SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૬૧] યોગના બહુમાન વિષે ૨૧૧ રહિત તથા કાગડા વગેરે પક્ષીઓથી વીંટાયેલો જોયો. તે જોઈને સૂરિએ વિચાર કર્યો કે‘આ સ્તંભને જ્યારે માણસોએ શણગાર્યો હતો, અને સર્વ તેની ફરતાં વીંટાઈ વળ્યા હતા, ત્યારે તેની અત્યંત શોભા હતી, પણ અત્યારે તે કાંઈ જ શોભતો નથી; માટે ખરેખર પરિવારયુક્તની જ શોભા હોય છે, એકલાની શોભા હોતી નથી; તો પરિવારથી અને જૈન ધર્મથી ભ્રષ્ટ થઈ સ્વેચ્છાએ વિચરવાને ઇચ્છનાર એવા મને ધિક્કાર છે.'' ઇત્યાદિ વિચાર કરીને તે સૂરિ પોતાના ઉપાશ્રયે પાછા આવ્યા અને પોતાના મનથી જ તેની આલોચના (પ્રાયશ્ચિત્ત) લીઘી; તો પણ દુષ્ટ ધ્યાન કરવાથી તેણે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું તે નિર્મૂળ થયું નહીં. પછી તેણે નિર્મળ ચારિત્ર પાળ્યું, અને આયુષ્યને અંતે અનશન કરી મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. સ્વર્ગથી ચ્યવીને તે આભીર(રબારી)ના પુત્ર થયા. અનુક્રમે તે આભીરપુત્ર યુવાવસ્થા પામ્યો, એટલે તેના બાપે તેને એક કન્યા પરણાવી. તેને એક પુત્રી થઈ. તે સ્વરૂપે અત્યંત સૌંદર્યવાન થઈ. એકદા ઘણા આભીરો ઘીનાં ગાડાં ભરીને બીજે ગામ વેચવા ચાલ્યા. તે વખતે આ રબારી પણ ઘીનું ગાડું ભરીને પોતાની પુત્રીને ગાડું હાંકવા બેસાડી તેઓની સાથે ચાલ્યો. માર્ગે ચાલતાં બીજા ગાડીવાનો આ કન્યા જોઈને મોહ પામ્યા, તેથી તેમના મન વ્યગ્ર થવાથી તેઓ આડે માર્ગે ગાડાં હાંકવા લાગ્યા, એટલે તેમનાં ગાડાં ભાંગી ગયાં. તે વૃત્તાંત જાણીને પેલી કન્યાના બાપે વિચાર કર્યો કે—આ સંસારની પ્રવૃત્તિને ધિક્કાર છે! સર્વ જીવો આવા અસાર અને મળ, મૂત્ર તથા પુરીષના પાત્ર રૂપ સ્ત્રીના શરીરને વિષે કામાંધ થઈને પોતાના હિતસાધનમાં પણ નિરપેક્ષ થઈ મોહ પામે છે.” આ પ્રમાણે અશુચ્યાદિ ભાવના ભાવતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પછી ગ્રામાન્તરમાં ઘી વેચીને તે પોતાને ઘેર આવ્યો. ત્યાં પોતાની પુત્રીને યોગ્ય સ્થાને પરણાવીને તેને સદ્ગુરુ સમીપે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે આવશ્યક વગેરેના યોગ વહન કરીને ઉત્તરાધ્યયનના યોગ વહન કરતાં તેણે ત્રણ અધ્યયન પૂર્ણ કર્યા. પછી પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી તેને ઘણો પ્રયાસ કર્યા છતાં પણ શ્રી ઉત્તરાધ્યયનના ચોથા અસંખ્યેય અઘ્યયનનો એક અક્ષર પણ આવડ્યો નહીં. તેથી તેણે ગુરુને કહ્યું કે—“આ આવડતું નથી.’’ ત્યારે ગુરુએ કહ્યું કે–“હે મુનિ! તમે આંબેલનું તપ કરો, અને ‘મા રુસ મા તુસ–રોષ ન કરવો, તોષ ન કરવો' એ રીતે રાગદ્વેષનો નિગ્રહ કરવાના રહસ્યવાળું પદ ગોપ્યા કરો.’’ તે વાત કબૂલ કરીને ‘મારે બીજો પાઠ લેવાથી સર્યું' એમ માની તે મુનિએ બીજો પાઠ લીધો નહીં, અને તેનું તે જ પદ મોટેથી ગોખવા લાગ્યા, તો પણ તે પદ કંઠે થયું નહીં, અને અસ્પષ્ટ (માસતુસ, માસતુસ) એવો ઉચ્ચાર થવાથી લોકો હસવા લાગ્યા. તે જોઈ મુનિ ક્ષમા ધારણ કરીને ઊલટા પોતાના કર્મને જ નિંદવા લાગ્યા. તેમજ “રે જીવ! તું રોષ કર મા ને તોષ કર મા’’ એ રીતે સર્વ સિદ્ધાંતના સારભૂત તે જ પદ ગોખવા લાગ્યા. લોકોએ તેનું નામ માસતુસ પાડ્યું. એ પ્રમાણે આત્મનિંદા અને આચામ્સ તપ કરતાં તે મુનિએ બાર વર્ષ વ્યતીત કર્યાં. બાર વર્ષને અંતે તે જ પદ ગોખતાં તે મુનિ શુભ ધ્યાન વડે ક્ષપક શ્રેણિ ઉપર આરૂઢ થઈને સકલ લોકાલોકને પ્રકાશ કરનાર કેવળજ્ઞાનને પામ્યા. દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. ન ત્યાર પછી પૃથ્વીપર વિહાર કરતાં માસતુસ કેવળી ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ કરીને અનન્ત ચતુષ્કમય શાશ્વત સ્થાનને (મોક્ષને) પામ્યા. For Private & Personal Use Only Jain Education International * www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy