SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૨] યોગવહનની સ્થિરતાનું દૃષ્ટાંત ૨૧૫ ઇત્યાદિ યુક્તિઓ વડે તે સ્થવિર સાધુએ તેમને સમજાવ્યા, તો પણ તેઓએ પોતાનો આગ્રહ છોડ્યો નહીં; ત્યારે તે સ્થવિર સાધુઓએ તેમને કાયોત્સર્ગ પૂર્વક ગચ્છ બહાર કર્યા. તેઓ ફરતા ફરતા અન્યદા રાજગૃહ નગરે ગયા. ત્યાં મૌર્યવંશી બલભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શુદ્ધ શ્રાવક હતો. તેણે સાંભળ્યું કે–‘અવ્યક્તવાદી નિહ્નવો અહીં આવ્યા છે, અને ગુણશીલ નામના વનમાં રહ્યા છે.’ પછી તે શ્રાવક રાજાએ તેમને બોઘ કરવા માટે પોતાના સુભટો પાસે તેમને બાંધીને પોતાની પાસે અણાવ્યા, અને કૃત્રિમ કોપ દેખાડીને પોતાના સુભટોને હુકમ કર્યો કે—‘આ સર્વેને તેલની ઊકળતી કડાઈમાં નાંખો અને હાથીને પગે બાંધી તેમનું મર્દન કરો.” તે હુકમ સાંભળીને તે સુભટો હાથીઓને તથા કડાઈઓને લાવ્યા. તે જોઈને ભય પામેલા સાધુઓએ રાજાને કહ્યું કે—“હે રાજન્! તમે શ્રાવક છતાં અમને સાધુઓને કેમ હણો છો?'' રાજાએ કહ્યું કે—‘તમે ચોર છો, હેરીક છો, કે સાધુ છો તે કોણ જાણે છે?’' તેઓ બોલ્યા કે—“હે રાજન્! અમે સાધુ જ છીએ, બીજા કોઈ નથી.’’ ત્યારે રાજાએ કહ્યું કે—‘તમારા મતમાં તો સર્વ વસ્તુ અવ્યક્ત (સંદેહવાળી) છે. તેથી તમે સત્ય સાધુ છો એમ કોણ જાણે? તથા તમે પણ કેમ કહી શકો? વળી તમારા મત પ્રમાણે હું શ્રાવક છું કે બીજો છું, તે પણ શંકિત છે. તો તમે મને શ્રાવક કેમ કહો છો? તેમ કહેવાથી પરસ્પર નહીં વાંદતા એવા તમારા અવ્યક્તવાદની હાનિનો પ્રસંગ આવે છે; તથાપિ હજુ પણ તમે વ્યવહારનયને અંગીકાર કરો તો ઉત્તમ શ્રમણ નિગ્રંથ તરીકે તમને હું સહું (કબૂલ કરું).’’ તે સાંભળીને તે સાધુઓ બહુ લગ્ન પામ્યા, અને રાજાની વાણીથી દૃઢ બોધ પામ્યા. પછી તેઓએ રાજાને વચનથી કહ્યું કે—“શ્રીમાન્ જિનેશ્વરે કહેલી ક્રિયાયુક્ત અને જ્યેષ્ઠ લઘુના વ્યવહા૨ે પરસ્પર વંદના કરનારા અમે શ્રમણ નિગ્રંથ છીએ.’ એ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યા. વળી તેઓ બોલ્યા કે—“હે સાઘુરાજ! અમને ચિરકાળથી ભ્રાંતિ પામેલાને આજે તમે સન્માર્ગે પમાડ્યા.'' તે સાંભળીને રાજા નમ્રતાથી બોલ્યો કે—‘તમોને પ્રતિબોધ કરવા માટે મેં જે અયોગ્ય કામ કર્યું તે સર્વ ક્ષમા કરજો.’’ એમ કહીને તે શ્રેષ્ઠ રાજાએ સર્વ સાધુઓને વંદના કરી. તે સાધુઓ પણ ફરીથી બોધ પામીને પ્રથમની જેમ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી બસો ચૌદ વર્ષે ઉત્પન્ન થયેલા ત્રીજા નિહ્નવની આ કથા કહી છે. ‘સૂત્રના યોગવહનની ક્રિયામાં પોતાના શિષ્યોને વિઘ્ર ન થાઓ' એમ વિચારીને શ્રુતની ભક્તિમાં આસક્ત એવા આષાઢદેવતાએ સ્વર્ગમાંથી આવીને તેઓની ક્રિયા પૂર્ણ કરાવી. “હે તપસ્વીઓ! આ પ્રમાણે ઉપઘાન નામના શુભાચારનું વર્ણન સાંભળીને આગમને અનુસારે તે ઉપધાનવિધિમાં આદર કરો.'' ૧ વોસિરાવવા પૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy