SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ ભાવાર્થ-“અહીંથી ગઈ, ત્યાંથી ગઈ, શોધ કરતાં પણ મળી નહીં. અમે જોઈ નથી, તેમ તમે પણ જોઈ નથી. પણ તે અણુલ્લિકા (મોઈ) ખાડામાં પડી છે.’’ ૧૨ આ ગાથા પણ યવમુનિને તત્કાળ કંઠે થઈ ગઈ. પછી તેનું વારંવાર સ્મરણ કરતાં તેઓ આગળ ચાલ્યા. કેટલેક દિવસે તે વિશાલાનગરી સમીપે આવ્યા. ત્યાં એક કુંભારને ઘેર રાત્રિવાસો રહ્યા. તે કુંભારના ઘરમાં એક ઉંદર આમ તેમ ભમતો હતો, તેને તે કુંભારે નીચે પ્રમાણે ગાથા કહી– सुकुमालय कोमल मद्दलया, तुम्हे रत्ति हिंडणसीलणया । अम्ह पसाओ नत्थि ते भयं दिहपिट्ठाओ तुम्ह भयं ॥ १ ॥ ભાવાર્થ-કોમળ અંગવાળા હે ભદ્ર! તારે રાત્રે ચાલવાનો સ્વભાવ છે; પણ તારે અમારા તરફનો ભય નથી, પણ દીર્ઘપૃષ્ઠ (સર્પથી) તારે ભય છે.’’ આ ગાથા પણ યવમુનિએ કંઠે કરી. પછી એ ત્રણ ગાથાને કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન અને કામધેનુ સમાન માનીને તેઓ તેનું વારંવાર આવર્તન કરવા લાગ્યા. હવે અહીં વિશાલાનગરીમાં દીર્ઘપૃષ્ઠ મંત્રીએ ‘‘ગર્દભિલ્લરાજાને કોઈ પણ ઉપાયથી મારીને તેના રાજ્ય પર મારા પુત્રને બેસાડીશ ને તેને અણુલ્લિકા પરણાવીશ.'' એમ ઘારીને તે રાજાની બહેન અણુલ્લિકાને પોતાના ઘરના ભોંયરામાં ગુપ્ત રીતે સંતાડી હતી. રાજાના સુભટોએ તેની ઘણી શોધ કરી પણ તેનો પત્તો લાગ્યો નહીં. તેવામાં મંત્રીએ યવ મુનિને આવેલા સાંભળીને વિચાર્યું કે‘‘આ યવ મુનિને તપના પ્રભાવથી જ્ઞાન પ્રાપ્ત થયું હશે; અને તેથી મારું સર્વ કપટ જાણીને તે જો રાજાને કહેશે તો રાજા મને મારા કુટુંબ સહિત હણી નાખશે, માટે હું આગળથી તેનો કાંઈ પણ ઉપાય કરું.’' એમ વિચારીને તે રાત્રિને વખતે જ ગર્દભિલ્લ રાજા પાસે ગયો. રાજાએ તેને અવસ૨ વિના આવવાનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે—‘ચારિત્રથી ભ્રષ્ટ થયેલા આપના પિતા અહીં આવ્યા છે ને કુંભારને ઘરે રાત રહ્યા છે; તે પ્રાતઃકાળે આવીને આપનું રાજ્ય લઈ લેશે.” આ પ્રમાણે સાંભળીને રાજા બોલ્યો કે—‘જો પિતાશ્રી રાજ્ય લેશે તો હું મારું મોટું ભાગ્ય માનીશ.'’ મંત્રીએ કહ્યું કે ‘‘પોતાને મળેલું રાજ્ય આપી દેવું તે યોગ્ય નથી. કોણિક રાજાની જેમ એવા પિતાને તો હણી નાખવા તે જ યોગ્ય છે.'' આ પ્રમાણે કહી વિવિધ પ્રકારની યુક્તિથી કપટી મંત્રીએ રાજાને સમજાવ્યો; એટલે રાત્રે જ પિતાનો વધ કરવા માટે ગર્દભિલ્લ રાજા હાથમાં ખડ્ગ લઈને કુંભારને ઘેર ગયો, અને બારણાની સાંઘમાંથી પિતાને જોવા લાગ્યો. તેટલામાં યવમુનિ સહજ બુદ્ધિથી પહેલી ગાથા બોલ્યા. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે—“અહો! મારા પિતાએ મારો અભિપ્રાય જાણી લીઘો છે; કેમ કે તે કહે છે કે—હે ગદ્ધા! એટલે હે ગર્દભિલ્લ! તું થવું એટલે યવઋષિને ભક્ષણ કરવા ઇચ્છે છે.’ આ પ્રમાણે રાજાએ પોતાની બુદ્ધિથી તે ગાથાનો અર્થ કર્યો, અને પાછો વિચારવા લાગ્યો કે—આમતેમ જોતાં મને મારા પિતાએ જ્ઞાન વડે જાણ્યો, પણ જો તે ખરેખરા જ્ઞાની હશે તો મારી બહેનના સમાચાર પણ કહેશે.'' તેટલામાં યવમુનિ સહેજે બીજી ગાથા બોલ્યા, તે સાંભળી તેણે તે ગાથાનો એવો અર્થ કર્યો કે—મેં મારી બહેન અણુલ્લિકાની સર્વત્ર શોધ કરી, પણ તે અણુલ્લિકાને કોઈએ ભોંયરામાં સંતાડી છે.” આ પ્રમાણે અર્થ ચિંતવીને વળી વિચારવા લાગ્યો કે—જો હવે મારી બહેનને જેણે સંતાડી હોય તેનું નામ પ્રકાશ કરે તો સારું.'' For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy