SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૩] દીપપૂજા ભાવાર્થ-પર્વતિથિએ પૌષઘ વ્રત કરો તથા દાન, શીલ, તપ, ભાવના, સ્વાધ્યાય, નમસ્કાર, પરોપકાર અને યતના કરો. તથા जिणपूआ जिणथुणिणं, गुरुथुअ साहमिआण वच्छल्लं । सव्वविरइ मणोरह, एमाइं सढ़ किच्चाइं॥३॥ ભાવાર્થ-જિનપૂજા, જિનેશ્વરની સ્તુતિ, ગુરુની સ્તુતિ, સાઘર્મિક વાત્સલ્ય અને સર્વવિરતિનો મનોરથ કરવો-ઇત્યાદિ શ્રાવકનાં કર્તવ્ય છે. હે ભવ્ય પ્રાણીઓ! મોહનીય આદિ આઠ કર્મના વશથી સંસારી જીવ જન્મમરણાદિ અનેક દુઃખોથી વ્યાપ્ત એવા ચતુર્ગતિરૂપ ભયંકર સંસારકાન્તારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. તે જીવ પ્રથમ અકામ નિર્જરાથી થયેલા પુણ્યના ઉદયથી અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે; પછી યથાપ્રવૃત્તિકરણ કરવાથી આયુષ્ય કર્મ વિના સાતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવીને પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ઊણી એક કોડાકોડી સાગરોપમની કરે છે. તેટલી લઘુ સ્થિતિ પર્વત ઉપરથી પડતો પાષાણ કુટાતો પીતો ગોળ થાય તે ન્યાયે કરે છે, તથા શુભભાવ બાંધે છે. યથાપ્રવૃત્તિકરણ વડે જ જીવ પ્રથમ બાદર પૃથ્વીકાયમાં પર્યાપ્ત ભાવે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી કોઈક ભવ્ય જીવ અનુક્રમે સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્યપણું પામી અલ્પ સંસારી થઈને આર્યક્ષેત્રમાં ઉચ્ચ કુળને વિષે ઉત્પન્ન થાય છે. એવી રીતે આર્યક્ષેત્ર, મનુષ્યભવ, ઉચ્ચ કુળ, સુગુરુની જોગવાઈ વગેરે ઘર્મની સામગ્રી પામીને જીવ આત્માના શુદ્ધ સ્વભાવે કરીને અથવા ગુરુના ઉપદેશે કરીને આ પ્રમાણે આત્મસ્વરૂપનું ચિંતવન કરે કે-“આ મારો આત્મા અસંખ્યાત પ્રદેશવાળો છે. તે દ્રવ્યાર્થિક નયે કરીને એક છે, અને પર્યાયાર્થિક નયે કરીને અનેક પરિણામવાળો છે. જ્ઞાન, દર્શનરૂપ શુદ્ધ ગુણના પર્યાયવાળો છે. તે આત્માના અનંતા અસ્તિઘર્મો છે, અનંતા નાસ્તિ ઘર્મો છે અને તેમાં સામાન્ય વિશેષ ધર્મો પણ અનેક રહેલા છે. વળી તે સમગ્ર મુગલ ભાવથી રહિત છે. વસ્તુગત ભાવે ત્રણે કાળ અનંતી કર્મપ્રકૃતિથી રહિત છે. સાકારોપયોગ (જ્ઞાન) તથા અનાકારોપયોગ(દર્શન)ના સ્વભાવવાળો છે. કદાચિત્ પણ ચૈતન્ય ભાવને તજતો નથી. આ મારો આત્મા શાશ્વત છે; શરીર, લેશ્યા, યોગ, કષાય અને ક્લેશ રહિત છે, અર્થાત્ અશરીરી, અલેશી, અયોગી, અકષાયી અને અલ્પેશી છે; પરમ ચિદાનંદ સ્વરૂપી છે, દ્રવ્યાર્થિક નયની મુખ્યતાએ નિત્ય છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે. રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર) મય છે. શ્રદ્ધા, ભાસન અને રમણતા લક્ષણવાળો છે, તથા ઉત્તમ નિમિત્તકારણે કરીને તેનું ઉપાદાન સુઘરે છે; તેથી આ પ્રમાણેનું તેનું શુદ્ધ સ્વરૂપ નિરંતર ધ્યાવવું.” આવી અમૃત સરખી પાર્શ્વનાથ સ્વામીએ ઘર્મદેશના આપી, તે સાંભળીને રાજાદિક સર્વે પૌરલોકો હૃષ્ટ તુષ્ટ થયા, ચિત્તમાં આનંદ પામ્યા, પ્રીતિયુક્ત થયા, પરમ શાંતભાવ પામ્યા અને હર્ષથી ઉલ્લાસ પામેલા હૃદયવાળા થયા. વર્ષાદની ઘારાએ હણેલા કદંબના પુષ્પોની જેમ તેમના રોમાંચ પ્રફુલ્લિત થયા, યાવત્ અસ્થિ મજ્જ પર્યત ઘર્મના રાગથી રંગાઈ ગયા, તેમાંથી કેટલાક જીવોએ ચારિત્ર ગ્રહણ કર્યું, કેટલાકે બાર પ્રકારનો શ્રાવકઘર્મ અંગીકાર કર્યો, અને કેટલાકે રાત્રીભોજનની વિરતિ, અનંતકાયનો ત્યાગ, અભક્ષ્ય ભોજનનો પરિહાર અને વાસી વિદલનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy