SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૯] જ્ઞાનાચારનો ત્રીજો ભેદ- બહુમાન ૨૦૧ કે—“અહો! આ ગુરુનો મારા પર મોટો ઉપકાર થયો છે કે જેમણે અનાદિ કાળથી નહીં પામેલો એવો રત્નત્રયીનો માર્ગ મને દેખાડ્યો. મને ઘણા કાળથી પરિભ્રમણ કરનારાને પરમાત્માએ કહેલા ધર્મમાર્ગના રહસ્યમાં સ્થાપન કર્યો. અહો! અનાદિ કાળથી આવી રીતે મને કોઈએ તાડના કરી નહોતી, કે જે તાડનાથી અનેક ભવમાં ઉપાર્જન કરેલાં કર્મો નાશ પામે છે. અહો! જ્ઞાની ગુરુ વિના બીજો કોણ આવો ઉપકાર કરે?’’ ઇત્યાદિ શુભ ધ્યાનમાં આરૂઢ થઈને ઉપશમ શ્રેણી વડે કર્મનાં દળિયાંને ઉપશમાવીને ફરીથી ક્ષપકશ્રેણી વડે તે કર્મનાં અંશોનો ક્ષય કરી મોહરાજાની સેનાનો પરાજય કરીને માત્ર એક ગુરુના વિનયથી જ કેવળજ્ઞાન પામ્યો. જેને માટે ઉદ્યમ કર્યો તે વસ્તુ તે તત્કાળ પામ્યો. પછી કેવળજ્ઞાન વડે માર્ગને સારી રીતે જોઈ શકવાથી વિષમ માર્ગને તજીને સારા માર્ગે ગુરુને લઈ ગયો અને ગુરુને ઘર્મની પ્રીતિથી પ્રસન્ન કર્યા. પ્રાતઃકાળે સૂરિએ શિષ્યના મસ્તક ઉપર રુધિર વહેતું જોઈને વિચાર્યું કે—‘‘અહો! આ શિષ્ય નવદીક્ષિત છતાં મન, વચન અને કાયાના યોગે કરીને તેની ક્ષમા કોઈ નવીન અને અલૌકિક છે; હું ચિરકાળનો દીક્ષિત છું છતાં પણ મારો પ્રચંડ કોપ જતો નથી, તેથી તે કોપને ધિક્કાર છે!'' એમ વિચારીને તે સૂરિ શિષ્ય પ્રત્યે બોલ્યા કે—“હે શિષ્ય! મેં એક મોટું આશ્ચર્ય જોયું કે પ્રથમ તને માર્ગમાં પગલે પગલે વારંવાર સ્ખલના પામતો મેં જોયો હતો, ત્યાર પછી પ્રથમ જેવો જ અંધકાર છતાં સરલ ગતિથી મને જરા પણ પીડા ઉત્પન્ન કર્યા વિના જાણે સૂર્યે માર્ગ બતાવ્યો હોય તેમ તું ઠીક રીતે ચાલ્યો તે મોટું આશ્ચર્ય મને લાગે છે.’ શિષ્ય બોલ્યો કે–‘‘દેવગુરુના વિનયથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને શ્રુતજ્ઞાનથી બીજા જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી શું નથી થતું? સર્વ થાય છે.’’ ઇત્યાદિ અપેક્ષાવાળાં વચનો બોલવાથી સૂરિ ‘આને અનંત અવ્યાબાધ જ્ઞાન પ્રાપ્ત થયું જણાય છે’’ એમ માનીને ફરીથી પોતાના આત્માની નિંદા કરતા તેના ચરણ કમળમાં પડ્યા. એવી રીતે ચિત્તમાં શુભ ભાવના ભાવતાં તે આચાર્ય પણ કેવળજ્ઞાન પામ્યા. એ રીતે સારા વિનયવાળા શિષ્યો ઉત્કટ કોપવાળા ગુરુને પણ મોક્ષ આપનારા થાય છે.’’ વ્યાખ્યાન ૨૫૯ જ્ઞાનાચારનો ત્રીજો ભેદ- બહુમાન विद्या फलप्रदावश्यं जायते बहुमानतः । तदाचारस्तृतीयोऽतो, विनयतोऽधिको मतः ॥१॥ " ભાવાર્થ—“ગુરુ આદિકનું બહુમાન કરવાથી વિદ્યા અવશ્ય ફળદાયક થાય છે; તેથી તે ત્રીજો આચાર વિનયથી પણ અધિક માનેલો છે.’' વિનય તો વંદના, નમસ્કાર વગેરે બાહ્યાચારથી પણ થઈ શકે છે, અને બહુમાન તો અંતરની પ્રીતિથી જ થાય છે. તે બહુમાન હોય તો એકાંતે ક૨ીને ગુરુ વગેરેની ઇચ્છાને અનુસરવું, ગુણનું ગ્રહણ કરવું, દોષનું આચ્છાદન કરવું, તથા અભ્યુદયનું ચિંતવન કરવું ઇત્યાદિ થાય છે. જે શ્રુતના અર્થી હોય તેણે તો ગુરુ વગેરેનું બહુમાન અવશ્ય કરવું; તે વિના ધણા વિનયથી પણ ગ્રહણ કરેલી વિદ્યા ફળદાયક થતી નથી. તે વિષે ગૌતમપૃચ્છામાં કહ્યું છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy