SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ વગેરેને અનુસાર સર્વ પંડિતો માન્ય કરે એવો નવીન અર્થ કર્યો. તે સાંભળીને નમ્રતાપૂર્વક તે શ્રાવક બોલ્યો કે-“હે સ્વામી! આપની બુદ્ધિને ઘન્ય છે, કે જેથી આપે આવો નવીન અર્થ કર્યો, પરંતુ કાલે તેનો મૂળ અર્થ પ્રકાશીને મારા આત્માને કૃતાર્થ કરજો.” એમ કહી ગુરુને વાંદીને તે પોતાને કામે ગયો. બીજે દિવસે આવીને તે જ ગાથાનો મૂળ અર્થ તેણે પૂછો, ત્યારે સૂરિએ મનમાં વિચાર્યું કે–“મૂળ અર્થમાં બતાવેલી પ્રવૃત્તિનો વ્યવહાર મારે વિષે બાહ્યથી પણ શુદ્ધ નથી, તો અંતવૃત્તિથી તો ક્યાંથી જ હોય? માટે તેમાં બતાવેલા અર્થની શુદ્ધ પ્રવૃત્તિ વિના તે અર્થનું વર્ણન કરવું શોભે નહીં; તેમ તે મૂળ અર્થમાં દોષ આપવો, તે પણ યોગ્ય નહીં.” એમ વિચારીને તેણે તે દિવસે પણ બીજો નવીન અર્થ શબ્દપર્યાયને અનુસાર કર્યો. તે સાંભળીને પેલો શ્રાવક પણ તે જ રીતે પ્રશંસા કરીને ગયો. ત્રીજે દિવસે પણ શ્રાવકે જઈને તે જ ગાથાનો મૂળ અર્થ પૂછ્યો; ત્યારે સૂરિએ કોઈ વખત નહીં સાંભળેલો એવો કોઈ નવીન અર્થ કર્યો. એ પ્રમાણે છ માસ સુધી નવા નવા અર્થ કરવામાં તત્પર રહેલા સૂરિનો અક્ષય જ્ઞાનભંડાર જાણીને તે શ્રાવકે ગુરુને વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામી! જેમ ગંગાનદીની રેતીના કણિયા ગણવામાં અનંતજ્ઞાની વિના બીજા કોઈની શક્તિ નથી, તેવી જ રીતે આપના ગુણનું વર્ણન કરવામાં પણ મારા જેવો કોઈ પણ માણસ સમર્થ નથી. હે ગુરુ! ઘી વેચીને ઉપાર્જન કરેલું સર્વ ઘન આજે સમાપ્ત થઈ રહ્યું છે, તેમજ આજે નવું કાર્ય પણ આવ્યું છે તેથી હવે હું મારે ઘેર જઈશ; પરંતુ મારા મનમાં આટલી જ વાત ખટકે છે કે-આપના જેવા ગીતાર્થ ગુરુ પાસેથી પણ જો તે ગાથાનો યથાર્થ અર્થ મને પ્રાપ્ત ન થયો તો પછી તે અર્થ મને બીજે ક્યાંથી પ્રાપ્ત થશે? નહીં જ થાય.” ત્યારે સૂરિ બોલ્યા કે “તારે કાલે સવારે અહીં અવશ્ય આવવું.” તે સાંભળીને તેને હર્ષ થયો, અને તે પોતાને ઉતારે ગયો. પછી સૂરિએ વિચાર કર્યો કે “વિષયો જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ આત્મા તેનો વઘારે વઘારે લોભ કરે છે; પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે “મુવત્તા શ્રિય: રાહુધા તતઃ વિ' જો લક્ષ્મીનો ત્યાગ કર્યો, તો પછી કામદુઘાનું શું કામ છે? ઇત્યાદિ ભાવના ભાવીને સૂરિએ મુક્તાફળ વગેરે એકઠું કરેલું સર્વ ઘન તજી દીધું અને દ્રવ્ય તથા ભાવ વડે પ્રથમના સૂરિ જેવા થઈને પોતાના આત્માને તારવા માટે ત્રણ રત્નને અંગીકાર કરીને રહ્યા. પછી પ્રાતઃકાળે તે શ્રાવક આવ્યો; ત્યારે તેણે સમસ્ત પાપને જેણે દૂર કર્યા છે, તથા જેણે અપૂર્વ સંયમગુણ ઘારણ કર્યો છે એવા સૂરિને જોઈને તેમની ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રણામપૂર્વક સ્તુતિ કરીને તે બોલ્યો કે “હે સ્વામી! આજે હું આપના દર્શનથી જ તે ગાથાનો મૂળ અર્થ સમજી ગયો. આપના સઘળા અવયવોમાં તે અર્થ સ્પષ્ટ દેખાય છે. અહો! આપની યોગ્યતા લોકોત્તર છે. આપે “મૂળ સ્વરૂપે થઈને જ મૂળ અર્થનો હું પ્રકાશ કરીશ એવી પ્રતિજ્ઞાને સારી રીતે પાળી છે. મારા મનોરથ પૂર્ણ કરવાથી મારો ભવ આપે સફળ કર્યો છે. વળી આપની ક્ષમા પણ અકલિત છે; કેમકે છ મહિના પર્યત એક ને એક ગાથાનો અર્થ પૂણ્યા છતાં કોઈ વખત પણ આપે કોપનો આવેશ માત્ર પણ કર્યો નથી. ઊલટો જ્યારે જ્યારે હું પ્રશ્ન કરતો ત્યારે ત્યારે સુઘાદ્રષ્ટિની વૃષ્ટિથી મને પવિત્ર કર્યો છે.” આ પ્રમાણે સૂરિની સ્તુતિ કરીને તેણે ફરીને વંદના કરી. પછી સૂરિએ તે ગાથાનો મૂળ અર્થ કહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy