SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૮ ઇત્યાદિ અસ્વાધ્યાયનું સ્વરૂપ સંપ્રદાયને અનુસાર જાણીને સ્વાધ્યાય કરવો. કેમકે અયોગ્ય કાળે વાચનાદિક કરવાથી મૂર્ણપણું પ્રાપ્ત થાય છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે કે-કોઈ એક સાધુ સંધ્યાવખત વીત્યા પછી કાલિક શ્રુતનો સમય અતીત થયા છતાં પણ તેનો કાળ નહીં જાણવાથી તેનું પરાવર્તન કરતા હતા. તે જોઈને કોઈ સમ્મદ્રષ્ટિ દેવતાએ વિચાર્યું કે-“હું આને સમજાવું કે જેથી કોઈ મિથ્યાદ્રષ્ટિ દેવતા એને છળે નહીં.” એમ વિચારીને તે મહિયારીનું રૂપ કરી માથે છાશનો ભરેલો ઘડો મૂકી તે સાધુની પાસે થઈને જા-આવ કરવા લાગી. અને “છાશ લો છાશ” એમ વારંવાર મોટેથી બોલવા લાગી. તેથી અત્યંત ઉદ્વેગ પામીને પેલા સાધુએ કહ્યું કે–“અરે! શું તારે છાશ વેચવાનો આ વખત છે?” ત્યારે મહિયારી બોલી કે-“અહો! શું ત્યારે તમારે પણ આ સ્વાધ્યાયનો વખત છે?” તે સાંભળીને સાઘુને વિસ્મય થયો, અને ઉપયોગ દઈને અકાળ જણાવાથી મિથ્યા દુષ્કત દીધું. પછી “અયોગ્ય વખતે સ્વાધ્યાય કરવાથી મિથ્યાવૃષ્ટિ દેવતાએ કરેલો છળ થાય છે, માટે ફરીથી એમ કરશો નહીં.” એવી તે દેવતાએ શિખામણ આપી, માટે યોગ્ય વખતે જ સ્વાધ્યાય કરવો ઉચિત છે. યથોક્ત વખતે કરેલી ક્રિયાઓ અવશ્ય ફળીભૂત થાય છે. ક્રિયા બે પ્રકારની છે. એક પ્રશસ્ત અને બીજી અપ્રશસ્ત. તેમાં સિદ્ધાંત માર્ગમાં કહેલી સર્વ ક્રિયાઓ પ્રશસ્ત છે, અને ખેતી વ્યાપાર વગેરે અપ્રશસ્ત છે. ચર્યા–જવું આવવું અને ભાષણાદિ સર્વ ક્રિયાઓ કાળે કરેલી જ સફળ થાય છે; તેથી જ નીતિશાસ્ત્રમાં પણ અકાળચર્યાને શ્રેષ્ઠ કહેલ નથી. કહ્યું છે કે अकालचर्या विषमा च गोष्ठिः, कुमित्रसेवा न कदापि कार्या । पश्यांडजं पद्मवने प्रसुप्तं, धनुर्विमुक्तेन शरेण ताडितम् ॥१॥ ભાવાર્થ-“અકાળચર્યા, વિષમ ગોષ્ઠી અને કુમિત્રની સેવા–એ કદી પણ કરવાં નહીં. જુઓ નીચની સંગત કરવાથી પદ્મવનમાં સૂતેલો હંસ ઘનુષથી છૂટેલા બાણ વડે મરાયો. તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે કોઈ એક વનને વિષે પધસરોવરમાં મંદરત નામનો હંસ રહેતો હતો. ત્યાં એક વખત કોઈ ઘુવડ આવ્યો, તેને હંસે પૂછ્યું કે-“તું કોણ છે? અને આ વનમાં ક્યાંથી આવ્યો છે?” ઘુવડ બોલ્યો કે–“તમારા ગુણ સાંભળીને હું તમારી સાથે મિત્રાઈ કરવા આવ્યો છું.” એમ કહેવાથી હંસે તેને રહેવા દીધો. અનુક્રમે સાથે ક્રીડા કરતાં મિત્રાઈ બંઘાણી. પરંતુ હંસે મનમાં વિચાર ન કર્યો કેકલ્યાણને ઇચ્છનાર પુરુષે નીચનો પરિચય કરવો નહીં.” કહ્યું છે કે हुं तुंही वारु साधु जण, दुजण संग निवार । हरे घडी जल झल्लरी, मत्थे पडे प्रहार ॥१॥ “હે સાધુ જન! હું તને વારું છું કે તું દુર્જનની સંગતિ નિવાર, કેમકે જળને ઘડી હરણ કરે છે; પણ પ્રહાર ઝાલરને માથે પડે છે. વળી नीच सरिस जो कीजे संग, चडे कलंक होय जसभंग । हाथ अंगार ग्रहे जो कोय, के दाझे के काळो होय ॥४॥ (અર્થ સુગમ છે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy