SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૮ સ્થાન નિશ્ચિત જાણજો.” આ પ્રમાણે કહીને ઘરણેન્દ્ર અદ્રશ્ય થયા. પછી પ્રાતઃકાળે અભયદેવસૂરિ સંઘ સહિત સેઢી નદીને કાંઠે આવ્યા. ત્યાં ગાયને દૂઘ ઝરતી જોઈને ગોવાળના બાળકોએ બતાવેલી ભૂમિ પાસે પ્રતિમાના સ્થાનનો નિશ્ચય થવાથી સૂરિએ પાર્શ્વપ્રભુની સ્તુતિને માટે નવીન સ્તોત્ર રચવા માંડ્યું, તેનાં બત્રીશ કાવ્ય કહ્યા પછી તેત્રીશમું કાવ્ય કહેતાં તરત જ શ્રી પાર્શ્વનાથનું બિંબ પ્રગટ થયું. તે તેત્રીશમું કાવ્ય સૂરિએ દેવતાના આદેશથી ગોપવી દીધું છે. તે પ્રતિમાના દર્શન માત્રથી જ સર્વ વ્યાધિઓ મૂળથી નાશ પામી. પછી શ્રી સંઘે ગુરુને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી, ત્યારે ગુરુએ કહ્યું કે “પૂર્વે શ્રી વરુણદેવે અગિયાર લાખ વર્ષ સુધી આ પ્રતિમાનું પૂજન કર્યું હતું. ત્યાર પછી* (...) વર્ષ સુધી રામચંદ્ર તેને પૂજી; ત્યાર પછી એંશી હજાર વર્ષ સુધી તક્ષક નાગે તેની પૂજા કરી, ત્યાર પછી ઘણા કાળ સુઘી સૌઘર્મેન્દ્ર પૂજી, ત્યાર પછી દ્વારિકાનગરીમાં કૃષ્ણ વાસુદેવે શ્રી નેમિનાથના મુખથી મોટા અતિશયવાળી તે પ્રતિમાની કથા સાંભળીને મોટા પ્રાસાદમાં તેનું સ્થાપન કરીને પૂજા કરી. દ્વારિકાનો દાહ થયા પછી તે નગરીને સમુદ્ર ડુબાવી દીધી, એટલે પ્રતિમા તેવી જ સ્થિતિમાં સમુદ્ર મધ્યે રહી. ત્યાર પછી કેટલેક કાળે કાંતિનગરીનો નિવાસી ઘનપતિ નામનો શ્રેષ્ઠી ત્યાંથી જતો હતો તેવામાં તેનાં વહાણો દેવતાના અતિશયથી અલિત થયાં; તેથી શ્રેષ્ઠી વિચારમાં પડ્યો. તેવામાં આકાશવાણીથી “અહીં જિનેશ્વરની પ્રતિમા છે” એમ તેણે જાણ્યું. પછી શ્રેષ્ઠીના નિર્દેશથી ખલાસીઓએ સમુદ્રમાં સૂતર નાખીને સાત કાચા તાંતણાથી તે પ્રતિમાને બાંધીને બહાર કાઢી. પછી તેને કાંતિનગરીમાં લઈ જઈને શ્રેષ્ઠીએ મોટા પ્રાસાદમાં સ્થાપી. તે પ્રાસાદમાં તે પ્રતિમા બે હજાર વર્ષ રહી. ઢંકપુરમાં રાજાની પુત્રી ભોપલદેવી અદ્ભુત સ્વરૂપવાન હતી. તેના પર આસક્ત થઈને વાસુકી દેવતા તેને ભોગવવા લાગ્યો. તેનાથી નાગાર્જુન નામે પુત્ર થયો. તેના પરના વાત્સલ્યથી તે નાગેઢે સર્વ મહૌષધિઓનાં ફળ મૂળ અને પાંદડાં તેને ખવરાવ્યાં. તેના પ્રભાવથી તે સિદ્ધપુરુષ થઈને શાલિવાહન રાજાનો ગુરુ થયો. પછી શ્રી પાદલિપ્તસૂરિના પ્રસાદથી તે નાગાર્જુન આકાશગામી વિદ્યા પામીને રસને સિદ્ધ કરવા ઉત્સુક થયો. તેને માટે તેણે અનેક ઉપાયો કર્યા, પણ રસ બંધાયો નહીં; તેથી તેણે ગુરુને તેનો ઉપાય પૂછ્યો. ગુરુએ કહ્યું કે “મહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પાસે તે પ્રતિમાની દ્રષ્ટિએ સર્વ લક્ષણવાળી સતી સ્ત્રી તે રસનું મર્દન કરે તો તે રસ સ્થિર થઈને કોટીવેથી થાય.” તે સાંભળીને નાગાર્જુને પોતાના પિતા વાસુકીનું ધ્યાન ઘરીને તેને બોલાવ્યો. પછી તેના પૂછવાથી વાસુકીએ કહ્યું કે “કાંતિનગરીમાં અતિ મહિમાવાળી પ્રાચીન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે.” નાગાર્જુને કાંતિનગરીથી તે પ્રતિમાનું હરણ કરીને સેઢી નદીને કાંઠે એકાંતમાં લાવીને તેને સ્થાપી. પછી તેની પાસે રસ સાઘન કરવા માટે શાલિવાહન રાજાની પતિવ્રતા સ્ત્રી ચંદ્રલેખાને હમેશાં રાત્રે સિદ્ધ થયેલા વ્યંતર મારફત મંગાવીને તે ચંદ્રલેખા પાસે રસનું મર્દન કરાવવા લાગ્યો. છ માસે તે રસ સ્થિર થયો. તે ઠેકાણે રસ કરતાં પણ અધિક ૧. આ સ્તોત્ર “ગતિગા' નામે પ્રસિદ્ધ છે. ૨. ગતિમાની ટીકાની પીઠિકામાં ૩૨ માંથી છેલ્લાં બે કાવ્ય ગોપવ્યાની હકીકત છે કે અત્યારે ૩૦ કાવ્ય જ વર્તે છે. * નવાદરવાનું કાવતું એવો અહીં પાઠ છે તે અશુદ્ધ જણાવાથી કેટલા વર્ષ તે લખી શકાયું નથી. ૩. સાતવાહન એવું પણ તેનું બીજું નામ હતું. ૪. સ્વર્ણસિદ્ધિ રસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy