવ્ય ૨૩૭ જાણી લેવી. તેમાં જૈનધર્મી કોઈ આવેલ ન હોવાથી રાજાએ મંત્રીને કહ્યું કે “આમાં જૈનધર્મી કોઈ આવેલ નથી” તે સાંભળીને મંત્રીએ વિચાર્યું કે” “જૈનઘર્મી પણ સર્વે આવા જ હશે એમ રાજાનું માનવું થશે, માટે કોઈ સાધુ અહીંથી નીકળે તો બોલાવું.” એમ વિચાર કરે છે, તેટલામાં કોઈ ક્ષુલ્લક સાધુ ભિક્ષા માટે તે તરફ નીકળ્યા, તેને મંત્રી સભામાં તેડી લાવ્યો. તે ક્ષુલ્લક મુનિ રાજાએ કહેલું ચોથું પદ સાંભળીને બોલ્યા કે__खंतस्स दंतस्स जिइंदिअस्स, अप्पप्पउगे गयमाणसस्स । किं मज्झ एएण विचिंतिएणं, सकुंडलं वा वदनं न वेति ॥४॥ ભાવાર્થ-“ક્ષમાવાન, દાંત, જિતેન્દ્રિય અને જેનું મન અધ્યાત્મના ચિંતવનમાં લીન થયેલું છે એવા મારે “આ મુખ કુંડલ સહિત છે કે નહીં?” એવા વિચાર કરીને શું? અર્થાત્ એવો વિચાર શા માટે કરવો જોઈએ?” આ ગાથામાં કુંડળના અજ્ઞાનપણામાં ક્ષાંત્યાદિકનું કારણ બતાવ્યું છે પણ ચિત્તની વ્યાકુળતા બતાવી નથી; તેથી ગાથામાં ક્ષાંતિ, દમ, જિતેન્દ્રિયતા અને અધ્યાત્મ યોગઅધિગતા કારણરૂપે કહેલ હોવાથી રાજાને ઘર્મ પૂછવાનો ઉલ્લાસ થયો; તેથી તેણે ઘર્મ સંબંધી પ્રશ્ન કર્યો કે તરત જ ક્ષુલ્લકે પ્રથમથી જ પોતાની પાસે રાખેલા આર્ટ્સ તથા શુષ્ક એવા માટીના બે ગોળા ભીંત ઉપર ફેંક્યા અને ત્યાંથી ચાલવા માંડ્યું. તેને જતાં જોઈને રાજાએ પૂછ્યું કે “હે પૂજ્ય! આ શું? મેં ઘર્મ સંબંધી પ્રશ્ન કર્યો, તેનો ઉત્તર કેમ આપતા નથી?” મુનિ બોલ્યા કે “હે મુગ્ધ! શુષ્ક તથા આર્ટ્સ એવા બે ગોળાના દ્રષ્ટાંતથી જ તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો છે, તો પણ તે સ્કુટ કરું છું તે સાંભળો उल्लो सुक्को अ दो छुट्टा, गोलया मट्टिआमया । કોવિય ભાવિય વડે, નો સટ્ટો તથ તાગ II ભાવાર્થ-“સૂકો અને આદ્ર એવા બે માટીના ગોળા ફેંક્યા, તે ભીંત સાથે અફળાતાં તેમાં જે આર્દ્ર હતો તે ત્યાં ચોંટ્યો.” આ ગાથાનો ઉપનય એવો છે કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવામાં વ્યગ્ર થયેલો આત્મા બાહ્યાત્મા વડે કામિનીના મુખાદિક જોઈ શકતો નથી, અને તેવા ધ્યાનથી જેનો આત્મા બહિર્મુખ હોય તે જોઈ શકે છે. જે કામાંધ પુરુષો છે તે સાઢું છે અને સાર્દુ હોવાથી કર્મરૂપી પંકમાં ચોંટી જાય છે, અર્થાત્ કર્મરૂપી કાદવથી તે ખરડાય છે; અને જેઓ શાંતિ વગેરે ગુણોને ઘારણ કરનારા તેમજ સંસારના ક્ષણિક સુખથી પરાભુખ સૂકા કાષ્ઠ જેવા મુનિઓ છે તેઓ શુષ્ક ગોળાની જેમ કોઈ પણ સ્થાને વળગતા નથી, અર્થાત્ તેને કર્મ પણ ચોંટતાં નથી. एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा ।। विरताओ न लग्गंति, जहा से सुक्कगोलए ॥२॥ ભાવાર્થ-“એ પ્રમાણે કામમાં લુબ્ધ અને દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જ્યાં ત્યાં વળગે છે, પણ સર્વથી વિરતિ પામેલા તો શુષ્ક ગોળાની જેમ કોઈ પણ સ્થાને વળગતા નથી.” जह खलु कुसिरं कटुं, सुचिरं सुक्कं लहु डहइ अग्गी । तह खलु खवंति कम्मं, सम्मं चरणट्टिया साहू॥३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy