SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૩] જ્ઞાનાચારનો પાંચમો ભેદ–અનિલ ૨૧૯ શ્રેણી, ગરોળી કે ગરોળીની શ્રેણી, વૃષભ કે વૃષભની શ્રેણી, મનુષ્ય કે મનુષ્યની શ્રેણી, પાડો કે પાડાની શ્રેણી તેના બે ખંડ, ત્રણ ખંડ યાવત્ સંખ્યાતા ખંડ છેદીને કરવામાં આવે તો તેના આંતરામાં જીવપ્રદેશ પ્રગટ(સ્કુટ)પણે છે?” પ્રભુ કહે છે-“હા ગૌતમ! પ્રગટપણે છે.” ફરી ગૌતમ સ્વામી પૂછે છે કે–“હે ભગવંત! કોઈ પુરુષ તે આંતરામાં રહેલા જીવપ્રદેશને હાથ વડે, પગ વડે, કાષ્ઠ વડે, તીક્ષ્ણ શસ્ત્ર વડે છેદતો સતો અથવા અગ્નિકાય વડે બાળતો સતો તેને કાંઈ અલ્પ બાઘા કે વિશેષ બાથા ઉપજાવી શકે?” પ્રભુ કહે છે– હે ગૌતમ! એ અર્થ સમર્થ નહીં, નિશ્ચયે તેને આક્રમણ કરી ન શકે. ” અહીં શિષ્ય પ્રશ્ન કર્યો કે–“ગરોળીના દેહ અને પૂંછડીની વચમાં પણ જીવના પ્રદેશો રહેલા છે એમ સૂત્રમાં કહ્યું, તો તે વચમાં રહેલા જીવના પ્રદેશો કેમ જણાતા નથી?” ગુરુએ ઉત્તર આપ્યો કે-“જીવપ્રદેશો અરૂપી હોવાથી દેખાતા નથી. જેમ દીવાનાં કિરણો પૃથ્વી, ભીંત કે કોઈ પાત્ર વગેરે મૂર્તિમાન વસ્તુ ઉપર પડ્યાં હોય તો તે દેખવામાં આવે છે. પણ કેવળ આકાશમાં ફેલાયેલા હોય તે ગ્રહી શકાતાં નથી. તે જ પ્રમાણે વચમાં રહેલા જીવપ્રદેશો પણ જોવામાં આવતાં નથી. બોલવું, શ્વાસોશ્વાસ લેવા, દોડવું, વળગવું, હુરવું વગેરે ક્રિયાઓ દેહને વિષે જ જણાય છે પણ વચમાં જણાતી નથી, માટે સૂક્ષ્મકાર્મણદેહથી યુક્ત છતાં પણ તે જીવપ્રદેશો ઔદારિક દેહ વિનાના હોવાથી દેખાતા નથી; અથવા હે શિષ્ય! તું જેને જીવ કહે છે, તેના પ્રદેશો જીવથી ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન છે' એમ કહે તો તે જીવની સાથે ફરીથી તેનો સંગમ કેમ થાય? કેમકે ભિન્ન પ્રદેશ બીજે ઠેકાણે પણ પરમાણુની જેમ મળી જાય અને તે પ્રદેશોનો બીજા જીવ સાથે સંગમ થવાથી તે બન્ને જીવોના કર્મનો સંકર થયો, તેથી બન્ને જીવના સુખદુઃખાદિક પણ મળી જવા જોઈએ, પણ તેમ તો છે જ નહીં. માટે “ભિન્ન છે' એમ કહી શકાશે નહીં. હવે તે પ્રદેશો જીવથી અભિન્ન છે' એમ તું કહે તો, તે પ્રદેશ જીવના જ અંતર્ગત છે એમ કહેવું જોઈએ, માટે બે જ રાશિ સિદ્ધ થઈ, પણ ત્રણ સિદ્ધ થઈ નહીં.” વળી શિષ્ય પ્રશ્ન કર્યો કે-“તે પ્રદેશ અભિન્ન છે તો પણ સ્થાનનો ભેદ થયો, માટે તેને નોજીવ કહેવા. જેમ આકાશ એક છતાં સ્થાનના ભેદથી ઘડામાં રહેલું આકાશ “ઘટાકાશ' અને ઘરમાં રહેલું આકાશ “ગૃહાકાશ' કહેવાય છે, તેમ સ્થાનના ભેદથી નો જીવ કહેવામાં શું બાઘ છે?” ગુરુએ ઉત્તર આપ્યો કે-“જો એમ કહીશ તો “નોઅજીવ” નામનો ચોથો રાશિ પણ તારે અંગીકાર કરવો પડશે. કેમકે આકાશાદિક અજીવ છે, તેના પણ પ્રદેશો સંભવે છે, તેથી તે પ્રદેશોને સ્થાનભેદની વિવક્ષાથી નોઅજીવ કહેવા પડશે, અને તેમ કરવાથી ચાર રાશિ થશે. પરંતુ જેમ લક્ષણના સમાનપણાથી નોજીવ ભિન્ન નથી તેમજ સમાન લક્ષણ હોવાથી નોઅજીવ પણ અજીવથી ભિન્ન નથી.” આ પ્રમાણે તે ગુશિષ્યને વાદ કરતાં છ માસ વ્યતીત થયા, ત્યારે રાજાએ ગુરુને કહ્યું કે“હે સ્વામી! હવે વાદ સમાપ્ત કરો, કેમકે હમેશાં આની વ્યગ્રતાથી મારા રાજકાર્યો સિદાય છે.” ત્યારે ગુરુ બોલ્યા કે–“આટલા દિવસ સુધી મેં આ શિષ્યને માત્ર ક્રિીડા કરાવી છે, પણ હવે પ્રાતઃકાળે તેનો હું અવશ્ય નિગ્રહ કરીશ.” પછી બીજે દિવસે ગુરુએ રાજાને કહ્યું કે-“આ દુનિયામાં જેટલી વસ્તુ છે તે સર્વ કુત્રિકની દુકાને મળે છે, તે તમે તથા સર્વ લોક જાણો છે. માટે આપણે ત્યાં જઈએ અને નોજીવની માગણી કરીએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy