SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૫૨] સમકિતમાં નિઃશંકતા ૧૭૫ “વળી હે આચાર્ય! તમે શુદ્ધ હો તો મારી પાસે આવો, કેમ ઊંચા કાન કરીને નાસી છો? તમારાં પાત્રો મને બતાવો.” એવાં વાક્યો સાંભળીને સૂરિ તત્કાળ ત્યાંથી નાસીને આગળ ચાલ્યા. થોડે દૂર જતાં કોઈ રાજાનું સૈન્ય જોવામાં આવ્યું. તેના ભયથી તે સૈન્યના માર્ગને છોડીને બીજે રસ્તે ચાલ્યા. ત્યાં તો દૈવયોગે તે રાજાની જ સમક્ષ આવી પહોંચ્યા. તેને જોઈને રાજા પણ હાથી ઉપરથી ઊતરીને તેને નમ્યો અને બોલ્યો કે–“હે ગુરુ! મારા મોટા ભાગ્ય કે મને અહીં આપના દર્શન થયા, તો હવે મારા પર કૃપા કરીને એષણીય મોદક વગેરે ગ્રહણ કરો.” તે સાંભળીને સૂરિએ વિચાર્યું કે-“જો હું મોદક લેવા માટે પાત્ર બહાર કાઢીશ, તો મારી ચોરી પ્રગટ થશે.” એમ વિચારીને તે સૂરિ બોલ્યા કે-“આજે તો મારે ઉપવાસ છે.” રાજાએ કહ્યું કે-“મારા ભાવનું ખંડન ન કરો.” એમ કહીને સૂરિની ઝોળીમાંથી બળાત્કારે પાત્ર બહાર કાઢી તેમાં મોદક નાંખવા જતો હતો, ત્યાં તો તેમાં અલંકારો જોયાં, તેથી તે રાજા કોપાયમાન થઈને બોલ્યો કે–“અરે સાધુના વેષને વિડંબના પમાડનાર દુષ્ટ! મારા પુત્રોને મારીને તું જીવતો શી રીતે જઈશ?” તે સાંભળીને સૂરિ નીચું મુખ રાખી વિચાર કરવા લાગ્યા કે-“મારું પાપ આ રાજાએ જાણ્યું, તેથી તે હવે મને જીવતો જવા દેશે નહીં, કુમરણે મારશે; મેં ઘણું દુષ્ટ કામ કર્યું. યોગ તથા ભોગ બન્નેથી હું ભ્રષ્ટ થયો. હવે મારી શી ગતિ થશે?” ઇત્યાદિ ચિંતા કરતા સૂરિને જાણીને તે દેવતાએ પોતાની માયા સંહરી લીધી, અને પ્રત્યક્ષ થઈને કહ્યું કે-“હે પૂજ્ય! હું તે જ આપનો શિષ્ય છું કે જેની પાસેથી આપે વચન લીધું હતું. આપના વચનથી બંધાયેલો હોવાથી હું અહીં આવ્યો છું. સ્વર્ગે ગયા પછી દેવકાર્યમાં વ્યાકુળ રહેવાથી અહીં આવતાં મને વિલંબ થયો છે; પરંતુ “સંવતિ વિધ્ય જેમા” અને “વત્તાર પં નોય સારૂ” એટલે “સંક્રમેલા–પ્રાપ્ત થયેલા દિવ્ય પ્રેમાદિકના કારણથી દેવતાઓ તેમાં લુબ્ધ થઈ જાય છે, તેથી પૃથ્વી ઉપર આવતા નથી. વળી ચારસો પાંચસો જોજન સુધી ઊંચે મનુષ્યલોકની દુર્ગધ જાય છે તેથી પણ દેવતાઓ પૃથ્વી પર આવતા નથી.” ઇત્યાદિ આગમનાં વાક્યો જાણતાં છતાં આપે આવું કર્મ કેમ આરંવ્યું? વળી દિવ્ય નાટક જોવામાં લુબ્ધ થઈને ઊભા ને ઊભા આપે પણ છ માસ વ્યતિક્રમાવ્યા છે, છતાં તેટલા કાળને આપે એક મુહુર્ત સમાન જાણ્યો છે. પણ હવે તમે તત્ત્વમાં પૂર્ણ શ્રદ્ધાવાન થાઓ. સ્વર્ગ-નરક બધું જ છે. આપને તત્ત્વમાં નિઃશંક કરવા માટે જ મેં આપની પરીક્ષારૂપે આ માયાજાળ બતાવી હતી.” આ પ્રમાણે દેવની વાણી સાંભળીને સૂરિનો સર્વ સંશય નષ્ટ થયો, અને પોતાના દુરાચારને નિંદવા લાગ્યા. પછી તેમણે દેવને કહ્યું કે-“તમે જ ભાવબંઘુપણાથી મને મોક્ષમાર્ગ બતાવ્યો છે; કેમકે તમે મને ઘર્મથી ભ્રષ્ટ થયેલાને ફરીથી ઘર્મ પમાડ્યો છે, માટે તમારું અનુષ્ય મારાથી થઈ શકાશે જ નહીં. આથી વઘારે હું શું કહ્યું?” સૂરિનાં આવાં વચનોથી સંતોષ પામી પોતાનો અપરાઘ ખમાવીને દેવતા સ્વર્ગમાં ગયો. પછી સૂરિએ આલોયણ લઈને ઉગ્ર તપ કર્યું. આ પ્રમાણે આષાઢસૂરિ પ્રથમ સમકિતથી ભ્રષ્ટ થયા અને ચિત્તમાં સંશય કર્યો, પણ પછીથી શુદ્ધ ભાવ ઘારણ કર્યો માટે સર્વ સાધુઓએ શંકારહિતપણે નિરંતર નિરતિચાર ચારિત્રનું પાલન કરવું.” ૧ દેવાદારરહિતપણું, અઋણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy