SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૮ વ્યાખ્યાન ૨૬૩ જ્ઞાનાચારનો પાંચમો ભેદ-અનિહa હવે અનિદ્ભવ નામના પાંચમા આચાર વિષે કહે છે श्रुताक्षरप्रदातृणां, गुरूणां च श्रुतादीनाम् । अनिलवोऽयमाचारः, पंचमः श्रीजिनैः स्तुतः॥१॥ ભાવાર્થ-“શ્રુતના અક્ષરને આપનારા ગુરુઓનો અને મૃતાદિકનો અપલાપ કરવો નહીં. એ પાંચમો આચાર શ્રી જિનેશ્વરોએ કહેલો છે.” જેની પાસે કાંઈ પણ અધ્યયન કર્યું હોય તે ગુરુ અપ્રસિદ્ધ હોય કે જાતિ અથવા કૃતાદિકથી હીન હોય, તો પણ તેને ગુરુ તરીકે માનવા (કહેવા), પણ પોતાનું ગૌરવ કરવું નહીં. પંથક નામના શિષ્યની જેમ ગુરુનું બહુમાન કરવું, તેના દોષ ગ્રહણ કરવા નહીં. નિરંતર ગુરુથી શંકાતા રહેવું (ભય પામતા રહેવું); નિઃશંકપણું ઘારણ કરવું નહીં. શ્રી આમરાજાએ માતંગી સ્ત્રીનો સ્પર્શ કર્યો તે વૃત્તાંત ગુરુએ જાણ્યો, ત્યારે રાજાએ મનમાં વિચાર્યું કે-“અહો! મારું અયોગ્ય કૃત્ય ગુરુએ જાણ્યું. હવે હું ગુરુને મુખ શી રીતે બતાવું?” પછી તે પાપની શુદ્ધિ કરવા માટે રાજા તપાવેલી લોહની પૂતળીનો સ્પર્શ કરવા તૈયાર થયો. તે વાત જાણવાથી ગુરુએ તેને શ્લોકો મોકલીને બોઘ કર્યો. આ દ્રષ્ટાંત વિસ્તારથી પ્રથમ લખી ગયા છીએ. વળી કુમારપાળ રાજાએ સૂકાં ઘેબર ચાવતાં માંસભક્ષણનો સ્વાદ સંભાર્યો હતો. પછી તરત જ ઉપયોગ આવવાથી તેણે વિચાર્યું કે-“અહો! મેં આ અયોગ્ય ચિંતવ્યું. આ વાત ગુરુ જાણશે તો મારું જીવિત ધિક્કારપાત્ર થશે.” એમ વિચારીને રાજા પોતાના દાંત પાડી નાંખવા તૈયાર થયો, તે વખતે તેમના શ્રાવક પ્રઘાનોએ તેમને ઉપદેશ આપીને અટકાવ્યો. પછી તેણે ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તમાં ઘેબરના રંગ અને આકારવાળો એક હજાર ને ચૌદ સ્તંભથી યુક્ત નવીન પ્રાસાદ કરાવ્યો. વગેરે દ્રષ્ટાંતોથી ગુરુ વગેરેનો અપલાપ કરવામાં મોટો દોષ જાણવો. અન્ય ઘર્મમાં પણ કહ્યું છે કે एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते ।। __ श्वानयोनिशतं गत्वा, चंडालेष्वभिजायते ॥१॥ ભાવાર્થ-“જે માણસ એક અક્ષરને પણ આપનાર (ભણાવનાર) એવા ગુરુને ગુરુ તરીકે માનતો નથી, તે સો વખત કૂતરાની યોનિમાં જન્મીને ચંડાળની યોનિમાં ઉત્પન્ન થાય છે.” તેમજ મુતાદિકનો પણ અપલાપ કરવો નહીં. જેની પાસે જેટલું કૃત ભણ્યા હોઈએ તેટલું જ કહેવું, પણ તેથી જૂનાધિક કહેવું નહીં; કેમકે તેમ કરવાથી મૃષાવાદ, મનનું કાળુષ્ય અને જ્ઞાનાતિચાર વગેરે દોષો પ્રાપ્ત થાય છે. ગુરુનો અને શ્રુતનો અપલાપ કરવાથી રોહગુપ્ત સાઘુની જેમ સર્વ ગુણની હાનિ થાય છે. રોહગત નિતવની કથા અન્તરિકાપુરીના ઉપવનમાં શ્રીગુરૂ આચાર્ય ગચ્છ સહિત રહ્યા હતા. તે પુરીમાં બલશ્રી નામે રાજા રાજ્ય કરતો હતો. આચાર્યનો રોહગુપ્ત નામનો એક શિષ્ય બીજા ગામમાં રહ્યો હતો, તે ગુરુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy