SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાાંદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ પ્રતિવાદી—દેવતાએ અધિષ્ઠિત કરેલી પ્રતિમાને વિષે પણ અનુમતિરૂપ દોષ રહેલો જ છે. વાદી–શુ અધ્યવસાયવાળો માણસ જિનેશ્વરની બુદ્ધિથી પ્રતિમાને વાંદે છે, માટે તે દોષ પ્રતિમાને વિષે લાગતો નથી. ૨૧૪ પ્રતિવાદી–જો એમ છે તો શુદ્ધ અધ્યવસાયવાળાને યતિબુદ્ધિથી યતિરૂપને વાંદતાં શો દોષ કે જેથી તમે પરસ્પર વંદના કરતા નથી? વાદી—ત્યારે તો વિશુદ્ધ પરિણામવાળો લિંગમાત્રને ઘારણ કરનાર પાસસ્થાદિકને પણ યતિબુદ્ધિથી નમે, તો તેને દોષ લાગતો નથી એમ સમજવું. પ્રતિવાદી—તારું કહેવું અયુક્ત છે; કેમકે પાસસ્થાદિકને વિષે સમ્યગ્ નિગ્રંથપણાનો અભાવ છે. આહાર વિહાર વગેરે વડે તેનામાં નિગ્રંથના લિંગની પ્રાપ્તિ જણાતી નથી, માટે પ્રત્યક્ષ દોષવાળા પાસત્યાદિકને વંદના કરે, તો તેને સાવદ્યાનુજ્ઞાનો દોષ લાગે. કહ્યું છે કે– जह वेलंबगलिंगं, जाणत्तस्स नमउ हवइ दोसो । निबंधसं पि नाऊण, वंदमाणे धुवो दोसो ॥ १ ॥ ભાવાર્થ-‘જેમ ભાંડભવાયે—વિદૂષકે લીધેલા વેષને જાણતો છતો તેને વંદના કરે તો તેને દોષ લાગે છે, તેમજ જેનામાં નિષ્વસપણું વર્તે છે એવા વેષધારી મુનિને જાણતા છતાં વંદના કરે તો અવશ્ય દોષ લાગે છે.’’ વળી જો તમે પ્રતિમાને પણ વંદના કરો, તો તમારે સર્વત્ર શંકા જ રહી; તેથી આહાર, ઉપધિ, શય્યા વગેરે પણ દેવતાના વિધુર્વેલા હશે કે નહીં, તેનો નિશ્ચય નહીં હોવાથી તે આહારાદિક પણ તમારે ગ્રહણ કરવા ન જોઈએ. એ પ્રમાણે અતિ શંકા રાખવાથી સમગ્ર વ્યવહારનો ઉચ્છેદ થશે; કેમકે નિશ્ચયકારી જ્ઞાન વિના કોણ જાણે છે કે આ ભક્ત છે કે કીડા છે? વસ્ત્રાદિકમાં માણિક્ય છે કે સર્પ છે? વગેરે સર્વ સ્થાને ભ્રાંતિ જ રહેશે, અને ભક્તપાનાદિ કાંઈ પણ વાપરી શકાશે નહીં. અથવા તો જેમ આર્ય આષાઢ દેવે ઘારણ કરેલું યતિનું રૂપ તમે જોયું, તેવા બીજા કેટલા દેવોને યતિરૂપે તમે પૂર્વે જોયા હતા કે જેથી આ એક જ દૃષ્ટાંતથી તમે સર્વત્ર શંકાશીલ થયા છો? કોઈ વખત કાંઈ આશ્ચર્યાદિકના કારણથી કોઈ ઠેકાણે કોઈ દેવાદિકને વિષે તેવી રીતે જોઈને સર્વ સ્થાને તેવી શંકા રાખવી એ યોગ્ય નથી. માટે વ્યવહાર નયનો આશ્રય કરીને તમારે એક બીજાને વંદના કરવી યુક્ત છે; કેમકે છદ્મસ્થને સર્વ પ્રવૃત્તિ વ્યવહારથી જ કરવી પડે છે. વ્યવહારનો ઉચ્છેદ કરવાથી તીર્થના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞો પણ વ્યવહારમાર્ગનો લોપ કરતા નથી. તે વિષે મહાભાષ્યમાં શ્રી જિનભદ્રગણિએ કહ્યું છે કે– संववहारो वि बली, जमसुद्धं पि गहियं सुयंविहिए । कोवेइ न सव्वण्णु, वदइय कयाइ छउमथ्थ ' ॥१॥ ભાવાર્થ-‘શ્રુતવ્યવહાર પણ બળવાન છે. જેથી શ્રુતવિધિ પ્રમાણે છદ્મસ્થ ગ્રહણ કરેલા શુદ્ધ પણ કેવળીની બુદ્ધિએ અશુદ્ધ આહારને પણ સર્વજ્ઞ દૂષિત કરતા નથી (વાપરે છે), અને તે સંબંધી કાંઈ કહેતા નથી અર્થાત્ તેને પ્રમાણ કરે છે.’’ ૧ આ પદ અશુદ્ધ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy