SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૪] જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદ-વ્યંજનાનિહ્નવ ૨૨૩ તે સાંભળીને ‘‘અહીં રાજાને મેઘની ઉપમ્યા ઠીક આપી’’ એ પ્રમાણે કુમારપાળ રાજાએ કહ્યું. તે ઉપમ્યા શબ્દ વ્યાકરણાદિકની રીતે અશુદ્ધ છતાં બીજા સર્વ સભ્યજનોએ તો તેની પ્રશંસા કરી, પણ કપર્દી નામનો મંત્રી ઘણો વિદ્વાન હોવાથી તેણે લગ્ન પામીને નીચું મુખ કર્યું. તે જાણીને રાજાએ તેને તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તે મંત્રી બોલ્યો કે—“હે રાજન્! આપ ઉપમ્યા શબ્દ બોલ્યા તે શાસ્ત્રવિરુદ્ધ છે. માટે અમારે તે સાંભળીને નીચું મુખ કરવું જ યોગ્ય છે. કેમકે રાજા વિનાનું જગત સારું, પણ મૂર્ખ રાજા સારો નહીં. મૂર્ખ રાજા હોવાથી શત્રુ રાજાઓમાં પણ અપકીર્તિ પ્રસરે છે. ઉપમ્યા શબ્દને ઠેકાણે ઉપમાન, ઔપમ્ય અને ઉપમા ઇત્યાદિ શબ્દો શુદ્ધ છે.'' આ પ્રમાણે તે મંત્રીનાં વચનથી પ્રેરાયેલા રાજાએ લગભગ પચાસ વર્ષની વયે પહોંચ્યા છતાં શુદ્ધ વ્યુત્પત્તિનો બોધ થવા માટે શ્રી દેવગુરુના ચરણકમળની સેવા કરીને ગુરુમહારાજે કૃપા કરીને આપેલા સિદ્ધ સારસ્વત મંત્રનું આરાધન કર્યું, તથા સરસ્વતી ચૂર્ણનું સેવન કર્યું. ઇત્યાદિ વડે સરસ્વતી દેવી પ્રસન્ન થવાથી તેના પ્રસાદે કરીને એક વર્ષમાં ત્રણવૃત્તિ વ્યાકરણ *ચાશ્રય વગેરે કાવ્યો ભણીને તેમણે ચોવીશ તીર્થંકરોની સ્તુતિ રૂપ બત્રીશી રચી. તેનો પહેલો શ્લોક આ પ્રમાણે यत्राखिलश्री श्रितपाद पद्मं, युगादिदेवं स्मरता नरेण । सिद्धिर्मयाप्या जिन तं भवन्तं, युगादिदेवं प्रणतोऽस्मि नित्यम् ॥१॥ ભાવાર્થ—“હે જિનેશ્વર! સમગ્ર લક્ષ્મીએ જેના ચરણકમળનો આશ્રય કર્યો છે એવા યુગાદિ દેવને સ્મરણ કરનાર માણસ મુક્તિ પામ્યો છે તથા મને પણ સિદ્ધિ મળી છે, તેવા આપ યુગાદિ દેવને હું નિરંતર પ્રણામ કરું છું’’ પછી તે રાજાએ ‘‘શાસ્ત્રવિચારચતુર્મુખ’” એ નામનું બિરુદ મેળવ્યું. વ્યંજનના અધિકપણામાં બીજું અશોક રાજાનું દૃષ્ટાંત કહે છે. અશોક રાજાનું દૃષ્ટાંત પાટલિપુત્ર નગરના નવમા નંદ રાજાને પ્રતિજ્ઞાપૂર્વક ચાણાક્ય નામના બ્રાહ્મણે રાજ્યથી પદભ્રષ્ટ કરીને મયૂરપોષક નામના ગ્રામમાં રહેનારા મહત્તરના દૌહિત્ર (દીકરીના દીકરા) ચંદ્રગુપ્તને રાજ્યાસને બેસાડ્યો. તેને બિંદુસાર નામે પુત્ર થયો. તે બિંદુસારને અશોકશ્રી નામે પુત્ર થયો. તે રાજ્યાસન ઉપર હતો, તે વખતે તેણે પોતાના કુણાલ નામના પુત્રને તેની બાલ્યાવસ્થા છતાં તેને ભોગવવા માટે અવન્તિ નગરી આપી. પછી ‘અહીં પાટલિપુત્ર નગરમાં રહેવાથી બીજી સાવકી માતાનો ઉપદ્રવ થશે' એમ ઘારીને તે કુણાલ અવન્તિએ જઈને રહ્યો. ત્યાં રાજાએ મોકલેલા અનુજીવીઓએ પોતાના જીવની જેમ તેનું રક્ષણ કર્યું. અનુક્રમે કુમાર આઠ વર્ષનો થયો. ત્યારે રાજાએ પોતાના માણસો દ્વારા ‘કુમારની વય વિદ્યા ગ્રહણ કરવાને યોગ્ય થઈ છે' એમ જાણીને પોતે કુમારના ઉપ૨ એક પત્ર લખ્યો કે “હે માર! ત્વયાડથીતમિતિ મવાજ્ઞાવિરેળ વિધેયા—હે કુમાર! તારે હવે અભ્યાસ કરવો, આ મારી આજ્ઞા તારે તત્કાળ માન્ય કરવી.’' એ પ્રમાણે પત્રમાં લખીને રાજા કોઈ બીજા કાર્યમાં ગૂંથાયો, તેવામાં કુમારની સાપત્ન માતા ત્યાં આવી ચડી. તેણે તે પત્ર વાંચીને મનમાં વિચાર્યું કે “જ્યાં સુધી કુણાલકુમારના સર્વ અવયવો શુદ્ધ હશે, ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મળશે નહીં, માટે આ પત્રમાં કાંઈક વિરૂપ લખું તો ઠીક.’’ એમ વિચારીને તે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy