SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ વ્યાખ્યાન ૨૫૨] સમકિતમાં નિઃશંકતા भीताः पौराः कर्षयंति, युष्मान्निघ्नंति च द्विषः । तत्क्वापि यात मातंगा, जातं शरणतो भयम् ॥१॥ ભાવાર્થ-“હે ચાંડાળો! પુરના લોકો તો ભય પામીને પોતાનું ઘન બહાર કાઢે છે, અને તમે તો ગામમાં પેસો છો પણ તમને શત્રુઓ મારી નાંખશે; માટે તમે બીજે સ્થળે જાઓ; કેમકે જે ગામનું શરણ હતું તે જ ગામથી આજે ભય પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે ઉપનય સહિત દ્રષ્ટાંત કહ્યા છતાં સૂરિએ તેને છોડ્યો નહીં. ત્યારે તે બાળકે બીજું દૃગંત આપ્યું કે-“કોઈ નગરમાં રાજા પોતે જ પોતાના માણસો પાસે ચોરી કરાવતો હતો, અને તે વિષે લોકો ફરિયાદ જતા તો રાજાનો પુરોહિત સર્વ લોકોને ગાળો દેતો હતો, તેથી સર્વ લોકો ખેદ પામીને પરસ્પર કહેવા લાગ્યા કે– यत्र राजा स्वयं चौरो, भांडकश्च पुरोहितः । यात पौराः पुरात्तस्मा-जातं हि शरणाद् भयम् ॥१॥ ભાવાર્થ-“હે પુરના લોકો! જ્યાં રાજા પોતે ચોરી કરે છે, જ્યાં પુરોહિત ગાળો ભાંડે છે, તે નગર છોડીને તમે બીજે સ્થાને જાઓ; કેમકે જેનું શરણ હતું તેનાથી જ ભય થયું છે.” આ કથા કહેવાથી પણ સૂરિએ પોતાની દુષ્ટતા છોડી નહીં, ત્યારે તે બાળકે ત્રીજું દ્રષ્ટાંત કહ્યું કે–“કોઈ નગરમાં એક કામાં બ્રાહ્મણ રહેતો હતો. તેને પોતાની રૂપવતી પુત્રીને જોઈને તેની સાથે ક્રીડા કરવાની ઇચ્છા થઈ, પરંતુ લwથી તે દુષ્ટ ઇચ્છા પાર પાડી શક્યો નહીં, તેથી તેનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું. તે જોઈને તેની સ્ત્રીએ તેને ઘણા આગ્રહથી ક્ષીણ થવાનું કારણ પૂછ્યું, એટલે તેણે ખરું કારણ કહી દીધું. તે સાંભળીને તે સ્ત્રીએ પોતાના પતિના પ્રાણ બચાવવા સારું પુત્રીને કહ્યું કે–“હે પુત્રી! આપણા કુળનો એવો રિવાજ છે કે દરેક કુમારી કન્યાને પ્રથમ યક્ષ ભોગવે, ત્યાર પછી તેનો વિવાહ કરવામાં આવે છે, માટે તું કાળ ચતુર્દશીની રાત્રીએ યક્ષના દેરામાં જજે, પણ ત્યાં દીવો રાખીશ નહીં, કેમકે દીવાથી યક્ષને ક્રોઘ ચઢે છે.” તે સાંભળીને તે પુત્રીએ માતાનું વચન અંગીકાર કર્યું, પરંતુ જતી વખતે શરાવલામાં (શકોરામાં, કોડિયામાં) દીવો સંતાડીને લઈ ગઈ. પછી તેની માતાએ તે બ્રાહ્મણને યક્ષના દેરામાં મોકલ્યો; તે પણ ત્યાં ગયો, અને પોતાની પુત્રીને નિઃશંકપણે ભોગવીને સુખે સૂઈ ગયો. થોડી વાર પછી તે પુત્રીએ કૌતુકથી દવા વડે જોયું તો પોતાના પિતાને દીઠો. તે જોઈ તેણે વિચાર્યું કે-“અહો! મારી માતાએ પણ મારી સાથે માયા કરી, તો હવે આજથી આ જ મારો પતિ છે. મેં નર્તકીએ નાચ કરવા માંડ્યો, તો પછી શા માટે ઘૂંઘટો તાણવો?” એમ વિચારી તે પુત્રી પણ ક્રીડાથી શ્રમિત થયેલી હતી, તેથી નિરાંતે તેની સાથે સૂઈ ગઈ. પ્રાતઃકાળ થતાં સુધી તે બેમાંથી એકે જાગ્યા નહીં, એટલે તેની માતાએ ત્યાં આવીને કહ્યું કે-“હે પુત્રી! કેમ હજુ સુધી જાગતી નથી?” પુત્રી બોલી કે–“હે મા! મેં તારા કહ્યા પ્રમાણે કર્યું, તેથી યક્ષે મને આને જ પતિ તરીકે આપ્યો છે, માટે હવે તું બીજો પતિ શોધી લે.” તે સાંભળીને માતા બોલી કે विण्मूत्रे च चिरं यस्या, मर्दिते साऽपि नंदिनी । मत्कांतमहरत्तन्मे, जातं. शरणतो भयम् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy