SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ વ્યાખ્યાન ૨૬૪] જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદ-વ્યંજનાનિલવ स उवाच तवैवास्मि, कुणालो नाम नंदनः । ત્યાજ્ઞાનેનલિત્વી, ચોંsઘસ્વયમનાયેત ારા ભાવાર્થ-“હું આપનો જ કુણાલ નામનો પુત્ર છું કે જે આપનો આજ્ઞાપત્ર જોઈને જાતે જ અંઘ થયો છે.” તે સાંભળીને જવનિકાને એકદમ દૂર કરીને પોતાના પુત્રને ઓળખીને નેત્રથી અશ્રપાત કરતો તેને ભેટી પડ્યો. પછી રાજાએ કહ્યું કે “હે પુત્ર! હું તને શું આપું?” તે બોલ્યો કે “હે સ્વામી! હું કાકિણી માગું છું. તેનો અર્થ નહીં સમજાયાથી રાજાએ મંત્રીને પૂછ્યું કે “આ શું માગે છે?” મંત્રીએ કહ્યું કે “હે સ્વામી! રાજપુત્રોને કાકિણી શબ્દ કરીને રાજ્ય કહેવાય છે.” ત્યારે રાજાએ પુત્રને કહ્યું કે હે વત્સ! તું રાજ્યને શું કરીશ? દૈવયોગે તારાં નેત્ર નાશ પામ્યાં છે તેથી તને તે યોગ્ય નથી.” ત્યારે તે કુમારે રાજાને વિનંતિ કરી કે હે પિતા! મારે પુત્ર થયો છે, તેનો રાજ્ય પર અભિષેક કરો.” રાજાએ પૂછ્યું કે “તારે ક્યારે પુત્ર થયો છે?” તે બોલ્યો કે “હે સ્વામી! સંપ્રતિ (હમણાં) જ થયો છે.” પછી રાજાએ તે બાળકને મંગાવીને પોતાના ખોળામાં બેસાડ્યો અને તેનું “સંપ્રતિ” નામ રાખ્યું. પછી પોતાના રાજ્ય પર તેને બેસાડ્યો. અનુક્રમે સંપ્રતિ રાજા વય, વિક્રમ અને લક્ષ્મીથી વૃદ્ધિ પામ્યો. તે જન્મથી જ પરમ શ્રાવક હતો અને તેણે દક્ષિણ ભરતાર્થ સાધ્યું હતું. આ દ્રષ્ટાંત સાંભળીને શ્રી સિદ્ધાંતના વાક્યમાં અથવા પદમાં કોઈ પણ વખત વર્ણનું આર્થિક્ય કરવું નહીં. કોઈ વખત વર્ણનું અધિકપણું કરવાથી તે શ્રેય કરનારું પણ થાય છે, તે વિષે પાદલિપ્ત સૂરિનું દ્રષ્ટાંત પ્રથમ કહી ગયા છીએ, માટે તે ફરીને અહીં લખતા નથી. હવે વર્ણને ન્યૂન કરવાથી પણ મોટો દોષ પ્રાપ્ત થાય છે, અને વિદ્યાઘરની જેમ ચિંતવેલું ફળ પ્રાપ્ત થતું નથી. તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે– વિધાધરનું દ્રષ્ટાંત રાજગૃહ નગરમાં એકદા શ્રી મહાવીર સ્વામીને વાંચવા માટે શ્રેણિક રાજા જતા હતા. તેવામાં માર્ગમાં એક વિદ્યાઘરને આકાશમાં ઊડી ઊડીને પડતો જોયો. તેથી વિસ્મય પામીને રાજાએ શ્રી વિર ભગવાન પાસે જઈ પૂછ્યું કે “હે પ્રભુ! આ વિદ્યાઘર અધૂરી પાંખો આવેલા પક્ષીની જેમ આકાશમાં થોડેક ઊડે છે અને પાછો પૃથ્વી પર પડે છે, તેનું શું કારણ?” ભગવાને કહ્યું કે “તે વિદ્યાઘર વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે, માટે તેમ થાય છે. તે સાંભળીને અભયકુમારે તે વિદ્યાઘર પાસે જઈને કહ્યું કે “હે વિદ્યાઘર! જો તું મને તારી પાસેની સઘળી વિદ્યા સિદ્ધ કરાવે, તો હું તારી વિદ્યાનો ભૂલી ગયેલો અક્ષર તને બતાવું.” વિદ્યાઘરે તેનું કહેવું કબૂલ કર્યું. અભયકુમારને એક પદ ઉપરથી અનેક પદ તર્ક કરીને કહેવાની શક્તિ હતી. કેમકે તેની બુદ્ધિ પદાનુસારિણી હતી. તેથી તેની વિદ્યામાં વિમૃત થયેલા અક્ષરો પૂર્ણ કર્યા. તેને બરાબર પૂર્ણ થયેલા જાણીને તે વિદ્યાઘર હર્ષ પામ્યો. પછી તેણે અભયકુમારને વિદ્યા સિદ્ધ કરવાના ઉપાય બતાવ્યા અને તેની સાથે દ્રઢ મૈત્રી કરીને પોતાને સ્થાને ગયો. આ દ્રષ્ટાંત ઉપરથી ન્યૂન અક્ષર ભણવાથી યથાર્થ ફળ પણ પ્રાપ્ત થતું નથી એમ સમજવું. cat ભાગ ૪-૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy