SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૮ गेहे दीवमपासंता, पुरीसादाणिआ नरा । ते धीरा बंधणुमुक्का, नावकंखंति जीविअं॥१॥ ભાવાર્થ-ગૃહસ્થાવાસને વિષે દીવો એટલે ભાવકૃતજ્ઞાન તેને નહીં જોનારા પુરુષને વિષે આદેય નામકર્મવાળા ધીર પુરુષો સંસારના બંઘનથી નહીં મુકાયા સતા સંયમરહિત જીવિતને ઇચ્છતા નથી, અર્થાત્ શ્રુતજ્ઞાનના અર્થી સંયમને જ ગ્રહણ કરે છે. વળી યોગને વહન કરેલા સાધુ વિના બીજા કોઈ સાધુ (યોગ વહ્યા વિના) શ્રતનો અભ્યાસ કરે, તો તેમને તીર્થકર અદત્તનો દોષ લાગે છે. તે વિષે શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે–“તે સર્વ તીર્થકરનું સુભાષિત દશ પ્રકારનું છે. તે ૧ ચૌદ પૂર્વીઓએ પ્રગટપણે જાણ્યું, ૨ મહા મુનિઓને આપ્યું, અને ૩ દેવેન્દ્રને તથા નરેન્દ્રને તેનો અર્થ સમજાવ્યો. ઇત્યાદિ.” આ પાઠમાં પ્રભુએ સાધુઓને મૃત આપ્યું, અને સર્વ દેવતાઓ તથા મનુષ્યોને તેનો અર્થ કહ્યો એમ પ્રગટ રીતે કહ્યું છે. તેથી શ્રાવકોને સૂત્ર ભણવાનો અધિકાર નથી એમ સિદ્ધ થાય છે. તથા જે મૃત ભણવાની ઇચ્છા કરે છે તેણે પ્રથમ વ્યાકરણમાં કહેલા ભેદને જાણવા જોઈએ. તે વિષે પ્રશ્નવ્યાકરણમાં “કેવી રીતે સત્ય બોલવું?' એવો પ્રશ્ન કરીને તેના જવાબમાં “દ્રવ્યથી સત્ય બોલવું, પર્યાયે કરીને સત્ય બોલવું.” ઇત્યાદિ કહેલા પાઠમાં આગળ એવું છે કે-“નામ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ અને વર્ણ–એ સર્વ ભેદને જે જાણે તેને જ સત્ય વક્તા જાણવો, બીજાને નહીં.” વળી જે વિગય ખાવામાં આસક્ત હોય તે મૃત ભણવામાં અયોગ્ય છે (અઘિકારી નથી). તે વિષે શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે-“ત્રણ જણા વાચનાને અયોગ્ય છે. ૧ વિનય રહિત, ૨ વિગય વાપરવામાં આસક્ત અને ૩ ક્રોધયુક્ત ચિત્તવાળા; તથા ત્રણ જણ વાચનાને યોગ્ય છે. ૧ વિનયી, ૨ વિગયમાં અનાસક્ત અને ૩ ક્રોધનો ત્યાગ કર્યો છે જેણે એવા; તથા અઠ્ઠાવીશ અસ્વાધ્યાય કાળ કહેલા છે તેમાં સાધુ સાધ્વીને શ્રુત ભણવાનો નિષેઘ કહ્યો છે, તે ઠેકાણે શ્રાવકનું ગ્રહણ કર્યું નથી. તે વિષે શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે-“સાધુ સાધ્વીને ચાર મહા પડવાને દિવસે સ્વાધ્યાય કરવા કહ્યું નહીં. તેમાં ૧ આષાઢ માસનો પડવો, ૨ કાર્તિક માસનો પડવો, ૩ ફાલ્યુન માસનો પડવો, ૪ આસો માસનો પડવો; તથા ચાર સંધ્યા સમયે સ્વાધ્યાય કરવો કલ્પે નહીં, તેમાં ૧ પ્રભાતકાળે, ર સાયંકાળે, ૩ મધ્યાહ્ન સમયે અને ૪ મધ્ય રાત્રિએ; તથા દશ પ્રકારની અંતરિક્ષ અસક્ઝાય કહી છે અને દશ પ્રકારની ઔદારિક અસક્ઝાય કહી છે. એમ સર્વ મળીને ૨૮ પ્રકારની અસક્ઝાય કહી છે. ઇત્યાદિ સર્વ જાણીને સાધુઓને જ અસ્વાધ્યાયમાં શ્રત ભણવું નહીં એમ કહ્યું છે. પણ ત્યાં શ્રાવકનું ગ્રહણ કર્યું નથી. વળી શ્રી નિશીથસૂત્રમાં શ્રાવકોને વાચના આપનાર સાધુને માટે પ્રાયશ્ચિત્ત કહેલું છે. તે આ પ્રમાણે-“જે સાધુ અન્યતીર્થીને અથવા ગૃહસ્થ શ્રાવકને વાચના આપે તેને પ્રાયશ્ચિત્ત લાગે છે.” અહીં કોઈ શંકા કરે કે–“જો યોગવહન કરીને પછી સૂત્ર ભણે, તો ઘણો કાળ વ્યતીત થાય; અને ઘના નામના અણગારે થોડા સમયમાં જ અગિયાર અંગનો અભ્યાસ કર્યો એમ કહેલું છે, તેથી યોગવહન કરીને જ કૃતાભ્યાસ કરવો’ એ પાઠ કલ્પિત ભાસે છે.” તેનો ઉત્તર ગુરુ આપે છે ૧ પડવા તે વદિ ૧ સમજવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy