SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદં ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૭ અયોગ્ય ઔષઘનો નિષેઘ કર્યો. રેવતીએ પોતાના આત્માને સફળ માનીને માગેલું ઔષધ વહોરાવ્યું. તે લઈને મુનિએ ભગવતંના હાથમાં આપ્યું. ભગવાને પણ વીતરાગીપણાથી જ ઉદરમાં ક્ષેપડ્યું. તે જ ક્ષણે ભગવાનનો વ્યાધિ નાશ પામ્યો, તેથી મુનિવર્ગમાં આનંદ વ્યાપી રહ્યો અને દેવાદિક પણ હર્ષ પામ્યા. તે વખતે રેવતી શ્રાવિકાએ પણ ત્રિકાળજ્ઞાની પરમાત્માની સ્તુતિ કરતી સતી તીર્થંકરપદને યોગ્ય અધ્યવસાયને ઘારણ કર્યા. હવે ગૌતમ ગણઘરે શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું કે-“હે સ્વામી! આપનો સર્વાનુભૂતિ શિષ્ય ગોશાળાની તેજોલેશ્યાથી દગ્ધ થયો તો કઈ ગતિને પામ્યો?” ભગવાન બોલ્યા કે-“તે સાધુ સહસ્ત્રાર નામના આઠમા કલ્પમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મોક્ષગતિને પામશે.” ગૌતમસ્વામીએ ફરીથી પૂછ્યું કે-“હે ભગવન્! આપનો શિષ્ય સુનક્ષત્રમુનિ કઈ ગતિને પામ્યો?” પ્રભુએ કહ્યું કે “તે સાધુ આલોચના પ્રતિક્રમણ કરીને અશ્રુત કલ્પમાં મોટા આયુષ્યવાળો દેવતા થયો છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ સિદ્ધિપદને પામશે.” ફરીથી ગણઘરે પૂછ્યું કે–“હે પ્રભુ! મેખલીપુત્ર કઈ ગતિ પામ્યો?” પ્રભુએ કહ્યું કે-“અંત સમયે કાંઈક શ્રદ્ધા પામેલો તે બારમા દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો છે.” હવે ગ્રંથકાર કહે છે કે किं करोति गुरुः प्राज्ञः, मिथ्यात्वमूढचेतसां । शिष्याणां पापरक्तानां, मंखलीपुत्रसादृशां ॥१॥ ભાવાર્થ-“પાપકર્મમાં રક્ત અને મિથ્યાત્વ વડે મૂઢ ચિત્તવાળા ગોશાળા જેવા શિષ્યોને જ્ઞાની ગુરુ પણ શું કરી શકે?” ગોશાળો જન્મથી આરંભીને મિથ્યાત્વી હતો, પરંતુ પછીથી તેને વીતરાગનું વચન સત્ય ભાસ્યું હતું, અને તેથી જ તેણે “હું જિન નથી, મહાવીર જ જિન છે” એવી રીતે પોતાના શિષ્યોને કહ્યું હતું. પ્રથમ પણ ગોશાળો “આપની દીક્ષા મને હો” એમ પોતાની ઇચ્છાએ જ કરીને ભગવાનનો શિષ્ય થયો હતો. ભગવાને પણ પોતાનો શિષ્ય જાણીને તેને ઉપદેશ કર્યો હતો, પરંતુ તે તેણે માન્યો નહોતો, તો પણ છેવટે પ્રભુએ મર્મવચનથી તેને રૂડી બુદ્ધિ આપી હતી. ગોશાળા જેવા ક્રૂરના ક્રોથીપણાને કદાપિ પણ સંભાર્યા વિના ઊલટી તેને શુદ્ધ બુદ્ધિ આપી, માટે હે પ્રભુ! તારી વીતરાગતાને ઘન્ય છે.” વ્યાખ્યાન ૨૫૫ ભગવાનની આશાતનાનાં ફળ प्रभोराशातनां तन्वन्नल्पधीर्मंखलीसुतः । निजात्मानं भवौघेषु, न्यधादहो कुतर्कता ॥१॥ ભાવાર્થ-“પ્રભુની આશાતના કરીને તુચ્છ બુદ્ધિવાળા મેખલીપુત્રે પોતાના આત્માને સંસારસમુદ્રમાં નાંખ્યો , એ કેવું કુતકg Private & Personal Use Only Jain Eduસસારસમુદ્રમાં નાં www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy