SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૪] મિથ્યાત્વનું દુસ્ત્યાજ્યપણું ૧૮૩ હવે ગોશાળાએ ભગવંતનાં કહેલાં વચનોથી પોતાનું મૃત્યુ નજીક જાણીને આજીવિક મતવાળા પોતાના ભક્ત શ્રાવકોને છેલ્લો ઉપદેશ આપ્યો, અને પોતાના શિષ્યોને કહ્યું કે—“હું મરણ પામું ત્યારે મારા શરીરને સુગંધી જળ વડે સ્નાન કરાવી, ગોશીર્ષ ચંદન વડે વિલેપન કરી અને હજાર પુરુષોએ વહન કરાતી શિબિકામાં બેસાડીને શ્રાવસ્તિનગરીની દરેક બજારમાં લઈ જઈ તમારે મોટા શબ્દથી ઉદ્ઘોષણા કરવી કે–‘આ મંખલીપુત્ર જિન નહીં છતાં ‘હું જિન છું' એમ બાલનારો, ચરમ તીર્થંકરની આશાતના કરનારો, બે મુનિની ઘાત કરનારો, તથા અનેક જીવોને મિથ્યાત્વી બનાવનારો તે પોતાની જ તેજોલેશ્યાથી મહાત્માનાં વચન વડે સાતમી રાત્રિએ છદ્મસ્થપણે મરણ પામ્યો છે.’ આ પ્રમાણે વારંવાર બોલવું. પછી જો તમે મારા શિષ્ય હો તો મારે ડાબે પગે દોરડું બાંધીને ત્રણ વાર મારા મુખમાં થૂંકીને શ્રાવસ્તિ નગરીના બજારમાં સર્વત્ર મને ઘસડવો, અને ત્યાર પછી મારા દેહનો સંસ્કાર કરવો.’ આવી રીતે તે ગોશાળો અંત અવસ્થામાં કાંઈક સમકિત પામ્યો, અને વીતરાગનાં વચન ઉપર વિશ્વાસવાળો થયો. છેવટે પોતાના સર્વ શિષ્ય સમક્ષ અરિહંતનું શરણ કરીને કાળધર્મ પામ્યો. પછી તેના શિષ્યોએ પોતાનું મહત્ત્વ તથા પૂજા સત્કાર વગેરેની હાનિ થવાના ભયથી ગુરુનું વચન પાળવા માટે પોતાના જ ઉપાશ્રયમાં દ્વાર બંધ કરીને શ્રાવસ્તિ નગરીનો આલેખ કાઢી પૂર્વે કહેલી સર્વ ક્રિયાઓ કરી, અને ત્યાર પછી તેના દેહનો સંસ્કાર કરવા તેને બહાર કાઢ્યો એટલે શ્રાવકોએ અગ્નિસંસ્કાર કર્યો. "" હવે શ્રી વીરભગવાન વિહાર કરતા કરતા મેઢક નામના નગરે પધાર્યા. ત્યાં તેમના શરીરને પિત્તજ્વ૨થી વ્યાસ જોઈને ચારે વર્ણના લોકો બોલવા લાગ્યા કે—“ગોશાળાએ મૂકેલી તેજોલેશ્યાથી શરીર દગ્ધ થવાને લીધે પ્રભુ છ મહિને કાળ કરશે.’’ તે વાત સાંભળી સિંહ નામના ભગવાનના શિષ્ય કે જે નિરંતર છઠ્ઠ તપ કરતા હતા, તથા સૂર્ય સન્મુખ વૃષ્ટિ રાખીને આતાપના લેતા હતા તેમણે તે આતાપનાને અંતે વિચાર્યું કે—“મારા ધર્મગુરુ શ્રી જિનેશ્વરને પિત્તજ્વર ઉત્પન્ન થયો છે, તેથી જો તે છ મહિનામાં કાળધર્મ પામશે તો અન્ય દર્શનીઓ કહેશે કે–ગોશાળાની તેજોલેશ્યાથી હણાયેલા મહાવીર છદ્મસ્થપણે જ કાળધર્મ પામ્યા.’ આ પ્રમાણે તેની ભદ્રક પ્રકૃતિ હોવાથી તેણે વિચારણા કરી, અને તેના મનમાં ઘણું દુઃખ ઉત્પન્ન થયું. તે બહુ જ ખેદ કરવા લાગ્યા. પછી તે માલુકકચ્છ નામના નિર્જન વનમાં જઈને મોટા શબ્દથી રુદન કરવા લાગ્યા. તે જાણીને ભગવાને સ્થવિર સાધુ મોકલીને તેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે—“હે સિંહ મુનિ ! તેં તારા મનમાં જે વિકલ્પ કર્યો છે તેમ થવાનું નથી; કેમકે દેશે ઊણા સોળ વર્ષ સુધી મારે કેવળજ્ઞાનનો પર્યાય ભોગવવાનો છે, તેથી તું નગ૨માં જા અને રેવતી નામની શ્રાવિકાએ મારે માટે કોળાનો પાક બનાવ્યો છે તે તું લાવીશ નહીં, કેમકે તે ગ્રહણ યોગ્ય નથી; પણ તેને જ ઘેર તેના અશ્વને માટે બિજોરાનો પાક બનાવ્યો છે તે લઈ આવ.’' આ પ્રમાણે ભગવાનના કહેવાથી સિંહ મુનિ રેવતી શ્રાવિકાને ઘેર ગયા. રેવતી શ્રાવિકા નિર્વિકાર મુનિને આવતા જોઈને અતિ હર્ષ પામી અને આસન પરથી ઊઠી સાત આઠ પગલાં સન્મુખ જઈ વંદના કરીને બોલી કે “હે સ્વામી! આપ શા પ્રયોજનથી અત્રે પધાર્યા છો તે કૃપા કરીને કહો.'' એટલે સિંહમુનિએ જિનેશ્વરનું કહેલું યોગ્ય ઔષઘ માગ્યું, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy