SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૮ ભાવાર્થ-“હે કમલાક્ષી! પીવા લાયક પાણી જલદીથી લાવ, કેમકે પાણી વિના સર્વ વસ્તુ દસ્થ થયેલાની જેમ તત્કાળ સુકાઈ જાય છે.” प्राथम्यमुदधिष्वासीत्, सत्यं ते लवणोदधे । यद्रसेन विना सर्वरसो न स्वादमर्हति ॥२॥ ભાવાર્થ-“હે લવણસમુદ્ર! સર્વ સમુદ્રોમાં તારું પ્રથમપણું છે તે યોગ્ય છે; કેમકે જેના (તારા) રસ વિના કોઈ પણ રસ સ્વાદ આપતો નથી.” अशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपि शुनो लभते तुलाम् ।। अपि बहूपकृते सखिता खले, न खलुखेलति खे लतिका यथा ॥३॥ ભાવાર્થ-“સ્વામીનું અન્ન માત્ર ખાવાના કૃતજ્ઞપણાથી ચાડિયો કૂતરાની પણ તુલના પામતો નથી; જેમ આકાશમાં લતા ક્રીડા કરતી નથી અર્થાત્ આધાર વિના રહી શકતી નથી, તેમ બહુ ઉપકાર કરેલા બળ પુરુષની સાથે પણ મિત્રતા થઈ શકતી નથી.” क्षणं रुष्टः क्षणं तुष्टो, नानापूजां च वांछति । कन्याराशिस्थितो नित्यं, जामाता दशमो ग्रहः॥४॥ ભાવાર્થ-જમાઈ ક્ષણમાં રોષ પામે છે, ક્ષણમાં સંતોષ પામે છે, અને નાના પ્રકારનો સત્કાર ચાહે છે, માટે તે હમેશાં કન્યા રાશિમાં રહેલા દશમા ગ્રહ સમાન છે.” આ પ્રમાણે બરાબર પોતાના પ્રશ્નોના જવાબ સાંભળીને કાજી વગેરેની સમક્ષ બાદશાહે તેની ઘણી પ્રશંસા કરી. ત્યાર પછી કોઈ દિવસે ફરીથી કાજી વગેરેએ બાદશાહ પાસે લહુઆની ચાડી કરી કે-“હે સ્વામી! કાફર એવા હિંદુ લહુઆની સાથે નિરંતર મંત્ર (વિચાર) કરવો યોગ્ય નથી. આપના રાજ્યમાં તેના જેવા વાણીમાં પ્રવીણ ઘણા માણસો છે.” તે સાંભળીને બાદશાહે તેઓને ફરી ચાર પ્રશ્ન પૂછ્યા કે–“જગતમાં મોટો પુત્ર કોનો? જગતમાં મોટા દાંત કોના? જગતમાં મોટું ઉદર કોનું? અને જગતમાં મોટો ડાહ્યો કોણ?” તે સાંભળીને તેઓ વિચારીને બોલ્યા કે–“હે સ્વામી! જગતમાં બાદશાહના પુત્ર જ મોટો પુત્ર છે, જગતમાં મોટા દાંત અને મોટું ઉદર હાથીનું છે, તથા વિશ્વમાં આપના જેવો બીજો કોઈ ડાહ્યો નથી.” આ પ્રમાણે સાંભળીને બાદશાહે તેઓને તિરસ્કાર કરી લહુઆને બોલાવીને તે ચારે પ્રશ્નો પૂછ્યું, એટલે તે તરત જ બોલ્યો કે-“હે સ્વામી! વિશ્વમાં ગાયના પુત્ર જેવો બીજો કોઈ મોટો પુત્ર નથી, કેમકે તે ખેતી કરી આપવા વડે આખી પૃથ્વીને જિવાડે છે. મોટા દાંત હળના જાણવા, કેમકે તેના વડે પૃથ્વીમાં બીજ વવાય છે ને ઊગે છે. મોટું ઉદર પૃથ્વીનું જાણવું, કેમકે તે સર્વ વસ્તુનું રક્ષણ કરે છે, તેમજ સર્વનો સ્પર્શ પણ સહન કરે છે; તથા મોટો ડાહ્યો તે છે કે જે સમયને યોગ્ય એવું સારું ભાષણ કરે છે. તે સાંભળીને બાદશાહ અતિ પ્રસન્ન થયો અને લહુઆને પોતાનો પ્રીતિપાત્ર કર્યો. આ દ્રષ્ટાંત ઉપયોગી હોવાથી અત્રે લખ્યું છે. આ પ્રમાણે હોવાથી જ્ઞાનાચારનું પાલન કરનાર સાઘુએ જિનેશ્વરની આજ્ઞાને અનુસરીને સર્વ ક્રિયાઓ યોગ્ય કાળે જ કરવી. “શ્રી જિનેશ્વરની આજ્ઞાને અનુસાર અસ્વાધ્યાયનું વર્ણન સાંભળીને સ્વાધ્યાયને વખતે જ શ્રુતનો અનુયોગ આચરવો. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy