SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૬] જ્ઞાનાચારનો પહેલો ભેદ-કાળાચાર ૧૮૯ અવશ્ય કરવા લાયક આવશ્યકાદિક ક્રિયામાં અને શુદ્ધ શ્રાવકને ત્રિકાલ દેવવંદન, પૂજન વગેરેમાં ઉપયોગ રહે નહીં, તેથી વખતસર કરવાની કહેલી ક્રિયાથી ભ્રષ્ટપણું પ્રાપ્ત થાય. વળી નિરંતર સ્વાધ્યાય કરવાથી ખેદ થયો હોય તેને તેટલો વખત વિશ્રામ પણ થાય; માટે તે કાળે તો આવશ્યકાદિ ક્રિયાઓ જ કરવી. કોઈ વખત કારણવિશેષે વખતનો અતિક્રમ થઈ જાય તો તેનો દોષ નથી. અહીં કોઈ શિષ્ય શંકા કરે છે કે‘જેમ શુભ ધ્યાન મોક્ષનો હેતુ હોવાથી સર્વ કાળે કરવાનું કહ્યું છે; તેમ શ્રુતજ્ઞાન પણ મોક્ષનો હેતુ છે, માટે તેનું સર્વ કાળે પઠનાદિ શા માટે ન થાય? જે મોક્ષનું કારણ છે ત્યાં કાળ અથવા અકાળની વ્યવસ્થા શી?’’ આ શંકાના સમાધાન માટે ગુરુ કહે છે કે—“હે શિષ્ય! તારી શંકા ખરી છે; પરંતુ શુભધ્યાન તો સર્વ ધર્મક્રિયામાં રહેલું છે અને તે માનસિક છે, તેથી શુભ ધ્યાન વડે કોઈ પણ ક્રિયાનો બાધ થતો નથી. પણ ઊલટી સર્વ ક્રિયાને પુષ્ટિ મળે છે; અને શ્રુતજ્ઞાન તો પઠન, ગુણન વગેરેથી સિદ્ધ થાય છે; તેથી તે સાંજ સવારના પ્રતિક્રમણની જેમ નિયત કાળે જ કરવા યોગ્ય છે. જો સર્વકાળ શ્રુતનો જ અભ્યાસ કરે તો અન્યોન્ય પુણ્યક્રિયાનો બાઘ થાય, તેમ થવું યોગ્ય નથી. વળી જે મોક્ષનો હેતુ હોય ત્યાં કાળનો વિભાગ કરવો યોગ્ય નથી, એવું જે તેં કહ્યું તે વ્યર્થ છે; કેમ કે સાધુને આહાર વિહાર વગેરે પણ મોક્ષના હેતુ છે; તો પણ ત્યાં કાળનો વિભાગ કહેલો છે. આગમમાં કહ્યું છે કે ‘“તડ્યાને પોરસીઝે મત્તપાળંવેસએ– ત્રીજી પોરસીએ ભાતપાણીની ગવેષણા કરવી.’’ તથા अकाले चरसि भिक्खु, काले न पडिलेहसि । अप्पाणं च किलामेसि, संनिवेसं च गरिहसि ॥ १ ॥ ભાવાર્થ-“હે સાધુ!તું અકાળે વિચરે છે, યોગ્ય કાળે પડિલેહણ કરતો નથી તારા આત્માને તું કીલામણા પમાડે છે અને ગામના લોકોની નિંદા કરે છે.’’ તેથી શ્રુતનું પઠનાદિક યોગ્ય કાળે જ કરવું. કોઈ અહંકારાદિકને લીધે તેનો વ્યત્યય કરે, તો સાગર નામના આચાર્યની જેમ મોટી લક્ત્રને પામે. સાગરાચાર્યનું દૃષ્ટાંત ઉજ્જયિની નગરીમાં શ્રીકાલિકાચાર્ય નામના આચાર્ય ઉગ્ર વિહારી હતા. તેની પાસેના શિષ્યો સર્વે પાસા થઈ જવાથી સાધુનો આચાર પાળવામાં પણ શિથિલ થયેલા હતા. તેમને આચાર્ય હમેશાં શિખામણ આપતા હતા; પણ તેઓ તો કૂતરાના પૂંછડાની જેમ વક્રતાને છોડતા નહોતા. તેથી આચાર્યે ખેદ પામીને વિચાર્યું કે‘આ શિષ્યોને સારણાદિ કરતાં મારો સ્વાધ્યાય સિદાય છે–બરાબર થઈ શકતો નથી, અને તેઓને મારા વાક્યથી કાંઈ પણ ગુણ થતો નથી; માટે તેનો કાંઈ બીજો ઉપાય કરવો જોઈએ.’’ અહીં વૃદ્ધ વાક્યને અનુસારે એવો સંબંધ છે કે–એક વખતે સીમંઘરસ્વામીને ઇંદ્રે પૂછ્યું કે—‘હે સ્વામી! હાલમાં ભરતક્ષેત્રમાં એવો કોઈ વિદ્વાન છે, કે જેને પૂછવાથી આપે વર્ણન કર્યું તેવું નિગોદનું સ્વરૂપ યથાર્થ વર્ણવે?” ત્યારે પ્રભુએ કહ્યું કે-‘હે ઇંદ્ર! હાલમાં ભરતક્ષેત્રમાં આર્ય કાલકસૂરિ છે, કે જે શ્રુતપાઠના બળથી મેં કહ્યું તેવી જ રીતે નિગોદનું સ્વરૂપ કહી શકે તેવા છે.’’ તે સાંભળીને ઇંદ્ર તેની પરીક્ષા કરવા માટે જરાથી જીર્ણ થયેલું શરીર વિષુર્થીને ઘીમે ઘીમે લાકડીને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy