SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ " [સ્તંભ ૧૮ પંડિત પાસે ભણવા મોકલ્યો. તે નંદન જાતિએ ભરડો હોવાથી અત્યંત મૂર્ખ હતો, તેથી ત્રણ વર્ષે માત્ર તે બારાક્ષરી ભણ્યો. પછી “આ નંદન વેદમાતા ભણ્યો છે” એમ કહીને તે પંડિતે ભરડાઓને પાછો સોંપ્યો. તે મહાજડ ભરડાઓ પણ “આ નંદન વેદમાતા ભણ્યો છે' એમ માનીને તેને બહુ માનવા લાગ્યા. વઘારે શું કહેવું! પણ જે કાંઈ નંદન બોલતો તે કામ વિચાર કર્યા વિના જ સર્વ ભરડાઓ કરતા હતા. એકદા રાત્રિએ સમગ્ર ગામ અગ્નિથી બળી ગયું. તે વખતે એક ઘર પાસેના વૃક્ષ નીચે બળેલા કાગડાઓ પડ્યા હતા તે જોઈને તેઓએ નંદન પંડિતને પૂછ્યું કે “આ બળી ગયેલા કાગડા ખવાય કે નહીં?” ત્યારે નંદન બોલ્યો કે “વેદમાતામાં (#) એટલે કાગડા અને (g) એટલે ખાવા લાયક છે એમ કહ્યું છે તેથી એને જલદીથી ખાઈ જાઓ.” તે સાંભળીને તેઓ સર્વે ખાવાને તૈયાર થયા. તેવામાં કોઈ પરદેશી પંડિતે તેમને જોયા અને પૂછ્યું કે “આ શું કરો છો?” ત્યારે તેઓએ નંદનનું કહેલું કહી આપ્યું. તે સાંભળીને “અહો! આ મહા મૂર્ખાઓ છે.' એમ માનીને તેણે નંદનને પૂછ્યું કે હે ભરડા! આવું અયોગ્ય કાર્ય કેમ કરે છે?” ત્યારે નંદન વેદમાતામાં કહેલા વાક્યર્થને પોતાની બુદ્ધિથી કલ્પના કરીને બોલ્યો કે “” એટલે કાગડા, “a” એટલે ખાવા યોગ્ય, ' એટલે ગણ (સમૂહ), “ઘ' એટલે ઘણા પુષ્ટ થયેલા. આ પ્રમાણે અનેક પાપકારી શબ્દોથી દૂષણ પામેલાં તેનાં વચનો સાંભળીને તે પંડિતનું હૃદય દયાર્દૂ થયું. તેથી તેણે કહ્યું કે-“હે નંદન! દયાઘર્મની નિંદા કરીને આવા અનર્થો કેમ કરે છે? વેદ માતાનો અર્થ તે બરાબર ઘારણ કર્યો નથી. માટે હું તે અર્થ બતાવું છું તે સાંભળ-તથ” એટલે તળેવ તે જ પ્રમાણે સત્ય છે. “ધ” એટલે દડ્યાઃ કાકા (બળેલા કાગડાઓ). “ર' એટલે ન ભક્ષણીયા (ભક્ષણ ન કરવા). આ પ્રમાણેના સત્ય અર્થ છોડીને પોતાની કલ્પનાથી અનર્થનું જલ્પન કરવું યોગ્ય નથી.” ઇત્યાદિ યુક્તિથી પ્રતિબોઘ પામેલા તે ભરડાઓ અયોગ્ય કાર્યથી નિવૃત્ત થયા અને સર્વેએ તે પરોપકારી પંડિતનો ઉપકાર માન્યો તેમજ તેની પૂજા કરી. કહ્યું છે કે यो यथात्र समुपैति बोधं, तं तथैव हि नयेद्विबोधम् । यत्कखेति वचनाद्विकभक्षी, बोधितस्तथदधेति न वाक्यात् ॥१॥ ભાવાર્થ-“જે માણસ જે પ્રમાણે બોઘ પામે તેમ હોય તે માણસને તે જ રીતે બોઘ પમાડવો. કેમકે “ક ખ” ના વચનથી કાગડાને ખાવા તૈયાર થયેલા તે ‘ત થ દ ઘ ન” ના વચનથી બોઘ પામ્યા.” આ દ્રષ્ટાંતમાં નંદને કરેલો અર્થ તજવા યોગ્ય છે, અને પંડિતે કરેલો અર્થ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ સમજવું. ડાહ્યો માણસ શુદ્ધ અર્થ ગ્રહણ કરવા માટે સારી રીતે પ્રયત્ન કરે છે તે વિષે કહે છે यथार्थं श्रोतुं समीहा, भृशं कार्या दृढादरैः । श्रमणोपासकैर्नित्यं, सुज्ञे गुरावुपागते ॥१॥ ભાવાર્થ-“જ્ઞાની ગુરુની જોગવાઈ થાય ત્યારે અતિ આદરવાળા શ્રાવકોએ હમેશાં શુદ્ધ અર્થ સાંભળવા માટે અત્યંત ઇચ્છા રાખવી.” તે ઉપર કુંડલીક શ્રાવકનું દ્રષ્ટાંત કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy