SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ-ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ विजा वित्राणं वा, मिच्छा विणएण गिहिउं जोउं । अवमन्नइ आयरिअ, सा विज्जा निष्फला तस्स ॥१॥ ભાવાર્થ–“વિદ્યા અથવા વિજ્ઞાન.જો મિથ્યાવિનયથી ગ્રહણ કરે, અને આચાર્યની અવગણના કરે તો તે વિદ્યા તેને નિષ્ફળ થાય છે.” અહીં વિનય તથા બહુમાનના ચાર ભાંગા થઈ શકે છે. ૧ વિનય હોય, પણ બહુમાન ન હોય; તે ઉપર નેમિનાથ પાસે પ્રાતઃકાળમાં ઊઠીને વહેલા જનારા વાસુદેવના પાલક નામના પુત્રનું દ્રષ્ટાંત જાણવું. ૨ બહુમાન હોય, પણ વિનય ન હોય; તે ઉપર શાંબનું અથવા હમણા કહેવામાં આવશે એવા બે નૈમિત્તિકનું દ્રષ્ટાંત જાણવું. ૩ કોઈને વિનય તથા બહુમાન બન્ને હોય; તે ઉપર કહેવામાં આવશે એવા કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત જાણવું. ૪ કોઈને બેમાંથી એક પણ ન હોય; તે ઉપર કપિલા દાસીનું અથવા કાલસૌકરિકાદિકનું દ્રષ્ટાંત જાણવું. પ્રથમ બે નિમિત્તિયાનું દ્રષ્ટાંત કહે છે– બે નિમિત્તિયાનું દ્રષ્ટાંત કોઈ ગામમાં કોઈ એક સિદ્ધપુત્રના બે શિષ્યો જ્યોતિષશાસ્ત્ર ભણતા હતા. તેમાં એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરુનો વિનય કરતો હતો. જે કાંઈ ગુરુ કહે તે સર્વ યથાર્થ રીતે અંગીકાર કરતો હતો, અને બીજા શિષ્યમાં તે ગુણ નહોતો. એક દિવસે તે બન્ને તૃણ તથા કાષ્ઠ લેવા વનમાં ગયા. રસ્તામાં તેમણે કેટલાંક મોટાં પગલાં જોયાં. તે જોઈને એક બોલ્યો કે-“આગળ હાથી જાય છે.” એટલે બીજાએ કહ્યું કે–“હાથી જતો નથી પણ હાથણી જાય છે, તે પણ ડાબી આંખે કાણી છે, અને તેના પર કોઈક રાણી બેઠેલી છે, તે સઘવા છે અને વળી ગર્ભવતી છે, તેને આજ કાલ પ્રસૂતિનો સમય છે, તેમાં પણ તે પુત્ર પ્રસવશે.” તે સાંભળીને બીજાએ કહ્યું કે “આવું નહીં જોયેલું અસંબદ્ધ કેમ બોલે છે?” ત્યારે તે બોલ્યો કે–“જ્ઞાનથી સર્વ જણાય છે, તે વાતની તને આગળ ચાલતાં ખાતરી થશે.” પછી તે બન્ને કેટલીક પૃથ્વી આગળ ચાલ્યા, તો તે જ પ્રમાણે સર્વ જોયું. તેટલામાં કોઈક દાસી રાજા પાસે આવીને બોલી કે–“હે રાજા! રાણીને પુત્ર પ્રસવ થયો છે, તેની વધામણી હું આપું છું.” તે સાંભળીને પેલા શિષ્ય બીજાને કહ્યું કે “આ દાસીનું વચન સાંભળ.” બીજો બોલ્યો કે-“તારું જ્ઞાન સત્ય છે.” પછી તેઓ નદીને કાંઠે ગયા. ત્યાં કોઈ વૃદ્ધ સ્ત્રી જળ ભરવા આવી હતી, તેણે તેમને ચેષ્ટા વડે નિમિત્તિયા જાણીને પૂછ્યું કે-“મારો પુત્ર દેશાંતર ગયો છે, ત્યાંથી જ્યારે પાછો આવશે?” એમ પૂછતાં જ તેના માથા પરથી ઘડો પડી ગયો અને ફૂટી ગયો. તે સાંભળીને પેલો વગર વિચારવાળો એકદમ બોલી ઊઠ્યો કે–“તારો પુત્ર મરણ પામ્યો છે.” પછી બીજો વિચારવાળો બોલ્યો કે–“હે ભાઈ! એવું બોલ નહીં, તેનો પુત્ર ઘેર આવ્યો છે. હે વૃદ્ધ માતા! તમે ઘેર જઈને તમારા પુત્રને જુઓ.” તે સાંભળીને તે વૃદ્ધ સ્ત્રી જલદીથી પોતાને ઘેર ગઈ. ત્યાં પુત્ર આવેલો હતો. તેને જોઈને તે અત્યંત પ્રસન્ન થઈ. પછી પુત્રની રજા લઈને બે વસ્ત્ર તથા કેટલાક રૂપિયા પેલા સત્ય બોલનારને તેણે આપ્યા. તે જોઈ બીજાએ ખેદ પામીને વિચાર્યું કે–“ખરેખર ગુરુએ મને સારી રીતે ભણાવ્યો જ નથી. જો એમ ન હોય તો હું જાણતો નથી, અને આ ક્યાંથી જાણે? માટે તેમાં ગુરુનો દોષ છે.” ૧. અંતરમાં પ્રીતિ ન હોય અને બહારથી દેખાડવા માત્ર વંદન નમસ્કાર કરે તે મિથ્યાવિનય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy