SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ પણ છોડી દઈને તેને અસત્ય ઠરાવવા કહ્યું કે–“તેં જે હેતુ આપ્યો છે તે બીજી રીતે જોવામાં આવે છે તેથી અસિદ્ધ છે. દુનિયામાં જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ જોવામાં આવે છે. તેમાં નારકી, તિર્યંચ વગેરે જીવ, પરમાણુ ઘટ વગેરે અજીવ અને ગરોળીની કપાયેલી પૂંછડી વગેરે નોજીવ છે. તેથી જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ રાશિ સિદ્ધ થઈ, તે જ પ્રમાણે દેખાય છે માટે. અઘમ, મધ્યમ અને ઉત્તમ રાશિની જેમ.” ઇત્યાદિ અનેક યુક્તિઓ વડે તેના પ્રશ્નોના ઉત્તર આપીને તે તાપસનો તેણે પરાજય કર્યો. તેથી તાપસે ક્રોઘ પામીને વૃશ્ચિક વિદ્યા વડે રોહગુનો વિનાશ કરવા માટે વીંછી મૂક્યા, તે વીંછીઓનો નાશ કરવા માટે રોહગુએ મયૂરી વિદ્યા વડે મોર છોડ્યા. તેઓએ વીંછીને મારી નાંખ્યા, ત્યારે તાપસે સર્પ છોડ્યા, તેના પર રોહગુએ નોળિયા છોડ્યા. એ પ્રમાણે ઉંદર ઉપર બિલાડા, મૃગ ઉપર વાઘ, સૂવર ઉપર સિંહ અને કાગડા ઉપર ઘુવડ મૂક્યા. તેથી અત્યંત ક્રોધ પામીને તાપસે અતિ દુષ્ટ સમળીઓ મૂકી, તેના પર સાઘુએ બાજ મૂકીને તેમને હઠાવી. તે જોઈને તાપસે અતિ ક્રોધથી રાસભી મૂકી. તેને આવતી જોઈને સાધુએ પોતાના શરીર ફરતો ઓઘો ફેરવવા માંડ્યો અને તે વતી તે રાસલીને મારી, તેથી પ્રભાવ રહિત થઈને તે રાસભી તાપસ ઉપર મૂત્ર પરીષ કરીને જતી રહી. તે સર્વ જોઈને સભાપતિ રાજાએ તથા સભાના સમગ્ર લોકોએ તે તાપસની નિંદા કરીને તેને નગરમાંથી કાઢી મૂક્યો. રોહગુપ્ત મુનિ વિજય મેળવીને ગુરુની પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને ગુરુએ કહ્યું કે-“તેં તાપસને જીતી લીઘો, તે બહુ સારું કર્યું. પરંતુ સભામાંથી ઊઠીને આવતાં એમ કેમ ન કહ્યું કે–માત્ર વાદીને જીતવા માટે જ મેં ત્રણ રાશિનું સ્થાપન કર્યું છે, પણ વાસ્તવિક રીતે તો જીવ અને અજીવ એવી બે જ રાશિ છે. માટે હજુ પણ સભામાં જઈને ખરી વાત કહી આવ.” એ પ્રમાણે ગુરુએ ઘણી વાર ઘણી રીતે કહ્યું, ત્યારે તે રોહગુએ જવાબ આપ્યો કે-“હે સૂરિ! મારો સિદ્ધાંત પણ સત્ય છે. જો કદાચ નો જીવ નામનો ત્રીજો રાશિ માનતાં કાંઈ દોષ આવતો હોય તો તે સિદ્ધાંત અસત્ય છે. પણ તેમાં કાંઈ દોષ આવતો નથી. કેમકે ગરોળીની પૂંછડી વગેરે જીવના દેશભાગને નજીવ કહીએ તો તેમાં શો દોષ? હું તો એમાં કાંઈ પણ દોષ જોતો નથી. સૂત્રમાં ઘર્માસ્તિકાય વગેરેના દશ પ્રકાર કહ્યા છે તેમાં તે ઘર્માસ્તિકાયના પ્રદેશને પૃથ વસ્તુપણું કહેલું જ છે. નહીં તો દશ પ્રકાર ઘટે નહીં. તે જ પ્રમાણે ગરોળીની પૂંછડી અને છેદાયેલા એવા મનુષ્યના હાથ વગેરે અવયવો તે છેદાયેલા હોવાથી જીવથી ભિન્ન છે, અને તે અવયવો સ્ફરસાયમાન થાય છે તેથી અજીવથી પણ ભિન્ન છે માટે અવશ્ય તે અવયવો જુદી જ વસ્તુ છે, એમ સિદ્ધ થાય છે.” તે સર્વ સાંભળીને ગુરુ તેને સાથે લઈને રાજસભામાં ગયા. ત્યાં સત્ય માર્ગની પ્રરૂપણા કરીને શિષ્ય કરેલા પ્રશ્નોનું આગમને અનુસાર આ પ્રમાણે નિવારણ કર્યું કે સૂત્રમાં જીવ અને અજીવ એવી બે જ રાશિ કહેલી છે. વળી ઘર્માસ્તિકાય વગેરેના પ્રદેશ તે ઘર્માસ્તિકાયાદિકથી કાંઈ જુદા નથી, પરંતુ વિવક્ષા માત્રથી જ તેની ભિન્ન વસ્તુપણાની કલ્પના કરી છે. તેવી જ રીતે પુચ્છાદિક પણ ગરોળી વગેરે જીવોથી અભિન્ન છે. તે જીવ સંબંધી હોવાથી જીવ જ છે, નોજીવ નથી. તે વિષે શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે– હે ભગવંત! કાચબો કે કાચબાની ૧ ગઘેડો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy