SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ પામે, તો તેને મિથ્યાત્વ સાદિ થયું. આ મિથ્યાત્વમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આશાતનાદિક ઘણા પાપને લીધે અર્થ પુદ્ગલ પરાવર્તનસુધી રહીને જ્યારે ફરીથી સમ્યકત્વ પામે ત્યારે તે મિથ્યાત્વ સાંત થયું, તેને સાદિ સાત જાણવું. આ ચાર ભાંગામાં સાદિ અનંત નામનો ત્રીજો ભાંગો જે છે તે કોઈ પણ જીવને લાગુ પડતો નથી, તેથી શુન્ય જાણવો; કેમકે સાદિ મિથ્યાત્વ ભવ્ય પ્રાણીઓને જ હોઈ શકે છે, એટલે તે મિથ્યાત્વ અનંત થઈ શકે નહીં. અર્થ પુદ્ગલ પરાવર્તનમાં તો તેનો અંત થાય જ. આ પ્રસંગે ભવ્ય તથા અભવ્યનું સ્વરૂપ જાણવાની ઇચ્છાથી શિષ્ય પ્રશ્ન કરતાં ગુરુ કહે છે–જેની પર્યાય વડે મુક્તિ થશે, એટલે જે મુક્તિને યોગ્ય છે તે ભવ્ય, અવશ્ય મુક્તિએ જાય તે જ ભવ્ય એમ નહીં; કારણ કે કેટલાક ભવ્ય પ્રાણીઓ પણ સિદ્ધિને પામતા નથી, માટે જ “સિદ્ધિને યોગ્ય તે ભવ્ય” એમ કહ્યું છે. વળી “મવ્યા વિ જ સિન્સિસંતિ છે;” અર્થાત્ “કેટલાક ભવ્ય પ્રાણીઓ પણ સિદ્ધિને પામશે નહીં” એવું વચન છે; અને ભવ્યથી જે વિપરીત એટલે જેઓ કદાપિ પણ સંસારસમુદ્રનો પાર પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહીં, તે અભવ્ય જાણવા. અહીં ભવ્ય તથા અભવ્યનું લક્ષણ જાણવા માટે વૃદ્ધો એમ કહે છે કે-જે કોઈ પ્રાણી સંસારથી વિપક્ષભૂત મોક્ષને માને છે અને મોક્ષની પ્રાપ્તિ માટે અભિલાષ રાખીને મનમાં એવું વિચારે છે કે-“હું ભવ્ય હઈશ કે અભવ્ય? જો ભવ્ય હોઉં તો સારું, પણ કદાચ અભવ્ય હોઉં તો મને ધિક્કાર છે.” આવો વિચાર કોઈ પણ વખતે કરે તે પ્રાણી ભવ્ય જાણવો; અને જે પ્રાણીને કોઈ પણ વખતે આવો વિચાર થયો ન હોય, થતો ન હોય તથા થવાનો પણ ન હોય તે પ્રાણી અભવ્ય જાણવો. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “સમવ્યસ્ય હિ મવ્યાખવ્યશંકાયા કમાવ:” અભવ્ય પ્રાણીને હું ભવ્ય છું કે અભવ્ય? એવી શંકા પણ થતી નથી.” આ પ્રસંગે મહા પાપી પાલક નામના અભવ્યનું દ્રષ્ટાંત સંક્ષેપથી કહીએ છીએ પાલક પુરોહિતનું દ્રષ્ટાંત શ્રાવસ્તિ નગરીના રાજાના પુત્ર અંદકે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો હતો. એક દિવસે કુંભકાર નામના નગરથી પાલક નામનો પુરોહિત ત્યાં આવ્યો. તેની સાથે રાજસભામાં વિવાદ કરતાં સ્કંદકે તેનો પરાજય કર્યો. ત્યાર બાદ કેટલોક વખત ગયા પછી સ્કંદકને વૈરાગ્ય થવાથી તેણે શ્રી જિનેશ્વર પાસે દીક્ષા લીધી. એકદા તેણે પ્રભુને કહ્યું કે “હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો હું મારી સંસારી બહેનના દેશમાં જાઉં.” પ્રભુએ કહ્યું કે–“જો તમે ત્યાં જશો તો મોટો ઉપસર્ગ થશે, અને તમારા વિના બીજા સર્વે આરાધક થશે.” ત્યારે સ્કંદકાચાર્યે કહ્યું કે-“સાધુને જે ઉપસર્ગ છે તે જ મોક્ષનું સાધન છે, તેથી તપસ્વીઓને કાંઈ પણ ઉપસર્ગ જ નથી. મોક્ષના આનંદને ઇચ્છનારા મુનિઓને જે કાંઈ દુઃખ આવે તે મોટા આનંદને માટે જ છે.” ઇત્યાદિ કહીને સ્કંદક આચાર્ય પાંચસો સાધુઓ સહિત વિહાર કરતાં કરતાં કુંભકાર નગરના ઉદ્યાનમાં આવ્યા. તે સમાચાર જાણીને પાલકે પૂર્વના વૈરને લીધે તે ઉદ્યાનની ધૂળમાં ગુપ્ત રીતે શસ્ત્રો દાટીને રાજાને કહ્યું કે-“હે રાજન્! આ સાધુઓ તમને મારીને તમારું રાજ્ય લેવા માટે આવ્યા છે.” એમ ૧ સમકિત પામ્યા પછી મિથ્યાત્વ થયેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy