SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૭] શ્રુતનો હિતકારી અર્થ કર્તવ્ય ૨૩૫ મહિમાવાળું અને સમગ્ર લોકોના ઇચ્છિત અર્થને પૂર્ણ કરનારું સ્તંભન નામે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું તીર્થ થયું. પછી અનુક્રમે દેવનાં વચનથી ‘તે પ્રતિમા અહીં છે’ એમ જાણીને “નતિદુબળ વર્Üવવ॰' ઇત્યાદિ કાવ્યો વડે મેં તેની સ્તુતિ કરી, એટલે તે પ્રતિમા પ્રગટ થઈ છે. પ્રથમ આ પ્રતિમા કોણે ભરાવી છે તે સાંભળ્યું નથી.’’ આ પ્રમાણે શ્રી અભયદેવસૂરિએ કહેલો મહિમા સાંભળીને શ્રી સંઘે તે જ સ્થાને પ્રાસાદ કરાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. સર્વ લોકો ત્યાં મોટા મોટા મહોત્સવો કરવા લાગ્યા. પછી જ્યારે સંવત ૧૩૬૮ ની સાલમાં દુષ્ટ મ્લેચ્છોએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો ત્યારે વર્તમાન સ્તંભતીર્થનું સ્થાપન થયું છે. અત્યારે તે પ્રતિમા સ્તંભતીર્થ બંદરે (ખંભાતમાં) વિદ્યમાન છે. પ્રથમ શીલાંકાચાર્યે પહેલા બે અંગની વૃત્તિ કરી હતી. ત્યાર પછીના નવ અંગની ટીકા શ્રી અભયદેવસૂરિએ શાસનદેવીનાં વચનથી પોતાની મતિકલ્પનાનો ઉપયોગ કર્યા સિવાય કરી છે. ત્યાર પછી સંવત ૧૧૩૫ માં શ્રી અભયદેવસૂરિ સ્વર્ગે ગયા છે. કેટલાક ૧૧૩૯ ના સંવતમાં સ્વર્ગે ગયાનું કહે છે. “સ્થાનાંગસૂત્ર વગેરે નવ અંગની ટીકા કરનારા શ્રી અભયદેવસૂરિ થયા. તે આઠમા આચારને પાળનારા શ્રી અભયદેવસૂરિને શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્વામીએ નવાંગ આપ્યા છે, અર્થાત્ તે પ્રભુના પ્રસાદથી જ તેની ટીકા રચવાને તે ભાગ્યશાળી થયા છે.’’ વ્યાખ્યાન ૨૬૭ શ્રુતનો હિતકારી અર્થ કર્તવ્ય હવે શુભાશુભ શ્રુતનો સમ્યગ્ અર્થ કરવા વિષે કહે છે– अप्रशस्तं प्रशस्तं वा, शास्त्रं यत्समुपागतम् । प्रशस्तार्थे प्रयोक्तव्यं, मौनीन्द्रागमवेत्तृभिः ॥ १ ॥ ભાવાર્થ “અપ્રશસ્ત (અશુભ) અથવા પ્રશસ્ત (શુભ) ગમે તેવું શાસ્ત્ર પ્રાપ્ત થાય, તો પણ તેની જિનાગમને જાણનારા પંડિતોએ પ્રશસ્ત અર્થમાં જ યોજના કરવી, અર્થાત્ તેનો તે અર્થ જ કરવો.” પ્રશસ્ત શ્રુત એટલે સ્યાદ્વાદથી લાંછિત—સ્યાદ્વાદયુક્ત શાસ્ત્ર, અને અપ્રશસ્ત એટલે શૃંગારાદિક શાસ્ત્ર. તે સર્વ શાસ્ત્રને પ્રશસ્ત અર્થમાં—અનેકાંત પક્ષવાળા અર્થમાં વૈરાગ્યોત્પાદક અર્થમાં જોડી દેવા. ક્ષુલ્લક મુનિનું દૃષ્ટાંત ચંપાનગરીમાં સિંહસેન રાજા રાજ્ય કરતો હતો. તેને રાગુપ્ત નામે જૈનધર્મી મંત્રી હતો. એકદા રાજાએ સભામાં બેસીને ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો અર્થાત્ ધર્મવિચાર પૂછ્યો કે ‘ખરો ધર્મ શું છે?” તે વખતે જેઓને જે ધર્મ અભિમત હતો, તેઓ તે ધર્મનું પ્રતિપાદન કરવા લાગ્યા. તેમાં કેટલાક એકાંત હિંસાએ કરીને, કેટલાક એકાંત અહિંસાએ કરીને, કેટલાક આત્મારામને પીડા નહીં આપતાં યથેચ્છ ભોગાદિકે કરીને અને કેટલાક તદ્દન નિઃસ્પૃહતાએ કરીને, ઇત્યાદિ પોતપોતાની મતિકલ્પનાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy