SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ હતી. અન્યદા તે આચાર્ય વિચાર્યું કે-“આ બઘાનું નિવારણ મારા એકલાથી થઈ શકતું નથી, તેમજ અધિક રોષ કરવાથી મારું પોતાનું પણ હિત થતું નથી.” એમ વિચારીને તે ધ્યાન કરવા માટે એકાંત સ્થાને બેઠા. તે અવસરે અવંતિ નગરીના રહેવાસી કોઈ શેઠનો પુત્ર તરત જ પરણેલો હોવાથી હાથે બાંધેલા મીંઢળ સહિત પોતાના મિત્રો સાથે ત્યાં આવ્યો. તેના મિત્રોએ મશ્કરીમાં સાધુઓને કહ્યું કે-“હે સાઘુઓ! આ અમારો મિત્ર સંસારથી વિરક્ત થઈને તમારી પાસે દીક્ષા લેવા ઇચ્છે છે, માટે તમે તેને દીક્ષા આપો.” તે સાંભળીને તે સાધુઓએ તેને ગંઘ, માલ્ય તથા ઉત્તમ વસ્ત્રથી શણગારેલો જોઈ વિવાહકાર્યમાં પ્રવર્તેલો જાણીને તેના મિત્રો હાસ્ય કરે છે એમ ઘારી તેમને ગુરુ પાસે મોકલ્યા. ત્યાં પણ તેઓએ તે જ પ્રમાણે કહ્યું, ત્યારે ગુરુએ કોપથી તેઓને કહ્યું કે-“હે ભાવિક શ્રાવકો! એમ હોય તો રાખ લાવો.” ત્યારે તે મશ્કરાઓ રાખ પણ લાવ્યા. પછી ગુરુએ જાતે તેના માથાનો લોચ કર્યો. ત્યારે તે શેઠના પુત્રે લઘુકર્મી હોવાથી મનમાં વિચાર્યું કે–“અહો! મેં જાતે જ દીક્ષા ગ્રહણ કરી, તેમાં ગુરુનો શો દોષ? ઇંદ્રાદિકને પણ દુર્લભ એવું આ ચારિત્ર મને વિના પ્રયાસે મળ્યું, અને આચાર્યે પોતે જ આપ્યું, માટે હવે તેનો ત્યાગ કરવો ઉચિત નથી.” કહ્યું છે કે प्रमादसंगतेनापि, या वाक् प्रोक्ता मनस्विना । सा कथं दृषदुत्कीर्णाक्षरालीवान्यथा भवेत् ॥१॥ ભાવાર્થ-“મનસ્વી પુરુષે પ્રમાદના વશથી પણ જે વાણી કહી હોય તે વાણી પથ્થરમાં કોતરેલા અક્ષરની પંક્તિની જેમ અન્યથા (મિથ્યા) કેમ થાય? અર્થાત્ મિથ્યા થાય નહીં.” એમ વિચારીને તેણે મિત્રોને કહ્યું કે-“તમે ઘેર જાઓ, મારે હવે ઘરનું કાંઈ પ્રયોજન નથી.” તે સાંભળીને તેના મિત્રોએ તેને સંસારના ભોગને માટે ઘણું સમજાવ્યો, પણ તેણે ગ્રહણ કરેલું વ્રત છોડ્યું નહીં, તેથી વિલખા થઈને તેઓ પોતપોતાને ઘેર ગયા. હવે તે શ્રેષ્ઠીપુત્ર નવો દીક્ષિત થયેલો હતો; તો પણ મનના પરિણામે કરીને તો જાણે ઘણા કાળનો દીક્ષિત હોય તેવો લાગતો હતો. તેણે ગુરુને કહ્યું કે–“હે ભગવન્! મારા સ્વજનોને ખબર પડશે એટલે તેઓ અહીં આવશે, અને મારું ચારિત્ર મુકાવશે; તેથી આપણે બીજે ક્યાંય જતા રહીએ.” ગુરુએ કહ્યું કે “હે મહાનુભાવ!મને રાત્રે દેખાતું નથી, માટે તું પ્રથમ રસ્તો જોઈ આવ.” તે સાંભળીને તે માર્ગ શોધીને તરત પાછો આવ્યો અને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે-“ગુરુજી! પઘારો.” એટલે ગુરુ પણ તત્કાળ રાત્રીને વિષે તેની સાથે ચાલ્યા. અંઘકારથી વ્યાપ્ત થયેલા માર્ગમાં ઊંચા નીચા પ્રદેશોમાં ચાલતાં પગલે પગલે અલને પામવાથી પૃથ્વી પર પડતા ગુરુ શિષ્યના ઉપર કોપ પામીને તેને આક્રોશ કરવા લાગ્યા કે-“હે પાપિષ્ઠ! તે કેવો રસ્તો શોધ્યો?” એમ કહીને દંડવતી તેના પર પ્રહાર કર્યો, તો પણ તે સુશિષ્ય મનમાં ચિંતવવા લાગ્યો કે–“અરે! આ ગુરુમહારાજ પોતાના પરિવારમાં સુખે રહેતા હતા, તેમાં મેં નિર્માગીએ તેમને દુઃખને પાત્ર કર્યા. કેટલાક શિષ્યો ગુરુને જન્મ પર્યત સુખ આપનારા હોય છે, અને હું તો પહેલે દિવસે જ ગુરુની આશાતના કરનારો થયો. પણ હવે ગુરુને કોઈ ઠૂંઠા વગેરેથી વધારે પીડા ન થાઓ.” ઇત્યાદિ વિચારતો તે ઘીરે ઘીરે માર્ગ દેખાડતો અતિ પ્રયત્ન વડે ચાલવા લાગ્યો. વળી વિચારવા લાગ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy