SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૫ પરવાદીઓને સર્વ હકીકત કહી; એટલે તેઓએ નવીન આચાર્યના જ્ઞાનનું પ્રમાણ જાણીને રાજસભામાં તેનો પરાભવ કર્યો, તેથી જૈન ઘર્મની મોટી હીલના થઈ, અને ઘણા લોકો ઘર્મભ્રષ્ટ થયા. પછી સંઘે તે આચાર્યને ત્યાંથી દૂર દેશ મોકલી દીધા. આ પ્રમાણે કલ્પવૃત્તિમાં દ્રષ્ટાંત કહ્યું છે. આવા ગુરુઓ ચારિત્ર પામ્યા છતાં અને ઉપદેશ દેવાને તત્પર થયા છતાં પણ શાસ્સા સંબંધી ઉત્તમ પ્રકારનું જ્ઞાન નહીં હોવાથી ઉત્સુત્ર પ્રરૂપણા પણ કરે છે, અને પોતાના આશ્રિતોને ઊલટા ભવસમુદ્રમાં ડુબાડે છે. તેથી તેવા “અબહુશ્રુતોને ઉત્સુત્ર બોલાઈ જવાનો ભય હોવાથી ઘર્મનો ઉપદેશ દેવો તે પણ યોગ્ય નથી. “આ પ્રમાણે વિવિઘ દ્રષ્ટાંતોથી જાણીને સંસારરૂપી શત્રુના વિજયને માટે જ્ઞાની ગુરુના આશ્રયથી હે વિવેકી ભવ્ય જીવો! પ્રત્યક્ષ ગુણવાળા સિદ્ધાંતના વિચારનો આશ્રય કરો.” વ્યાખ્યાન ૨૧૫ જ્ઞાનની વિરાધના ત્યાજ્ય जघन्योत्कृष्टभेदाभ्यां, त्याज्या ज्ञानविराधना । ज्ञानस्य ज्ञानिनां भक्तिर्वृद्धिं नेया च धर्मिभिः॥१॥ ભાવાર્થ-“ઘર્મિષ્ઠ પુરુષોએ જઘન્ય તથા ઉત્કૃષ્ટ ભેદે કરીને જ્ઞાનની વિરાધનાનો ત્યાગ કરવો, અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિમાં વૃદ્ધિ કરવી.” વિશેષાર્થ-જ્ઞાનની જઘન્ય વિરાઘના આ પ્રમાણે છે–પુસ્તક, પાટી, ઠવણી, રૂમાલ (પોથીબંઘન), લેખણ વગેરે જ્ઞાનના ઉપકરણોને ચરણ વગેરે કનિષ્ઠ અવયવોનો સ્પર્શ કરવો, મુખ પાસે વસ્ત્ર રાખ્યા સિવાય ભણવું ભણાવવું, અને પુસ્તકને કાખમાં રાખવું; આહાર, નિહાર તથા ભોગ આદિ સમયે જ્ઞાનના ઉચ્ચાર કરવા વગેરેથી મોટા જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે; પુસ્તક કે તેનાં પાનાં અથવા લખેલા કાગળ વગેરે પાસે હોય અને લઘુશંકા વગેરે કરે, તો તેથી પણ મોટા જ્ઞાનાવરણીય કર્મનો બંઘ થાય છે, તેથી તેને મહા આશાતના જાણવી. નવકારવાળી, પુસ્તક વગેરે પૂજ્ય ઉપકરણની સાથે મુહપત્તિ તથા ચરવળાનો સ્પર્શ ન કરવો. મુહપત્તિ ઘૂંક વગેરેથી ઉચ્છિષ્ટ થયેલી હોય છે, માટે તેને પુસ્તકની સાથે તથા સ્થાપનાચાર્યની સાથે રાખવી નહીં, જુદી જ રાખવી. પુસ્તક બંઘનનો રૂમાલ પણ કેવળ પૃથ્વી પર રાખવો નહીં, અન્યથા મોટી આશાતના થાય છે, અને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. લખેલા કાગળના ટુકડા પણ ઉચ્છિષ્ટ ભૂમિ પર પડ્યા હોય, તો તે લઈને સારી ઊંચી જગ્યાએ પગથી ચંપાય નહીં તેવી રીતે મૂકવા, તેમ કરવાથી જ્ઞાનની સ્કૂર્તિ થાય છે. તેનો મહિમા વર્તમાન સમયમાં પણ પ્રત્યક્ષ દીઠો છે. લખેલા કાગળો કોઈ પણ કારણથી વેચવા નહીં. લોભી થઈને લખેલાં પાનાં કૂચો કરીને તેની કાંઈ વસ્તુ બનાવવા માટે પણ આપવાં નહીં, તથા દિવાળીના પર્વમાં ગંઘક, દારૂ વગેરે ભરીને ફટાકીઆ, ફુલકણી, ટેટા વગેરે કરવામાં આવે છે તેવા ઉપયોગ માટે પણ આપવાં નહીં. કેમ કે તેમાંના સર્વે અક્ષરો બળીને ભસ્મ થાય છે, તેમ કરવાથી મહા જ્ઞાનાવરણીય કર્મનો બંઘ થાય છે. પુસ્તકાદિક ઉપકરણોને ઓસીકે રાખવા નહીં, તેમજ તેના પર બેસવું નહીં. આ પ્રમાણે જ્ઞાનની આશાતના Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy