SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ (અહીં “કુત્રિક' શબ્દનો અર્થ એવો થાય છે કે–કુ' એટલે પૃથ્વી અને ત્રિક એટલે ત્રણ, અર્થાત સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ પૃથ્વીનું નામ “કુત્રિક' થયું. તે નામની દુકાન હોવાથી કુત્રિકાપણ” શબ્દ થાય છે. આ દુકાને બેઠેલા વણિક ગૃહસ્થ મંત્રાદિકના આરાઘનથી કોઈ વ્યંતરદેવને સાધ્યો છે. તે દેવતા ગ્રાહકને ઇચ્છિત દરેક વસ્તુ કોઈ પણ સ્થાનથી લાવીને આપે છે અને તેની કિંમત તે વણિક લે છે. અહીં કોઈનો મત એવો પણ છે કે–આ વણિંકની દુકાન જ દેવાધિષ્ઠિત છે, તેથી વસ્તુની કિંમત તે દેવતા જ લઈ જાય છે.) પછી ગુરુ સર્વ પરિવાર સહિત તે કુત્રિકાપણે ગયા અને રોહગુણને પૂછીને કુત્રિકાપણના વ્યંતરદેવને કહ્યું કે “જીવ આપ.” ત્યારે તેણે પોપટ, મેના વગેરે જીવ આપ્યા. પછી ગુરુએ અજીવ માગ્યા ત્યારે તેણે પથ્થરના ખંડ વગેરે આપ્યા. પછી નો જીવ માગ્યો, ત્યારે પણ પથ્થર વગેરે જ આપ્યા. કેમકે “નો' શબ્દનો અર્થ નિષેઘ વાચક છે. અર્થાત્ અજીવ અને નોજીવમાં કાંઈ ભેદ નથી. છેવટે ગુરુએ નોઅજીવ માગ્યા, ત્યારે તેનો અર્થ જીવ કરીને તે દેવતાએ પોપટ વગેરે આપ્યા. કેમકે “નો” અને “અ” એ બે નિષેઘ વાચક હોવાથી અજીવ નહીં તે જીવ કહેવાય. એવો નોઅજીવ શબ્દનો અર્થ થાય છે. નોજીવ માંગતી વખતે તે દેવતાએ જીવનો કાંઈ પણ કકડો આપ્યો નહીં, માટે અને અજીવ એ બે રાશિ સિદ્ધ થઈ. પણ ખરના શૃંગની જેમ ત્રીજી રાશિ અસત્ હોવાથી સિદ્ધ થયો નહીં. પછી ગુરુએ શિષ્યને કહ્યું કે-“હે ભાઈ! હવે તું તારો દુરાગ્રહ છોડી દે. જો કદાચ જગતમાં નોજીવ વસ્તુ જુદી હોત તો તે દેવતા કેમ ન આપત?” એ રીતે એકસો ને ચુમાળીશ પ્રશ્નો કરીને રાજાની સમક્ષ ગુરુએ તે શિષ્યનો નિગ્રહ કર્યો. અહીં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ મૂળ પદાર્થોની ભેદકલ્પના કરી, તેમાં પાંચ મહાભૂત, કાળ, દિશા, આત્મા અને મન એ નવ પ્રકાર દ્રવ્યના કર્યા; રૂપ, રસ, સંખ્યા, બુદ્ધિ, દ્વેષ વગેરે સત્તર ભેદ ગુણના કર્યા, ‘ઉલ્લેપણ, અપક્ષેપણ, * આકુંચન, “પ્રસારણ અને ગમન એ પાંચ ભેદ કર્મના કર્યા; ત્રણ પ્રકાર સામાન્યના કર્યા અને એક એક પ્રકાર વિશેષ તથા સમવાયન ગ્રહણ કર્યો. તે સર્વ મળીને છત્રીશ ભેદ થયા. તે સર્વના પ્રકૃતિ, ‘અકાર, નોકાર અને બન્નેનો નિષેઘ એમ ચાર ચાર પ્રકાર કર્યા, એટલે સર્વ ભેદ મળીને એકસો ને ચુમાળીશ થયા. પછી કુત્રિકા પણ દેવ પાસે જઈને પૃથ્વી માગી. ત્યારે તેણે પાષાણ આપ્યો. કારણકે તે પ્રકૃતિ જાત ઉપપદ રહિત શુદ્ધ પૃથ્વી છે. અપૃથ્વી માગી ત્યારે જળ વગેરે આપ્યું, નોપૃથ્વી માગી ત્યારે “ના” શબ્દના “થોડો નિષેઘ' અને “સર્વથા નિષેઘ' એવા બે અર્થ કરીને થોડો નિષેઘ ઘારીને પાષાણનો કકડો આપ્યો અને સર્વથા નિષેઘ ઘારીને જળ વગેરે આપ્યું, અને નોઅપૃથ્વી માગી, ત્યારે તેણે પૃથ્વી (પાષાણ વગેરે) આપી. કેમકે નોઅજીવની જેમ નોઅપૃથ્વીનો અર્થ પૃથ્વી જ થાય છે. એ પ્રમાણે જળ વગેરેમાં પણ ચાર ચાર ભેદ જાણવા. નિશ્ચયનયના મતે તો જીવ અને અજીવ એ બે જ પદાર્થો છે. આવી રીતે અનેક પ્રકારે ગુરુએ તેને સમજાવ્યો, પણ જ્યારે તેણે પોતાનો દુરાગ્રહ મૂક્યો નહીં, ત્યારે ગુરુએ બડખા નાંખવાની કુંડીમાંથી ભસ્મ લઈને તેના મસ્તક પર નાંખી, ( ૧ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત કહેવાય છે. ૨ ઊંચું ફેંકવું તે. ૩ નીચું ફેંકવું તે. ૪ સંકોચાઈ જવું તે. ૫ વિસ્તારવું તે. ૬ જવું તે. ૭ મૂળ શબ્દ. ૮ અલ્પ નિષેઘ વાચક. ૯ સર્વથા નિષેધ વાચક. ૧૦ નિષેઘનો નિષેઘ (મૂળ વસ્તુ) Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy