SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૮] જ્ઞાનાચારનો બીજો ભેદ-વિનયાચાર ૧૯૯ વિદ્યા જીરવી શક્યો નથી.” પછી સ્થૂલભદ્ર સર્વ સંઘ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી ગુરુ પાસે મોકલી ગુરુને મનાવવા લાગ્યા; કેમકે “મોટાનો કોપ મોટા જ શાંત કરી શકે.” સૂરિએ સંઘને કહ્યું કે–“જેમ આ સ્થૂલભદ્ર હમણાં પોતાનું રૂપ વિકવ્યું તેમ બીજા પણ કરશે અને વિદ્યાનો દુરુપયોગ કરશે. વળી હવે પછી મનુષ્યો મંદ સત્ત્વવાળા થશે.” તો પણ સંઘે વધારે આગ્રહથી સ્થૂલભદ્રને ભણાવવા કહ્યું, ત્યારે ગુરુએ ઉપયોગ આપ્યો, તો જાણ્યું કે-“બાકીના પૂર્વનો મારાથી અભાવ નથી, માટે આ સ્થૂલભદ્રને બાકીના પૂર્વે ભણાવું.” એમ વિચારીને ગુરુએ “તારે બીજા કોઈને બાકીનાં પૂર્વે ભણાવવાં નહીં” એવો અભિગ્રહ કરાવીને સ્થૂલભદ્રને વાચના આપી. તેથી તે ચૌદ પૂર્વના ઘારણ કરનારા થયા. વીરભગવાનના મોક્ષ પછી એકસો સિત્તેર વર્ષે ભદ્રબાહુ સ્વામી પણ સમાધિથી સ્વર્ગે ગયા. આ દૃષ્ટાંતનો ઉપનય હૃદયમાં ધારણ કરીને શ્રુતની આશાતના તજવી. એ શ્રુતનો વિનય કહ્યો. વળી શુશ્રુષા વગેરે કરવાનો અવસરે જ્ઞાનીનો પણ વિનય કરવો. તે વિષે સૂત્રમાં કહ્યું છે કે न पक्खओ न पुरओ, नेव किच्चाण पिठ्ठओ । न जुज्जे उरुणा उरं, सयणे नो पडिस्सुणे ॥१॥ ભાવાર્થ-“નમસ્કારાદિક કરવા યોગ્ય ગુરુની બહુ નજીકમાં પડખે બેસવું નહીં, સન્મુખ બેસવું નહીં, પાછળ બેસવું નહીં, ઢીંચણે ઢીંચણ અડકાડીને બેસવું નહીં, તેમજ શધ્યામાં રહીને ગુરુવાક્ય સાંભળ્યું નહીં. એટલે વાક્ય સાંભળતાં જ ઊભા થઈ જવાબ દેવો.” વિશેષાર્થ-ગુરુના ડાબે તથા જમણે પડખે બેસવું નહીં; તેમ બેસવાથી ગુરુના સરખા આસને બેસવા રૂપ અવિનય થાય. સન્મુખ બેસવું નહીં; તેમ કરવાથી વંદન કરનાર લોકોને ગુરુનું મુખ દેખાય નહીં, તેથી તેમને અપ્રીતિ થાય. તેમજ ગુરુની પાછળ બેસવું નહીં, તેમ કરવાથી બન્નેનું મુખ જોવાય નહીં, તેથી રસ આવે નહીં. પોતાના ઢીંચણ સાથે ગુરુનો ઢીંચણ અડકાડવો નહીં, તથા શધ્યામાં સૂતા અથવા બેઠા ગુરુનું વાક્ય સાંભળવું નહીં, પણ ગુરુ બોલે કે તરત જ તેમની પાસે જઈને તેના ચરણકમળમાં નમીને મારા પર ગુરુની બહુ કૃપા છે” એમ મનમાં માનીને “ભગવન્! ફુચ્છામી શિષ્ટિ” “હે ગુરુ! શી આજ્ઞા છે?” એમ પૂછવું. તેમજ શિષ્ય વિનય ગુણ વડે ગુરુને પ્રસન્ન કરવા કહ્યું છે કે___ अणासवा थूलवया कुसीला, मिउं पि चंडं पकरंति सीसा । चित्ताणुआ लहु दक्खोववेआ, पसायले ते हु दुरासयंपि ॥१॥ ભાવાર્થ-“ગુરુના વચનને નહીં માનનારા, વિચાર્યા વિના બોલનારા અને ખરાબ શીલવાળા શિષ્યો કોમળ ગુરુને પણ પ્રચંડ કરે છે; અને ગુરુના ચિત્તને અનુસરનાર તથા ચાતુર્ય ગુણથી યુક્ત એવા શિષ્યો દુરાસદ (અતિ ક્રોઘવાળા) ગુરુને પણ પ્રસન્ન કરે છે. તે ઉપર ચંડરુદ્ર આચાર્યનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે ચંડદ્ધ આચાર્યનું દ્રષ્ટાંત અવંતિ નગરીના ઉદ્યાનમાં ચંડરુદ્ર આચાર્ય પરિવાર સહિત આવીને સમવસર્યા. તે પોતાના સાધુના ન્યૂનાદિક ક્રિયા માત્રના દોષને જોઈ જોઈને વારંવાર કોપ કરતા હતા. તેની પ્રકૃતિ જ ક્રોઘી Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy