SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ વળી અશુદ્ધ ઉચ્ચાર કરવાથી એટલે “સ'ને સ્થાનકે “શ” વગેરે બોલવાથી પણ પાંડિત્યપણું પમાતું નથી, તે ઉપર દૃષ્ટાંત કહે છે અશુદ્ધ ઉચ્ચાર કરવા ઉપર બ્રાહ્મણની કથા કોઈ એક વિદ્વાન બ્રાહ્મણ કાશીથી નીકળીને કોઈ નાના ગામમાં આવ્યો. ત્યાં લોકોના મુખથી તે ગામના રહીશ કોઈ બ્રાહ્મણની પ્રશંસા સાંભળીને તે વિદ્વાન વાદ કરવા માટે તેને ઘેર ગયો. તે બ્રાહ્મણ પણ મોટા આડંબરથી લોકમાં પોતાનું પાંડિત્ય બતાવનારો હતો. તેથી નવીન વિદ્વાનને આવતો જોઈને મોટા શબદથી બોલ્યો કે “હે બ્રાહ્મણ! શા નિમિત્તે તમે આ ગામમાં આવ્યા છો? જો તમારે કાંઈ “શંદેહ હોય તો તે ખુશીથી પૂછો.” તે સાંભળીને પેલા મહા પંડિતે વિચાર્યું કે-“અહો! આ કુત્સિત પંડિત શબ્દની શુદ્ધિ (શુદ્ધ ઉચ્ચાર) વિના દેડકાની જેમ બરાડા મારે છે, માટે તેને કાંઈક ઉપદેશ આપું.” એમ વિચારીને તે બોલ્યો કે शंदेहोऽस्ति त्वया प्रोक्तः, संदेहा बहवोऽभवन । ते सर्वे विलयं जग्मुः, किमन्यद्वच्मि ते जड ॥१॥ ભાવાર્થ-બહે જડ! મને ઘણા સંદેહ હતા, પણ તું સંદેહને ઠેકાણે શંદેહ બોલ્યો. તે સાંભળી મારા સર્વ સંદેહો નષ્ટ થઈ ગયા; બીજું તને શું કહું!” આ દ્રષ્ટાંત સાંભળીને કંઠ, ઓદ્ય વગેરે દરેક વર્ગના સ્થાનને અનુસરીને જ વ્યંજનનો ઉચ્ચાર કરવો. “વર્ણને ન્યૂનાધિક કરીને સૂત્રનો પાઠ કરવાથી અર્થ ક્રિયાનો ભેદ અવશ્ય થાય છે, માટે ગુરુની સેવા કરીને તેમની પાસેથી સિદ્ધાંતના પાઠનો શુદ્ધ ઉચ્ચાર શીખવો.” વ્યાખ્યાન ૨૫ જ્ઞાનાચારનો સાતમો ભેદ–અર્થાનિત્સવ હવે અર્થાનિદ્ભવ નામના સાતમા આચાર વિષે કહે છે– शब्दार्थानामलोपाल, आचारः सप्तमः शुभः । तल्लोपेन महत्पापं, पुण्यं वर्यं तदाश्रयात् ॥४॥ ભાવાર્થ-“શબ્દના અર્થનો લોપ ન કરવો, તે નામનો સાતમો આચાર શુભ છે. અર્થનો લોપ કરવાથી મોટું પાપ લાગે છે, અને અર્થનો આશ્રય કરવાથી શ્રેષ્ઠ પુણ્ય થાય છે.” શબ્દના અર્થના અનિદ્વવ (લોપ ન કરવો તે) ઉપર શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત છે. તે આચારનો લોપ કરવાથી વચન વડે ન કહી શકાય તેવું મોટું પાપ લાગે છે. તે ઉપર બારાક્ષરીને ભણનારા ભરડાનું દ્રષ્ટાંત છે, અને તે આચારનો આશ્રય કરવાથી શ્રેષ્ઠ પુણ્ય થાય છે, તે ઉપર પણ ભરડાનું દ્રષ્ટાંત છે તે દ્રષ્ટાંતો કહે છે શ્રી હેમચંદ્રસૂરિનું દ્રષ્ટાંત અણહિલ્લપુર પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરતા હતા. તે વખતે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાંડવચરિત્ર વાંચતા હતા. તે ચરિત્ર સાંભળીને કેટલાક દુર્જનોએ રાજા પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy