SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પ જ્ઞાન પણ સુખનું કારણ વ્યાખ્યાન ૨૧૪ અલ્પ જ્ઞાન પણ સુખનું કારણ હવે થોડા અક્ષર શીખવાથી પણ સુખ થાય છે તે વિષે કહે છે— ज्ञानं शिक्षयेदल्पं हि भवेत्तन्न निरर्थकम् । स्वल्पाक्षरमहिम्नाऽपि, यवेन जीव रक्षितः ॥ १ ॥ વ્યાખ્યાન ૨૧૪] ૧૧ ભાવાર્થ—“થોડું જ્ઞાન શીખવાથી પણ તે નિરર્થક થતું નથી, કેમકે થોડા જ્ઞાનના મહિમાથી પણ યવ નામના રાજર્ષિએ પોતાના જીવની રક્ષા કરી હતી. યવ ઋષિની કથા વિશાલા નામની નગરીમાં યવ નામે રાજા હતો. તેને ગર્દભિલ્લુ નામનો પુત્ર, અણુલ્લિકા નામની પુત્રી અને દીર્ઘપૃષ્ઠ નામનો પ્રધાન હતો. એક દિવસ રાત્રિના પાછલા ભાગમાં જાગેલા રાજાએ વિચાર્યું કે—“મેં પૂર્વ ભવમાં કાંઈ પણ અદ્ભુત સુકૃત કર્યું હશે કે જેથી તે સુકૃતના પ્રભાવે સમુદ્ર પર્યંત સમગ્ર પૃથ્વીને સ્વતંત્રતાથી ભોગવું છું. માટે આ ભવમાં પણ હવે એવું સુકૃત કરું કે જેથી આવતો ભવ પણ સુધરે.” આ પ્રમાણે વિચારીને પ્રાતઃકાળે પોતાના પુત્રને રાજ્યપર બેસાડીને કેટલીક હિતશિક્ષા આપી અને ઉપવનમાં આવેલા ગુરુને વાંદી તેમની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી વૈયાવચ્ચમાં તત્પર રહ્યા છતાં તેમણે તીવ્ર તપ કરવા માંડ્યું, અને ગુરુમહારાજની સાથે વિહાર કરવા લાગ્યા. ગુરુએ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બહુ કહ્યું, તોપણ તે કાંઈ શીખ્યા નહીં; અને એમ કહેવા લાગ્યા કે ‘“હું વૃદ્ધ છું તેથી મને પાઠ આવડશે નહીં.' એકદા લાભનું કારણ જોઈને ગુરુમહારાજે તે યવ મુનિને તેમના પુત્રને પ્રતિબોધ કરવા માટે વિશાલાનગરીએ મોકલ્યા. ગુરુનાં વચનને પુષ્પમાળાની જેમ મસ્તક પર ચઢાવીને તે ચાલ્યા. રસ્તામાં તેમણે વિચાર્યું કે—“મને કિંચિત્ પણ શાસ્ત્રનું જ્ઞાન નથી, તો હું પુત્રને તથા બીજાઓને શું ઉપદેશ આપીશ?’’ આ પ્રમાણે તેઓ વિચાર કરતા હતા, તેવામાં નજીકના કોઈ ખેતરમાં જવ ખાવાની ઇચ્છાથી આવતા પણ માયા વડે ચોતરફ જોતા ગઘેડાને તે ખેતરના રક્ષકે નીચે પ્રમાણે ગાથા કહી– ओहावस पहावसि, ममं चेव निरक्खसि । लखिओ ते अभिप्पाओ, जवं भक्खेसि गदहा ॥ १ ॥ ભાવાર્થ—હૈ ગર્દભ! તું ઉતાવળો ઉતાવળો આવે છે, અને મને જુએ છે, પણ મેં તારો અભિપ્રાય જાણી લીધો છે કે તારે જવનું ભક્ષણ કરવાની ઇચ્છા છે.’’ આ પ્રમાણેની ગાથા સાંભળીને યવમુનિએ, જાણે અમોઘ શસ્ત્ર માર્યું હોય તેવી તે ગાથા માની; અને તેને મહાવિદ્યાની જેમ સંભારતા સંભારતા આગળ ચાલ્યા. કેટલેક દૂર જતાં એક ગામની નજીકમાં કેટલાક છોકરાઓ રમતા હતા. તેમાં એક છોકરાએ લાકડાના કટકાની અણુલ્લિકા (મોઈ) ફેંકી. તે બીજા બાળકોએ શોધી, પણ જડી નહીં; ત્યારે કોઈ છોકરાએ નીચે પ્રમાણે ગાથા કહી– अओ गया तओ गया, जोइज्जति न दीसइ । अम्हे न दिट्टि तुम्हे न दिट्ठि, अगडे छुटा अणुल्लिया ॥ १ ॥ ', For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy