SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ વર્જન, ઇત્યાદિક પચખાણ કર્યા. ત્યાર પછી પર્ષદા પોતપોતાના સ્થાને ગઈ. પછી ક્લાકેલિ રાજાએ હસ્તકમળ જોડીને નમ્રતાથી ભગવાનને આ પ્રમાણે પૂછ્યું કે-“હે કરુણાસાગર, પરમ દયાના ભંડાર અને ત્રિભુવનમાં સૂર્ય સમાન ભગવંત! આપ જયવંતા વર્તો. હે પ્રભો! કયા કમેં કરીને મને આવી રાજ્યસંપદા પ્રાપ્ત થઈ તે કૃપા કરીને કહો.” ત્યારે પાર્શ્વનાથ સ્વામીએ કહ્યું કે–“હે રાજન્!તારા પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભરતને વિષે અંગ નામે દેશ છે. તેમાં રમાપુરી નામે નગરી છે. ત્યાં જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં એક ઘના નામનો નિર્ણન વણિક રહેતો હતો, તે જેવા તેવા પ્રકારના ઉદ્યોગથી આજીવિકા (ઉદરપૂર્તિ) કરતો હતો. એકદા રમાપુરીની સમીપના ઉદ્યાનમાં બાવીસમા તીર્થંકર બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાન અઢાર ગણઘર, અઢાર હજાર સાધુ અને છત્રીસ હજાર સાધ્વીઓના પરિવાર સહિત સમવસર્યા. તેમના દેહની કાંતિ શ્યામ કમળના જેવી હતી, દેહનું પ્રમાણ દશ ઘનુષ્ય ઊંચું હતું, અને ચારે પ્રકારના દેવતાઓ તેમના ચરણકમળની સેવા કરતા હતા. ઉદ્યાનમાં દેવતાઓએ સમવસરણ રચ્યું તેના મધ્યભાગમાં સિંહાસન ઉપર તે નેમિનાથ સ્વામી બિરાજ્યા અને સર્વ પર્ષદા પણ આવી. તે વખતે તેમણે નીચે પ્રમાણે ઘર્મદેશના આપી. भवे जीवा वि बज्झंति, मुच्चंति य तहेव य । सव्वकम्म खवेऊण, सिद्धिं गच्छइ नीरया ॥१॥ ભાવાર્થ-જેમ જીવો સંસારને વિષે બંઘાય છે તેમજ સંસારથી મુક્ત પણ થાય છે, અને સર્વ કર્મનો ક્ષય કરીને આસક્તિ રહિતપણે સિદ્ધિપદને પામે છે.” આ પ્રમાણે ઘર્મદેશના ચાલતી હતી. તે સમયે પેલો ઘના નામે વાણીઓ ત્યાં આવ્યો; તે વખતે ભગવાને એવો ઉપદેશ કર્યો કે-જે ભવ્ય પ્રાણી જિનેંદ્રની પાસે દીપપૂજા કરે છે તે રાજ્યલક્ષ્મી પામીને થાવત્ મોક્ષે જાય છે.” એ પ્રમાણેનો ઘર્મોપદેશ સાંભળીને હર્ષ પામેલા ઘનાએ આ પ્રમાણે મનમાં વિચાર્યું કે- હું જિનેશ્વરની પાસે નિરંતર દીપપૂજા કરીશ.” પછી એવો અભિગ્રહ ઘારણ કરી શ્રી નેમિનાથને વાંદીને તે ઘનો પોતાને ઘેર ગયો. ત્યાર પછી જીવહિંસા ન થાય તેવી રીતે પોતાના જ્ઞાનાદિક ત્રણ રત્નના ઉદ્યોતને નિમિત્તે તે વિધિપૂર્વક હંમેશાં દીપપૂજા કરવા લાગ્યો. તેમ કરવાથી મનુષ્યનું આયુષ્ય બાંધી મરણ પામીને કલાકેલિ નામનો તું રાજા થયો છે, અને આવી રાજ્યસમૃદ્ધિ પામ્યો છે.” આ પ્રમાણે શ્રી નેમિનાથ સ્વામી પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળીને આનંદ પામેલો કલાકેલિ રાજા પ્રતિદિન દ્રવ્યપૂજા તથા ભાવપૂજા વિશેષ પ્રકારે કરવા લાગ્યો અને સુખે સુખે રહેવા લાગ્યો. તે રાજા અનેક પ્રકારના સુખ ભોગવીને અનુક્રમે સિદ્ધિપદને પામશે. દીપ એ જ્ઞાનનું પ્રતીક છે. જેની પાસે આત્મજ્ઞાનરૂપી દીવ છે તે સંસારમાં ભટકતો નથી, દીપપૂજા કરીને અંતરમાં આત્મજ્ઞાનરૂપી દીવો પ્રજ્વલિત કરવાનો છે. “હે ભવ્ય પ્રાણીઓ! પોતાનું અજ્ઞાન નાશ કરવા માટે કલાકેલિ રાજાની જેમ જ્ઞાનનો વિકાસ કરનાર એવી દ્રવ્ય અને ભાવથી વિધિપૂર્વક દીપપૂજામાં આદર કરો.” ૧ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકાર. ૨. શુભ તથા અશુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy