SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ વ્યાખ્યાન ૨૫૮] જ્ઞાનાચારનો બીજો ભેદ-વિનયાચાર વ્યાખ્યાન ૫૮ જ્ઞાનાચારનો બીજો ભેદ-વિનયાચાર હવે બીજો વિનયાચાર વર્ણવે છે– श्रुतस्याशातना त्याज्या, तद्विनयः श्रुतात्मकः । शुश्रूषादि क्रियाकाळे, तत्कुर्याज्ज्ञानिनामपि ॥४॥ ભાવાર્થ-“શ્રુતની આશાતના કરવી નહીં, કારણ કે તેનો વિનય શ્રુતસ્વરૂપ છે; તેથી કરીને શુશ્રુષાદિક ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનવાળાનો પણ વિનય કરવો.” શ્રતના દ્રવ્ય અને ભાવ એવા બે પ્રકાર છે. તેમાં પુસ્તક અક્ષર વગેરે દ્રવ્યશ્રત કહેવાય છે. પગ અડાડવા તથા થુંક વડે લખેલો અક્ષર બગાડવો વગેરે દ્રવ્યશ્રુતની આશાતના જાણવી; અને પરમાત્માએ કહેલા પદાર્થમાં પોતાની બુદ્ધિ ચલાવીને તેનો અન્યથા અર્થ કરવો તે ભાવશ્રુતની આશાતના જાણવી. પ્રતિક્રમણ આવશ્યકમાં તેત્રીશ આશાતનાના વર્ણનમાં કહ્યું છે કે–“સુસ માસીયUTગે કુવામાં ગાવાયUIT” મૃતની આશાતના, કૃતના અધિષ્ઠાયિક દેવતાની આશાતના વગેરે. અહીં કોઈને શંકા થાય છે–“મૃતદેવતાની આશાતના છે જ નહીં અથવા તો તે મૃત દેવતા કશા કામના નથી.” તેનો જવાબ કહે છે કે–જિનેન્દ્ર કહેલ આગમ દેવતાના અધિષ્ઠાતા વિનાના છે જ નહીં માટે મૃતદેવતા છે, અને તેથી તેની આશાતના પણ છે. “તે મૃતદેવતા કશા કામના નથી” એમ પણ શંકા કરવી નહીં, કેમકે મૃતદેવતાનું અવલંબન કરીને પ્રશસ્ત મનવાળા જીવોનો કર્મક્ષય જોવામાં આવે છે. શ્રુતમાં કહેલા વચનનું ઉલ્લંઘન કરવું તે પણ ભાવકૃતની આશાતના જાણવી. શ્રી જિનેંદ્રોએ શ્રુતમાં એવું કહ્યું છે કે–“મંત્રાદિ વિદ્યા શાસનનું મોટું કાર્ય હોય તો જ ઉપયોગમાં લેવી; પણ બીજા કોઈ કારણે તેનો ઉપયોગ કરવો નહીં. જે કોઈ પ્રમાદ વગેરે કારણથી અથવા આશ્ચર્ય બતાવવાની ઇચ્છાથી સ્થૂલભદ્ર મુનિની જેમ લબ્ધિ વિદ્યાનો ઉપયોગ કરે છે તે શ્રતની આશાતના કરે છે, અને તેમ કરવાથી મોટી હાનિ પ્રાપ્ત થાય છે. તે સંબંઘમાં સ્થૂલભદ્રનો પ્રબંઘ કહે છે– સ્થૂલભદ્રનો પ્રબંધ પાટલિપુર નગરમાં શ્રી શ્રમણ સંઘ એકત્ર થઈને વિચાર કરવા લાગ્યો કે-“હાલમાં મહા ભયંકર દુષ્કાળ પ્રવર્તે છે, તેથી બુદ્ધિમાન સાઘુ પણ અભ્યાસ ન રાખવાથી અને ભણેલું ન ગણવાથી ઘણું શ્રત વીસરી ગયા છે, માટે હવે શ્રુતનો ઉદ્ધાર કરવો જોઈએ.” એમ વિચારીને શ્રી સંઘે અગિયાર અંગ સંબંધી અધ્યયન, ઉદ્દેશા વગેરે જે હતા તે સર્વે મેળવ્યા. પછી દ્રષ્ટિવાદ મેળવવા માટે કાંઈક વિચાર કરવા લાગ્યા. વિચારતાં નેપાલ દેશમાં રહેલાં શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીને જાણીને તેમને બોલાવવા માટે સંઘે બે મુનિઓને મોકલ્યા. તે મુનિઓ ત્યાં જઈ તેમને વાંદીને બોલ્યા કે-“હે સ્વામી! આપને શ્રી સંઘ ત્યાં આવવા માટે આજ્ઞા કરે છે.” તે સાંભળીને સૂરિએ કહ્યું કે-“મેં મહાપ્રાણાયામ ધ્યાન આવ્યું છે, તે બાર વર્ષે સિદ્ધ થાય છે તેથી હું આવી શકીશ નહીં. મહાપ્રાણાયામ સિદ્ધ થયા પછી કોઈ પણ કાર્ય આવી પડે તો ચૌદ પૂર્વ સૂત્ર તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy