SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૪] જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદ-વ્યંજનાનિલવ ૨૨૧ અને તેને ગચ્છની બહાર કર્યો. રાજા તે શિષ્યનું શાક્ય જોઈને ક્રોઘ પામ્યો, તેથી તેણે નગરમાં એવી ઉદ્ઘોષણા કરાવી કે-“ગુરુના પ્રતિપક્ષી. થયેલા રોહગુણને જે માન્ય કરશે તે રાજદ્રોહી ગણાશે.” પછી તે રોહગુસે પોતાની બુદ્ધિથી વૈશેષિક શાસ્ત્ર રચ્યું. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી પાંચસો ગુમાળીશ વર્ષે આ છઠ્ઠો નિદ્ભવ થયો, તેનું વૃત્તાંત કહ્યું. આખું જગત ષ દ્રવ્યથી પૂર્ણ છે એમ જિનેશ્વરે જોયું છે તેનું ઉત્થાપન કરતો અને દ્રવ્ય, ગુણ વગેરે છ પ્રકારને સત્યપણે ઠરાવી વિસ્તારતો તથા પોતાના ત્રણ રાશિના પક્ષને સ્થાપન કરતો એવો વૈશેષિક છઠ્ઠો નિદ્ભવ થયો છે.” દેવ, ગુરુ અને કૃતાદિકને ઉત્થાપતો તે વૈશેષિક મોટી હાનિ પામ્યો, માટે આ પાંચમા શ્રુતાચારથી સૂત્રના અર્થી શિષ્યોએ ભ્રષ્ટ થવું નહીં. વ્યાખ્યાન ૨૪. જ્ઞાનાચારનો છઠ્ઠો ભેદ-વ્યંજનાનિદ્ભવ વ્યંજન નહીં ઓળવવા વિષેનો છઠ્ઠો મૃતાચાર કહે છે नाधीतव्यं श्रुतं चोक्तवर्णैयूँनाधिकादिभिः । व्यंजनानिह्नवाह्वोऽयमाचारः षष्ठमः स्तुतः॥१॥ ભાવાર્થ-“હેલા વર્ગો (અક્ષરો) માંથી જૂનાશિક અક્ષરો બોલીને સૂત્ર ભણવું નહીં. એ વ્યંજનાનિદ્ભવ નામનો છઠ્ઠો આચાર કહેલો છે.” __ व्यंजनभेदतोऽर्थानां, क्रियाभेदोपजायते । तेनाभावश्च मुक्तेः स्यात्के के दोषा भवंति न ॥२॥ ભાવાર્થ-“વ્યંજનના ભેદથી અર્થનો ભેદ થાય છે અને અર્થના ભેદથી ક્રિયાનો ભેદ થાય છે, ક્રિયાના ભેદે કરીને મુક્તિનો અભાવ થાય છે. એવી રીતે વ્યંજનભેદથી કયા કયા દોષો ઉત્પન્ન થતા નથી? અર્થાત્ સર્વ દોષો ઉત્પન્ન થાય છે.” વ્યંજનનો ભેદ એટલે અક્ષરોને અન્યથા કરવા તે. તેમ કરવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. શ્રી આવશ્યક સૂત્રમાં ચૌદ પ્રકારે શ્રતની આશાતના કહી છે. તેમાં પ્રથમ વ્યાવિદ્ધ એટલે આડાં અવળાં રત્નો નાંખીને ગૂંથેલી રત્નની માળાની જેમ આડા અવળા અક્ષરો બોલવાથી થયેલી જ્ઞાનની આશાતનાએ કરીને જે અતિચાર થયો હોય તેનું મિથ્યા દુષ્કત છે. (તે રીતે સર્વત્ર જાણવું). તે ચૌદ પ્રકાર નીચે પ્રમાણે ૧ એકના એક પદને બે ત્રણ વાર બોલવું તે આક્રેડિત, ૨ અક્ષર ઓછો બોલવો તે હીનાક્ષર, ૩ અક્ષર અથિક બોલવો તે અધિકાક્ષર, ૪ પદ કાઢી નાંખીને બોલવું તે પદહીન, ૫ વિનય રહિત બોલવું તે વિનયહીન, ૬ ઉદાત્ત વગેરે ઘોષ રહિત બોલવું તે ઘોષહીન, ૭ યોગ વહન કર્યા વિના ભણવું તે યોગહીન, ૮ ગુરુએ બરાબર નહીં દીધેલું તે સુષુ અદત્ત ૯ ગુરુએ બરાબર દીઘા છતાં ૧ વ્યંજનને ઓળવવો નહીં તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy