SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી ઉપદેશપ્રાસદ ભાષાંતર-ભાગ ૪ - [તંભ ૧૮ અર્થસહિત એક મુહૂર્ત માત્રમાં ગણી શકાય છે.” તે સાંભળીને તે બન્ને સાધુઓએ પાછા આવીને સૂરિનું કહેલું વચન શ્રી સંઘને કહ્યું. પછી સંઘે બીજા બે મુનિને બોલાવીને આજ્ઞા આપી કે–“તમારે સૂરિ પાસે જઈને કહેવું કે શ્રી સંઘની આજ્ઞા ન માને તેનો શો દંડ કરવો તે અમને કહો. જો તે સૂરિ એમ કહે કે તેવાને સંઘ બહાર કરવો; તો તમારે ઊંચે સ્વરે સૂરિને કહેવું કે હે આચાર્ય મહારાજ! આપ પોતે જ તે દંડને યોગ્ય છો.” પછી તે બન્ને મુનિએ ત્યાં જઈને સૂરિને તે જ પ્રમાણે કહ્યું; એટલે સૂરિ બોલ્યા કે–“પૂજ્ય સંઘે એવું ન કરવું પણ મારા પર કૃપા કરીને બુદ્ધિમાન સાધુઓને અહીં મોકલવા, તેઓને હું સાત વાચના આપીશ. તેમાં એક વાચના આહાર લઈને આવ્યા પછી આપીશ, ત્રણ વાચના ત્રણ વખતની કાળ વેળાએ આપીશ અને ત્રણ વાચના સાંજનું પ્રતિક્રમણ કર્યા પછી આપીશ. એમ કરવાથી સંઘનું કામ થશે ને મારું પણ થશે.” તે સાંભળીને તે બન્ને મુનિએ પાછા આવીને સંઘને તે પ્રમાણે કહ્યું, તેથી સંઘ પ્રસન્ન થયો અને સ્થૂલભદ્ર વગેરે પાંચસો સાધુને સૂરિ પાસે મોકલ્યા. તેમને સૂરિ ભણાવવા લાગ્યા. તેમાં સ્થૂલભદ્રમુનિ વિના બીજા સર્વ સાઘુઓ થોડી વાચનાથી ભણવામાં અસંતુષ્ટ થઈને પોતપોતાને સ્થાને આવતા રહ્યા. માત્ર સ્થૂલભદ્ર મુનિ મહા બુદ્ધિમાન હતા તે એકલા રહ્યા. તેમણે આઠ વર્ષમાં આઠ પૂર્વનો અભ્યાસ કર્યો. એકદા અલ્પ વાચનાથી ઉદ્વેગ પામેલા જોઈને સૂરિ બોલ્યા કે “હે વત્સ! મારું ધ્યાન પૂર્ણ થવા આવ્યું છે, ત્યાર પછી તને તારી ઇચ્છા મુજબ વાચના આપીશ.” સ્થૂલભદ્રે પૂછ્યું “હે સ્વામી! હવે મારે કેટલું ભણવું બાકી રહ્યું છે?” ગુરુએ જવાબ આપ્યો કે-“બિંદુ જેટલું તું ભણ્યો છે, અને સમુદ્ર જેટલું બાકી રહ્યું છે.” પછી મહા પ્રાણાયામધ્યાન પૂર્ણ થતાં સ્થૂલભદ્ર બે વસ્તુઓ જૂન એવા દશ પૂર્વ સુધી ભણ્યા. એકદા સ્થૂલભદ્રની બહેનો યક્ષા વગેરે સાધ્વીઓ તેમને વંદના કરવા માટે આવી. પ્રથમ સૂરિને વાંદીને તેઓએ પૂછ્યું કે-“હે પ્રભુ! સ્થૂલભદ્રમુનિ ક્યાં છે?” સૂરિએ કહ્યું કે–“નાના દેવકુળમાં છે.” એમ સાંભળીને સાધ્વીઓ તે તરફ ચાલી, તેમને આવતી જોઈને સ્થૂલભદ્ર આશ્ચર્ય દેખાડવા માટે પોતાનું રૂપ ફેરવીને સિંહનું રૂપ ઘારણ કર્યું. તે સાધ્વીઓ સિંહને જોઈને ભય પામી અને સૂરિ પાસે આવીને તે વાત કહી. સૂરિએ ઉપયોગથી તે હકીકત જાણીને કહ્યું કે-“તમે જઈને વાંદો, ત્યાં તમારા મોટા ભાઈ જ છે, સિંહ નથી.” એટલે તે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઈ, તે વખતે સ્થૂલભદ્ર પોતાના જ સ્વરૂપે હતા, તેમને વંદના કરી. પછી તેમના ભાઈ શ્રીયકના સ્વર્ગગમનનું વૃત્તાંત કહીને તેમજ પોતાનો સંશય ટાળીને તે સાધ્વીઓ પોતાને સ્થાને ગઈ. પછી સ્થૂલભદ્ર વાચના લેવા માટે ગુરુ પાસે ગયા, તે વખતે સૂરિએ વાચના આપી નહીં અને બોલ્યા કે “તું વાચનાને અયોગ્ય છે.” અચાનક ગુરુનું આવું વચન સાંભળીને સ્થૂલભદ્ર દીક્ષાના દિવસથી આરંભીને પોતાના અપરાઘ સંભારવા લાગ્યા. પછી તે બોલ્યા કે–“હે પૂજ્ય ગુરુ! મેં કાંઈ પણ અપરાધ કર્યો જણાતો નથી, પણ આપ કહો તે ખરું.” ગુરુ બોલ્યા કે–“તું અપરાધ કરીને કબૂલ કરતો નથી? તેથી શું પાપ શાંત થઈ ગયું?” પછી સ્થૂલભદ્ર સિંહનું રૂપ કરવા વડે કરેલી શ્રતની આશાતનાનું સ્મરણ કરીને ગુરુના ચરણકમળમાં પડ્યા અને બોલ્યા કે—“ફરીથી આવું કામ નહીં કરું, ક્ષમા કરો.” સૂરિ બોલ્યા કે “તું યોગ્ય નથી. તેને વિદ્યાનું અજીર્ણ થયું છે. તું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy