SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૭] અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય અકર્તવ્ય ૧૯૩ મધ્યાહ્ન સમયથી આરંભીને કૃષ્ણપક્ષની પ્રતિપદા સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. બીજને દિવસે સ્વાધ્યાય કરવો યોગ્ય છે. રાજા અને સેનાપતિ વગેરેનું પરસ્પર યુદ્ધ થતું હોય તો તે વખત અસ્વાધ્યાય કાળ જાણવો. હોળીના પર્વમાં જ્યાં સુધી રજ શાંત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાયકાળ જાણવો. ગામનો રાજા મરણ પામે તો બીજા રાજાનો અભિષેક થાય નહીં, ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ જાણવો. ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં કોઈ પ્રસિદ્ધ માણસ મૃત્યુ પામ્યો હોય તો એક અહોરાત્રીનો અનપ્લાય કાળ જાણવો. ઉપાશ્રયથી સો હાથ સુધીમાં કોઈ અનાથ મૃત્યુ પામ્યો હોય તો તેનું શબ જ્યાં સુધી લઈ ન જાય, ત્યાં સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. સ્ત્રીના રુદનનો શબ્દ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં. જળચર તિર્યંચ પંચેંદ્રિય મત્સ્ય વગેરે (વિકલેન્દ્રિય નહીં) નાં રુધિર, માંસ કે હાડકા ઉપાશ્રયથી સાઠ હાથ સુધીમાં પડ્યાં હોય તો તે તથા કોઈ પક્ષીનું ઈંડું પડ્યું હોય પણ ફૂટ્યું ન હોય તો તે કાઢી નાખ્યા પછી સ્વાધ્યાય થઈ શકે, અને જો ઈડું ફૂટી ગયું હોય તો ત્રણ પોરસી સુધી સ્વાધ્યાય કહ્યું નહીં. તેમાં પણ જો ઈડું ફૂટેલું હોય અને તેમાંથી રસનું બિંદુ ભૂમિ ઉપર પડ્યું હોય તો તે સાઠ હાથની બહાર લઈ જઈને તે ભૂમિ ઘોયા પછી સ્વાધ્યાય કલ્પ. માખીના પગ જેટલું પણ ઈડાના રસનું અથવા લોહીનું બિંદુ ભૂમિ પર પડ્યું હોય તો સ્વાધ્યાય કલ્પે નહીં. ગાય વગેરેનું જરાયુ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ જાણવો, અને જરાય પડ્યા પછી ત્રણ પોરસી સુઘી અસ્વાધ્યાય કાળ જાણવો. બિલાડી વગેરેએ ઉંદર માર્યો હોય તો એક અહોરાત્રી અસ્વાધ્યાય કાળ જાણવો. તેટલો કાળ નંદિસૂત્ર વગેરે ભણવું નહીં. એ જ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણ જાણવું. વિશેષ એટલું કેઉપાશ્રયથી સો હાથ સુધીમાં મનુષ્યના અવયવો અથવા ચર્મ, માંસ, રુધિર, હાડકું વગેરે પડ્યાં હોય તો અસ્વાધ્યાય જાણવો, પણ જો ઉપાશ્રય અને તે અવયવ વગેરે પડેલા સ્થાનથી વચ્ચે માર્ગ હોય તો સ્વાધ્યાય થઈ શકે. સ્ત્રીઓને ઋતુ આવે ત્યારે ત્રણ દિવસ સુધી સ્વાધ્યાય કહ્યું નહીં, પણ જો પ્રદરનો રોગ થયો હોય, તો અધિક કાળ સુધી સ્વાધ્યાય કલ્પે નહીં. કોઈ ગર્ભવતીને પુત્ર પ્રસવ થયો હોય તો સાત દિવસ સુધી અસ્વાધ્યાય અને જો પુત્રી થઈ હોય તો અથવા રક્ત અધિક જતું હોય તો આઠ દિવસ સુધી અસ્વાધ્યાય જાણવો, નવમે દિવસે કહ્યું. સો હાથ સુધીમાં કોઈ બાળક વગેરેનો દાંત પડ્યો હોય તો તે શોઘવો, અને જો દાંત જોવામાં ન આવે તો “હંત ગોવા રકિ હિસ્સા” એમ કહીને એક નવકારનો કાયોત્સર્ગ કરવો. ત્યાર પછી સ્વાધ્યાય કલ્પે. દાંત વિના બીજા કોઈ અંગ અથવા ઉપાંગનું હાડકું સો હાથ સુધીમાં પડ્યું હોય તો બાર વર્ષ સુધી વાચનાદિક સ્વાધ્યાય કલ્પ નહીં, પણ મનમાં અર્થની વિચારણાનો કોઈ સ્થાને નિષેધ નથી. આર્ટ્ઝ નક્ષત્રથી આરંભીને સ્વાતિ નક્ષત્ર સુધી વિદ્યુત તથા મેઘગર્જના થાય તો સ્વાધ્યાયનો નિષેઘ નથી. ભૂમિકંપ થયો હોય તો આઠ પહોર સુધી સ્વાધ્યાય કહ્યું નહીં. અગ્નિનો ઉપદ્રવ થયો હોય તો તે ઉપદ્રવ રહે તેટલો વખત સ્વાધ્યાય કહ્યું નહીં. ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટ બાર પહોર સુધી અને સૂર્યગ્રહણમાં ઉત્કૃષ્ટ સોળ પહોર સુઘી અસ્વાધ્યાય જાણવો, પાખીની રાત્રિએ પણ સ્વાધ્યાય સૂઝે નહીં. ૧ એક રાત્રિ ને એક દિવસ તે અહોરાત્રી. ૨. જરાયુ એટલે વિયાયા પછી ઓર પડે છે તે. ૩. અહીં બાર વર્ષનો અસ્વાધ્યાય કહ્યો છે તેનો પરમાર્થ બહુશ્રુતગમ્ય છે. . Jain Educa(ભાગ ૪૧૩) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy