SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (રજન ૧૮) વ્યાખ્યાન રપ૬ જ્ઞાનાચારનો પહેલો ભેદ-કાળાચાર જ્ઞાનાચારના આઠ પ્રકારમાંનો પહેલો કાળ નામનો આચાર કહે છે पठनीयं श्रुतं काले, व्याख्यानं पाठनं तथा । आचारः श्रुतधर्मस्य, चाद्यो यल्लिख्यते बुधैः॥१॥ ભાવાર્થ-“યોગ્ય કાળે મૃત ભણવું, ભણાવવું તથા વ્યાખ્યાન કરવું, તે કૃતઘર્મનો પહેલો આચાર પંડિત પુરુષોએ કહેલો છે.” અગિયાર અંગ અને ઉત્તરાધ્યયન વગેરે કાલિક શ્રત કહેવાય છે. તે દિવસે તથા રાત્રે પહેલી અને ચોથી પોરસીમાં ભણવું ગણવું અને દશવૈકાલિક વગેરે તથા દ્રષ્ટિવાદ ઉત્કાલિક શ્રુત કહેવાય છે, તેનો ભણવા વગેરેનો કાળ સર્વ પોરસીનો છે. તેમાં સૂત્રની પોરસીમાં ભણવું, અને અર્થની પોરસીમાં અર્થ અથવા ઉત્કાલિક શ્રત વગેરે ભણવું. દિવસ તથા રાત્રિની પહેલી અને છેલ્લી પોરસીમાં અસ્વાધ્યાય(અસક્ઝાય)ને અભાવે ભણાય તેથી તેનું નામ કાલિક કહેવાય છે. કાલિકનો શબ્દાર્થ એવો છે કે યોગ્ય કાળે જ ભણવું તે; અને માત્ર કાળ વેળા સિવાય બધી પોરસીમાં ભણાય તેને ઉત્કાલિક કહ્યું છે. કાલિક તથા ઉત્કાલિક બન્ને મૃતનો લઘુ અનધ્યાય કાળ બે ઘડીનો છે. તેવી કાળવેળા પ્રત્યેક અહોરાત્રમાં ચાર આવે છે, તેટલો વખત તજવો. તે ચાર વખત આ પ્રમાણે– ૧. સંધ્યા વખતે (સાયંકાળે), ૨. મધ્ય રાત્રીએ, ૩. પ્રભાતે તથા ૪. મધ્યાહ્ન વખતે. એ ચાર કાળ વેળાએ તો કોઈ પણ દિવસ સ્વાધ્યાય કરવો નહીં; પણ પડિલેહણ વગેરે બીજી ક્રિયા કરવાનો નિષેઘ નથી. અન્ય ઘર્મમાં પણ કાળને વખતે સંધ્યાવંદન વગેરે ક્રિયાઓ કરવામાં આવે છે. બ્રાહ્મણો હમેશાં ત્રણ સંધ્યાએ મળીને ત્રણસો ચોવીશ વાર ગાયત્રી મંત્રનો જાપ પૂર્ણ કરે છે. દુષ્ટ કાળ વખતે સર્વ શાસ્ત્રોમાં સૂત્રાદિકનું પઠન પાઠન સર્વથા નિષેઘ કરેલું છે. તે વિષે અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે चत्वारि खलु कर्माणि, संध्याकाले विवर्जयेत् । आहारो मैथुनं निद्रा, स्वाध्यायं च विशेषतः॥१॥ ભાવાર્થ-“આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષે કરીને સ્વાધ્યાય, એ ચાર કર્મ સંધ્યા વખતે ત્યાગ કરવાં.” आहाराज्जायते व्याधिः, क्रूरगर्भश्च मैथुनात् । નિદ્રાતો ધનનાશ8, સ્વાધ્યાયે મર" મન શા. ભાવાર્થ-સંધ્યા વખતે આહાર (ભોજન) કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે, મૈથુન કરવાથી ક્રૂર ગર્ભ ઉત્પન્ન થાય છે, નિદ્રા લેવાથી ઘનનો નાશ થાય છે, અને સ્વાધ્યાય કરવાથી મૃત્યુ થાય છે. તેમજ કાળ વખતે સ્વાધ્યાય કરવાથી–“અહો! આ સાઘુઓ સ્વાધ્યાયનો કાળ પણ જાણતા નથી” એમ કહીને લોકો નિંદા કરે છે તથા તે વખતે પઠનાદિકમાં વ્યગ્ર રહે તો મુમુક્ષુ સાધુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy