SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૩] . મિથ્યાત્વના ભેદ ૧૭૯ નિવૃત્તાત્મા (મુક્ત) છે, અને તેઓ જ દુસ્તર સંસારને તરી ગયેલા છે ઇત્યાદિ માનવું, તે અમુક્તમાં મુક્ત સંજ્ઞા જાણવી. (૧૦) સમગ્ર કર્મના વિકારથી રહિત, તથા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યવાળા મુક્ત પુરુષોને અમુક્ત માનવા, તે મુક્તમાં અમુક્ત સંજ્ઞા જાણવી. પાંચ ભેદ-હવે મિથ્યાત્વના પાંચ પ્રકાર કહે છે– (૧) પોતાના મતને જ પ્રમાણરૂપ માનનારા કુદ્રષ્ટિવાસિત માણસોને જે મિથ્યાત્વ હોય છે, તે અભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. (૨) સર્વે દેવને અને સર્વ ગુરુઓને નમસ્કાર કરવો, સર્વ ઘર્મ માન્ય કરવા. બઘા ભગવાન સરખા છે, નામ અલગ છે. એવી રીતે ઘર્મ અઘર્મની ઓળખાણ વિના સર્વ ઘર્મને સરખા માનવા, તે અનભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. (૩) શ્રીમત્ અરિહંતના મતનું કોઈ યથાસ્થિતપણે વર્ણન કરે, તેના પરના મત્સરને લીધે તેનું જાણી બૂજીને ખંડન કરવું તે અભિનિવેશિક મિથ્યાત્વ જાણવું; અથવા અજાણતાં પ્રથમ ઉસૂત્ર પ્રરૂપણા થઈ ગઈ, પછી ખરું તત્ત્વ જાણ્યા છતાં પણ પોતાના જ મતને આગ્રહથી સ્થાપન કર્યા કરે, અથવા અજાણપણે સૂત્રના ભાવાર્થની ઉત્સુત્ર પ્રરૂપણા કરે, પછી તેને કોઈ સમજાવીને નિવારે, તો પણ પોતાના આગ્રહને મૂકે નહીં, તે પણ અભિનિવેશિક મિથ્યાત્વ જાણવું. (૪) સૂત્રમાં, અર્થમાં કે સૂત્રાર્થમાં કાંઈ શંકા થાય, પણ કોઈને તેનું સમાધાન પૂછે નહીં, તે સાંશયિક મિથ્યાત્વ જાણવું. (૫) જેઓ કાંઈ પણ તત્ત્વાતત્ત્વનો વિચાર જાણતા નથી તેવા એકેંદ્રિયાદિ જીવોને અજ્ઞાનરૂપ અનાભોગિક મિથ્યાત્વ જાણવું. આ પ્રમાણે મિથ્યાત્વના બહુ ભેદ કહેલા છે. વિઘિકૌમુદીમાં તોંતેર ભેદ કહ્યા છે, કોઈ ઠેકાણે એકવીશ ભેદ પણ કહ્યા છે. વગેરે અનેક ભેદો તે તે ગ્રંથોમાંથી જાણી લેવા. મિથ્યાત્વની સ્થિતિ-હવે એ મિથ્યાત્વની સ્થિતિ કેટલી છે તે કહે છે अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनंता स्थितिर्भवेत । सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसांता पुनर्मता ॥१॥ ભાવાર્થ-“અભવ્ય પ્રાણીને આશ્રયીને મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત છે. અને ભવ્ય પ્રાણીને આશ્રયીને અનાદિ સાંત સ્થિતિ માનેલી છે.” આ શ્લોકના ઉપલક્ષણથી મિથ્યાત્વની સ્થિતિના કાળનો વિચાર કરતાં ચાર ભાંગા થાય છે. અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ અનંત અને સાદિ સાંત. તેમાં અભવ્ય પ્રાણીઓને વિપરીત રુચિરૂપ મિથ્યાત્વ અનાદિ અનંત હોય છે, કેમકે અનાદિ કાળથી મિથ્યાત્વ લાગેલું છે અને તેનો હવે પછી કોઈ પણ કાળે અંત આવવાનો નથી. ભવ્ય પ્રાણીઓને મિથ્યાત્વ અનાદિ સાંત હોય છે; જો કે ભવ્ય પ્રાણી પણ અનાદિકાળથી મિથ્યાવૃષ્ટિ હોય છે, પણ તે ભવ્ય હોવાથી કોઈ પણ વખત સમકિત પામે છે; એટલે તે વખત મિથ્યાત્વનો અંત થયો, તેથી તેનું મિથ્યાત્વ અનાદિ સાંત છે. વળી અનાદિ મિથ્યાવૃષ્ટિ ભવ્ય જીવ સમકિત પામીને પછી કોઈ પણ કારણથી ફરીને મિથ્યાત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy