SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૭ અગ્નિહોત્રી તાપસ રહેતો હતો. તે હમેશાં વિધિપૂર્વક અગ્નિનું પૂજન કરતો હતો. એકદા તે અગ્નિ વડે તેનું ઝૂંપડું બળવા લાગ્યું. તે જોઈને તે તાપસ બોલ્યો કે– ___यमहं मधुसर्पिभ्, तर्पयामि दिवानिशम् । दग्धस्तेनैवोटजो मे, जातं तच्छरणाद् भयम् ॥१॥ ભાવાર્થ-જેને હું રાત્રિ દિવસ મઘ તથા ઘી વડે તૃપ્ત કરું તે જ અગ્નિએ મારું ઝૂંપડું બાળ્યું; માટે મને શરણથી જ ભય થયું.” માટે હે પૂજ્ય! તમારે પણ તેમ કરવું યોગ્ય નથી.” ઇત્યાદિ કહ્યા છતાં સૂરિએ તેને મારીને અલંકાર લઈ લીધાં. . . ત્યાંથી આગળ ચાલતાં વાયુકાયિક નામના ચોથા બાળકને જોયો. તેનાં પણ અલંકારો લેવાને સૂરિ તૈયાર થયા. એટલે તે બાળકે પૂર્વની જેમ પોતાનું નામ પ્રગટ કરીને એક દૃષ્ટાંત કહ્યું કે-“પહેલાં કોઈ યુવાન પુરુષ ઘણો બળવાન હતો. તેને વાયુનો વ્યાધિ થવાથી તેનાં અવયવો કંપવા લાગ્યાં, તે જોઈને તેને કોઈએ પૂછ્યું કે- તું પહેલાં તો બહુ દોડતો હતો તેથી પવન જેવો ઉદ્યોગી હતો; અને હવે લાકડીના ટેકાથી કેમ ચાલે છે?” ત્યારે તે બોલ્યો કે सोऽवादीद्यो मरुज्ज्येष्ठा-षाढयोः सौख्यदोऽभवत् । स एव बाधतेऽङ्गं मे, जातं हि शरणाद्भयम् ॥१॥ ભાવાર્થ-“જે વાયુ (પવન) મને જ્યેષ્ઠ તથા અષાઢ માસમાં સુખ આપતો હતો, તે જ વાયુ (વા) અત્યારે મારા અંગને પીડે છે માટે મને શરણથી જ ભય થયું.” ઇત્યાદિ કહ્યા છતાં સૂરિએ તેને પણ મારીને તેના અલંકાર લઈ પાત્રમાં નાખ્યાં. આગળ ચાલતાં વનસ્પતિકાય નામના પાંચમા બાળકને જોઈને સૂરિએ તેના અલંકાર લેવાની ઇચ્છા કરી. ત્યારે તે બાળકે પણ એક દૃષ્ટાંત કહ્યું કે-“કોઈ એક અરણ્યમાં વૃક્ષ ઉપર માળા બાંધીને કેટલાંક પક્ષીઓ રહેતાં હતાં. અન્યદા તે વૃક્ષના મૂળમાંથી એક લતા ઊગીને વૃક્ષને વીંટાતી ઉપર ગઈ. તે લતાના આઘાર વડે વૃક્ષ ઉપર ચઢીને કોઈ સર્પ પેલા પક્ષીઓનાં બચ્ચાંઓને ખાઈ જવા લાગ્યો. તે જોઈને તે વૃક્ષના પક્ષીઓ પરસ્પર બોલ્યા કે अद्य यावत् सुखं वृक्षे, स्थितमत्रानुपद्रवे । अस्मादेव लतायुक्ता-दद्याभूच्छरणाद् भयम् ॥१॥ ભાવાર્થ-“આજ સુધી આપણે આ વૃક્ષ ઉપર ઉપદ્રવ રહિત સુખે વસતા હતા, તે જ વૃક્ષ લતાયુક્ત થવાથી આપણને આજે જેનું શરણ હતું તેનાથી જ ભય થયું.” સૂરિએ કથા સાંભળી “હે બાળક! તું બુદ્ધિમાન છે” એમ કહી નિર્દયપણાથી તેને મારી નાંખીને ભૂષણો લઈ લીઘાં. આગળ જતાં તેમણે છઠ્ઠો બાળક જોયો, તેનું નામ પૂછ્યું, ત્યારે તે બાળક બોલ્યો કે–“મારું નામ ત્રસકાયિક છે.” તે સાંભળીને સૂરિ તેનાં અલંકાર લેવા ઉત્સુક થયા; એટલે તે બાળકે કહ્યું કે–“મારી વાત સાંભળીને પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. કોઈ ગામને શત્રુઓએ આવીને ઘેરો ઘાલ્યો. ત્યારે ગામમાં રહેતા સર્વ લોકો પોતપોતાનું ઘન લઈને બહાર નીકળવા લાગ્યા, અને ગામ બહાર રહેતા ચાંડાળ વગેરે ગામમાં પેસવા લાગ્યા. તે જોઈને કોઈ પુરુષે ચાંડાળોને કહ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy